Jamnagar: શહેરમાં આંગણવાડીની હાલત દયનીય, ક્યાંક ભાડાની જગ્યામાં તો ક્યાંક તૂટેલી છત નીચે ચાલે છે આંગણવાડી

સરકાર દ્વારા આંગણવાડી માટે વિવિધ પ્રકારની સવલતો, સાધનો, રમકડા, અનાજ, ઉપકરણો સહિતની વ્યવસ્થા આપવામાં આવે છે. પરંતુ એક હોલમાં ચાલતી સામુહિક આંગણવાડીના કારણે આવા સાધનો, રમકડા સહિતની વસ્તુઓનો યોગ્ય ઉપયોગ થઈ શકતો નથી.

Jamnagar: શહેરમાં આંગણવાડીની હાલત દયનીય, ક્યાંક ભાડાની જગ્યામાં તો ક્યાંક તૂટેલી છત નીચે ચાલે છે આંગણવાડી
Aanganvadi (Symbolic Image)
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Feb 26, 2022 | 10:54 AM

જામનગર (Jamnagar)શહેરમાં આંગણવાડી (Anganvadi)ની હાલત દયનીય છે. કેમકે આંગણવાડી માટે જગ્યા નથી. કયાંક ભાડાની જગ્યામાં તો કયાંક એક સાથે 2 કે તેથી વધુ આંગણવાડી ચાલે છે. ઘણી બધી જગ્યાએ કોમ્યુનિટી હોલ (Community Hall)માં એક સાથે અનેક આંગણવાડી ચાલે છે. એ પણ કામચલાઉ નહી પરંતુ વર્ષોથી આ પ્રકારની સ્થિતી છે.

જામનગર શહેરમાં આંગણવાડીની હાલત દયનીય જોવા મળી રહી છે. જામનગર મહાનગર પાલિકા દ્રારા આંગણવાડી માટે કરોડો રૂપિયાનો ખર્ચ તો થાય છે. પરંતુ જે રીતે આંગણવાડી ચાલે છે. તેને સામુહિક આંગણવાડી કહી શકાય. એવું એટલા માટે કેમકે અહીં એક સાથે બે કે તેથી વધુ આંગણવાડી એક જ છત નીચે ચાલતી હોય છે. શંકર ટેકરી વિસ્તારમાં તો એક બે નહીં એક સાથે 5 આંગણવાડી સાથે ચાલે છે. તે પણ કોમ્યુનિટી હોલમાં અને કામચલાઉ સ્થિતિ હોય તો ય સમજ્યા આ તો છેલ્લા 9 વર્ષથી આ જ સ્થિતિમાં ચાલે છે. તો અન્ય એક આંગણવાડી જર્જરિત બિલ્ડિંગમાં પહેલા માળે છે. જેમાં બે નાના રૂમમાં કુલ ચાર આંગણવાડી કાર્યરત છે. જયાં છત પરથી પોપડા પડતા હોય છે, આમાં બાળકો પર જોખમ વધે છે તે અલગ.

સરકાર દ્વારા આંગણવાડી માટે વિવિધ પ્રકારની સવલતો, સાધનો, રમકડા, અનાજ, ઉપકરણો સહિતની વ્યવસ્થા આપવામાં આવે છે. પરંતુ એક હોલમાં ચાલતી સામુહિક આંગણવાડીના કારણે આવા સાધનો, રમકડા સહિતની વસ્તુઓનો યોગ્ય ઉપયોગ થઈ શકતો નથી. કયાંક જગ્યાના અભાવે તે રાખી નથી શકાતા, તો કયાંક વરસાદી પાણી ભરાતા આવા સાધનો બગડી ગયા છે. એક હોલમાં 5 આંગણવાડીના બાળકો સાથે હોય તો કલબલાટ વચ્ચે આંગણવાડીની પ્રવૃતિ થઈ શકતી નથી. પાંચ આંગણવાડીના સંચાલિકા એક હોલમાં 100થી વધુ બાળકોને રાખવા મુદે અનેક મુશ્કેલીનો સામનો કરે છે.

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

જામનગર મહાનગર પાલિકાની કુલ 309 આંગણવાડી કાર્યરત છે. જેમાંથી પોતાના મકાનમાં ચાલતી આંગણવાડી માત્ર 161 છે. 36 આંગણવાડી પ્રાથમિક શાળાના મકાનમાં ચાલે છે. 60 આંગણવાડી કોમ્યુનિટી હોલમાં ચાલે છે. 52 જેટલી આંગણવાડી ભાડાના મકાનમાં ચાલે છે. 60 પૈકી અનેક એવી આંગણવાડીઓ છે જે એક જ હોલમાં 2 કે તેથી વધુ આંગણવાડી કાર્યરત છે. વર્ષોથી અહીં આ જ સ્થિતિ છે અને હવે રહી રહીને જામનગર મહાનગરપાલિકાના નાયબ કમિશનર એ. કે. વસ્તાની નવા આયોજન કરવાની વાત કરે છે. જો કે આ આયોજનો પણ ક્યારે પુરા થશે તેના પર સવાલ છે.

સરકાર દ્વારા આંગણવાડી માટે કરોડો રૂપિયા ખર્યાય છે, પરંતુ સ્થાનિક તંત્ર આંગણવાડીની જગ્યા મુદે કોઈ દરકાર નથી કરતું જેને કારણે તેને યોગ્ય રીતે લાભ મળતો નથી. એક સાથે અનેક આંગણવાડી માત્ર દેખાવની છે એવું જોવા મળે છે. એના કારણે બાળકો અને સંચાલકોને શું મુશ્કેલી છે એની કોઈ જ પરવાહ કરાતી નથી. આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે તે માટે સરકારી તંત્ર જાગે તે જરૂરી છે.

આ પણ વાંચો-

Ahmedabad: અમરાઇવાડી પોલીસની ગેરવર્તણુંક મામલે મેટ્રો કોર્ટની લાલ આંખ, અમરાઇવાડીના PSI બારોટ અને PI રૉઝિયાને ફટકારી નોટિસ

ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
g clip-path="url(#clip0_868_265)">