AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jamnagar: શહેરમાં આંગણવાડીની હાલત દયનીય, ક્યાંક ભાડાની જગ્યામાં તો ક્યાંક તૂટેલી છત નીચે ચાલે છે આંગણવાડી

સરકાર દ્વારા આંગણવાડી માટે વિવિધ પ્રકારની સવલતો, સાધનો, રમકડા, અનાજ, ઉપકરણો સહિતની વ્યવસ્થા આપવામાં આવે છે. પરંતુ એક હોલમાં ચાલતી સામુહિક આંગણવાડીના કારણે આવા સાધનો, રમકડા સહિતની વસ્તુઓનો યોગ્ય ઉપયોગ થઈ શકતો નથી.

Jamnagar: શહેરમાં આંગણવાડીની હાલત દયનીય, ક્યાંક ભાડાની જગ્યામાં તો ક્યાંક તૂટેલી છત નીચે ચાલે છે આંગણવાડી
Aanganvadi (Symbolic Image)
Divyesh Vayeda
| Edited By: | Updated on: Feb 26, 2022 | 10:54 AM
Share

જામનગર (Jamnagar)શહેરમાં આંગણવાડી (Anganvadi)ની હાલત દયનીય છે. કેમકે આંગણવાડી માટે જગ્યા નથી. કયાંક ભાડાની જગ્યામાં તો કયાંક એક સાથે 2 કે તેથી વધુ આંગણવાડી ચાલે છે. ઘણી બધી જગ્યાએ કોમ્યુનિટી હોલ (Community Hall)માં એક સાથે અનેક આંગણવાડી ચાલે છે. એ પણ કામચલાઉ નહી પરંતુ વર્ષોથી આ પ્રકારની સ્થિતી છે.

જામનગર શહેરમાં આંગણવાડીની હાલત દયનીય જોવા મળી રહી છે. જામનગર મહાનગર પાલિકા દ્રારા આંગણવાડી માટે કરોડો રૂપિયાનો ખર્ચ તો થાય છે. પરંતુ જે રીતે આંગણવાડી ચાલે છે. તેને સામુહિક આંગણવાડી કહી શકાય. એવું એટલા માટે કેમકે અહીં એક સાથે બે કે તેથી વધુ આંગણવાડી એક જ છત નીચે ચાલતી હોય છે. શંકર ટેકરી વિસ્તારમાં તો એક બે નહીં એક સાથે 5 આંગણવાડી સાથે ચાલે છે. તે પણ કોમ્યુનિટી હોલમાં અને કામચલાઉ સ્થિતિ હોય તો ય સમજ્યા આ તો છેલ્લા 9 વર્ષથી આ જ સ્થિતિમાં ચાલે છે. તો અન્ય એક આંગણવાડી જર્જરિત બિલ્ડિંગમાં પહેલા માળે છે. જેમાં બે નાના રૂમમાં કુલ ચાર આંગણવાડી કાર્યરત છે. જયાં છત પરથી પોપડા પડતા હોય છે, આમાં બાળકો પર જોખમ વધે છે તે અલગ.

સરકાર દ્વારા આંગણવાડી માટે વિવિધ પ્રકારની સવલતો, સાધનો, રમકડા, અનાજ, ઉપકરણો સહિતની વ્યવસ્થા આપવામાં આવે છે. પરંતુ એક હોલમાં ચાલતી સામુહિક આંગણવાડીના કારણે આવા સાધનો, રમકડા સહિતની વસ્તુઓનો યોગ્ય ઉપયોગ થઈ શકતો નથી. કયાંક જગ્યાના અભાવે તે રાખી નથી શકાતા, તો કયાંક વરસાદી પાણી ભરાતા આવા સાધનો બગડી ગયા છે. એક હોલમાં 5 આંગણવાડીના બાળકો સાથે હોય તો કલબલાટ વચ્ચે આંગણવાડીની પ્રવૃતિ થઈ શકતી નથી. પાંચ આંગણવાડીના સંચાલિકા એક હોલમાં 100થી વધુ બાળકોને રાખવા મુદે અનેક મુશ્કેલીનો સામનો કરે છે.

જામનગર મહાનગર પાલિકાની કુલ 309 આંગણવાડી કાર્યરત છે. જેમાંથી પોતાના મકાનમાં ચાલતી આંગણવાડી માત્ર 161 છે. 36 આંગણવાડી પ્રાથમિક શાળાના મકાનમાં ચાલે છે. 60 આંગણવાડી કોમ્યુનિટી હોલમાં ચાલે છે. 52 જેટલી આંગણવાડી ભાડાના મકાનમાં ચાલે છે. 60 પૈકી અનેક એવી આંગણવાડીઓ છે જે એક જ હોલમાં 2 કે તેથી વધુ આંગણવાડી કાર્યરત છે. વર્ષોથી અહીં આ જ સ્થિતિ છે અને હવે રહી રહીને જામનગર મહાનગરપાલિકાના નાયબ કમિશનર એ. કે. વસ્તાની નવા આયોજન કરવાની વાત કરે છે. જો કે આ આયોજનો પણ ક્યારે પુરા થશે તેના પર સવાલ છે.

સરકાર દ્વારા આંગણવાડી માટે કરોડો રૂપિયા ખર્યાય છે, પરંતુ સ્થાનિક તંત્ર આંગણવાડીની જગ્યા મુદે કોઈ દરકાર નથી કરતું જેને કારણે તેને યોગ્ય રીતે લાભ મળતો નથી. એક સાથે અનેક આંગણવાડી માત્ર દેખાવની છે એવું જોવા મળે છે. એના કારણે બાળકો અને સંચાલકોને શું મુશ્કેલી છે એની કોઈ જ પરવાહ કરાતી નથી. આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે તે માટે સરકારી તંત્ર જાગે તે જરૂરી છે.

આ પણ વાંચો-

Ahmedabad: અમરાઇવાડી પોલીસની ગેરવર્તણુંક મામલે મેટ્રો કોર્ટની લાલ આંખ, અમરાઇવાડીના PSI બારોટ અને PI રૉઝિયાને ફટકારી નોટિસ

Follow Us
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
g clip-path="url(#clip0_868_265)">