AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાત: વડાપ્રધાન મોદી આવતીકાલે ઉમિયા માતા મંદિરના સ્થાપના દિવસની ઉજવણીને સંબોધશે, CM ભૂપેન્દ્ર પટેલ પણ રહેશે હાજર

Narendra Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10મી એપ્રિલે રામનવમીના દિવસે ઉમિયા માતાના મંદિરના મહા પાટોત્સવ પ્રસંગે બપોરે એક વાગ્યે વીડિયો કોન્ફરન્સ દ્વારા લોકોને સંબોધિત કરશે. પાટોત્સવ મંદિરમાં મૂર્તિના પ્રાણ પ્રતિષ્ડાની વર્ષગાંઠ છે.

ગુજરાત: વડાપ્રધાન મોદી આવતીકાલે ઉમિયા માતા મંદિરના સ્થાપના દિવસની ઉજવણીને સંબોધશે, CM ભૂપેન્દ્ર પટેલ પણ રહેશે હાજર
PM Narendra Modi - File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 09, 2022 | 10:01 PM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) આવતીકાલે રામનવમીના અવસરે ગુજરાત (Gujarat) ના જૂનાગઢમાં ઉમિયા માતા મંદિર ખાતે 14મા સ્થાપના દિવસની ઉજવણીને સંબોધશે. વડાપ્રધાન કાર્યાલય (PMO)એ આ માહિતી આપી છે. જૂનાગઢના ગઠીલા ગામમાં ઉમિયા માતાનું મંદિર (Umiya Mata Temple) આવેલું છે. જૂનાગઢના ગઠીલા ગામના શ્રી ઉમિયા માતાજી મંદિરે એક નિવેદનમાં જણાવ્યું છે કે વડાપ્રધાન મોદી 10 એપ્રિલે રામ નવમીના રોજ બપોરે 1 વાગ્યે મંદિરના મહા-પાટોત્સવ પ્રસંગે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લોકોને સંબોધશે. પાટોત્સવ મંદિરમાં મૂર્તિના પ્રાણ પ્રતિષ્ડાની વર્ષગાંઠ છે. મંદિરના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 10 એપ્રિલના રોજ આ સ્થળે પાટીદાર સમાજના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ એકમના વડા સી.આર. પાટીલ પણ ત્યાં હાજર રહેશે.

પીએમ મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે

આ સાથે જ વડાપ્રધાન મોદી પણ 19-20 એપ્રિલે બે દિવસીય ગુજરાતની મુલાકાતે જશે. આ દરમિયાન તેઓ રાજ્યના વિવિધ ભાગોમાં અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. અધિકારીઓએ શુક્રવારે આ જાણકારી આપી. PMની બે દિવસીય મુલાકાત સંદર્ભે અધિકારીઓ દ્વારા શેર કરવામાં આવેલી વિગતો મુજબ, વડાપ્રધાન 19 એપ્રિલે બનાસકાંઠાના દિયોદર તાલુકામાં બનાસ ડેરીના નવા દૂધ પ્રોસેસિંગ યુનિટનું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન બનાસ ડેરીમાં દૂધ એકત્ર કરતી 1.5 લાખ મહિલા પશુપાલકોને પણ સંબોધિત કરશે.

પીએમ ઘણા કાર્યક્રમોમાં ભાગ લેશે

પીએમ મોદી આગામી ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનો શિલાન્યાસ કાર્યક્રમ માટે બપોરે જામનગર પહોંચશે. તેની સ્થાપના વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અને કેન્દ્રીય આયુષ મંત્રાલય સાથેના કરાર હેઠળ કરવામાં આવી રહી છે. આયુષ મંત્રાલયની સત્તાવાર જાહેરાત મુજબ, WHOના મહાનિર્દેશક ડૉ. ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે વડાપ્રધાન 20 એપ્રિલે આદિવાસી બહુલ દાહોદ જિલ્લા નજીકના ખ્રોદ ગામમાં એક સભાને સંબોધવાના છે. તે જ સાંજે, તેઓ ગાંધીનગરમાં ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન કોન્ફરન્સ 2022નું ઉદ્ઘાટન કરશે.

આ પણ વાંચો: ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો, નવા 34 કેસ નોંધાયા

આ પણ વાંચો: સાવધાન: ગુજરાતમાં બે દિવસ સિવિયર હીટવેવની આગાહી, એપ્રિલ મહિનાની ગરમીએ પાછલા 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">