AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prime Minister Narendra Modi’s address : વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 10 વાગે રાષ્ટ્રને કરશે સંબોધન, રસીકરણના 100 કરોડ ડોઝ, કોરોના અંગે કરી શકે છે વાત

પીએમઓ દ્વારા કરાયેલા ટ્વીટમાં જણાવાયુ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શુક્રવારે સવારે 10 કલાકે દેશને સંબોધન કરશે.

Prime Minister Narendra Modi's address : વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 10 વાગે રાષ્ટ્રને કરશે સંબોધન, રસીકરણના 100 કરોડ ડોઝ, કોરોના અંગે કરી શકે છે વાત
Prime Minister Narendra Modi (file photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 22, 2021 | 8:35 AM
Share

Prime Minister Narendra Modi’s address to the nation : વડાપ્રધાન નરેન્દ્ર મોદી  સવારે 10 વાગે રાષ્ટ્રને કરશે સંબોધન, પીએમઓ દ્વારા ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપવામાં આવી છે. ટ્વીટમાં જણાવાયુ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 10 કલાકે દેશને સંબોધન કરશે.

એવુ માનવમાં આવે છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આજે 22મી ઓક્ટોબરના રોજ રાષ્ટ્રને સંબોધન દરમિયાન, ભારતે હાંસલ કરેલ રસીકરણના 100 કરોડ ડોઝની ( 100 crore vaccination ) સિદ્ધિ અંગે વાત કરી શકે છે. તો સાથોસાથ, ભારતે કોરોનાના ( CORONA) કપરા કાળમાં અનેક પડકારો વચ્ચે મેળવેલી સફળતા અંગે પણ વાત કરી શકે છે.

ભારતે, રસીકરણના 100 કરોડ ડોઝ ( 100 crore vaccination ) આપવાનો આંકડો ગુરુવારે પાર કરીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે. આવી સ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશને સંબોધન કરવા જઈ રહ્યા છે. પીએમ મોદીના સંબોધનમાં, કોવિડ રસીકરણ (Covid19 vaccination) અંગે દેશના અથાક પ્રયત્નો વિશે વાત થઈ શકે છે. આ સાથે, પ્રધાનમંત્રી કોવિડ ( Covid 19) સંબંધિત પડકારો વિશે દેશવાસીઓને સંબોધિત પણ કરી શકે છે.આ તમામ વિષયોને લઈને પીએમ મોદી આજે શુક્રવારને 22મી ઓક્ટોબરના રોજ સવારે 10 વાગ્યે રાષ્ટ્રને સંબોધન કરશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) ગુરુવારે કહ્યું હતુ કે છેલ્લા 100 વર્ષોની સૌથી મોટી વૈશ્વિક મહામારી સામે લડવા માટે દેશ પાસે હવે મજબૂત ‘રક્ષણ કવચ’ છે, કારણ કે ભારતે કોવિડ વિરોધી રસીકરણ હેઠળ 100 કરોડ ડોઝનો આંકડો પાર કર્યો છે. પીએમ મોદીએ રસીકરણની આ સિદ્ધિને ભારતીય વિજ્ઞાન, અને 130 કરોડ ભારતીયોના સાહસ, સામૂહિક ભાવનાની જીત ગણાવી. રામ મનોહર લોહિયા (RML) હોસ્પિટલની મુલાકાત લીધી જ્યાં તેમણે આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન વર્કર અને રસીકરણ માટે પહોંચેલા લાભાર્થીઓ સાથે વાતચીત કરી.

વડાપ્રધાને એમ પણ કહ્યું કે “21 ઓક્ટોબર, 2021” નો દિવસ ઇતિહાસમાં નોંધવામાં આવ્યો છે. ભારતે થોડા સમય પહેલા રસીના 100 કરોડ ડોઝ આપવાનો આંકડો પાર કર્યો હતો. જે કોરોના સામે સુરક્ષા કવચ સ્વરૂપ છે. આ ભારતની સિદ્ધિ છે, ભારતના દરેક નાગરિકની સિદ્ધિ છે.

મોદીએ ટ્વિટ કર્યું હતું કે, ભારતે ઇતિહાસ રચ્યો છે. અમે ભારતીય વિજ્ઞાન અને 130 કરોડ ભારતીયોના સાહસ, સામૂહિક ભાવનાની જીત જોઈ રહ્યા છીએ. રસીકરણમાં 100 કરોડના ડોઝનો આંકડો પાર કરવા બદલ ભારતને અભિનંદન. આપણા ડોકટરો, નર્સો અને રસીકરણ અંતર્ગત 100 કરોડ ડોઝની સિદ્ધિ હાંસલ કરવા માટે દરેક સ્તરે કામ કરનારા તમામનો આભાર.

આ પણ વાંચોઃ

CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિણર્ય: રૂપાણી કાર્યકાળમાં જનતાને ઘર આંગણે લાભ આપનારો આ કાર્યક્રમ ફરી યોજાશે, જાણો વિગત

આ પણ વાંચોઃ

Petrol-Diesel Price Today : સતત ત્રીજા દિવસે પેટ્રોલ – ડીઝલના ભાવમાં વધારો ઝીકાયો,આ રીતે જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ

Follow Us
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
g clip-path="url(#clip0_868_265)">