Jamnagar : કોરોના કાળમાં વેપારી સાથે છેતરપિંડી કરનારા ત્રણની પોલીસે ધરપકડ કરી
જામનગર પોલીસે કોરોના કાળમાં કેમિકલના વેપારી પાસેથી 1. 35 કરોડની છેતરપિંડી કરનારા ત્રણ શખ્સની મુંબઈથી ધરપકડ કરી છે.
જામનગર( Jamnagar) માં પોલીસે કોરોના કાળ દરમ્યાન વેપારીને વધુ નફો કમાવી આપવાની લાલચ આપીને 1.35 કરોડની છેતરપિંડી( Fraud) કરનારા ત્રણ શખ્સની ધરપકડ કરી છે.જેમાં છેતરપિંડી કરનારા બે નાઇઝીરીયન નાગરિક સાથે મુંબઈની સ્થાનિક વ્યકિત પણ શામેલ હતી. જો કે સમગ્ર પ્રકરણના હજુ વધુ લોકો સંડોવાયેલા હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું છે.
જામનગરના વેપારી મનોજભાઈ શાહને કેમીકલના વ્યવસાયમાં વધુ નફો કમાવી આપવાની લાલચ આપી મે મહિનામાં તેમની પાસેથી બે શખ્સોએ 1.35 કરોડની રકમની છેતરપીંડી કરી હોવાની પોલીસમાં ફરીયાદ થઈ હતી. જેની તપાસ દરમ્યાન પોલીસ જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરી હતી. તેમજ ટેકનીકલ મદદ માટે સાઈબર પોલીસનો સંપર્ક કર્યો હતો અને તેના પરથી લોકેશન કઢાવાતાં કેટલાક આરોપી મુંબઈમાં હોવાનું માલૂમ પડ્યું હતું.
જેના પગલે મુંબઈ ગયેલી પોલીસની ટીમે આ ગુન્હાના મુખ્ય સુત્રધાર ઓનીએ ઝીલીંગબો હેપ્રોચી ઉર્ફે ચીમા ઉર્ફે એન્થોની (ઉ.વ. ૪૫) તથા ઓકોનકવો પરચેચ્યુઅલ ગીફટ ઉર્ફે માઈકલ ઉર્ફે સોફીયા કેનેડી (ઉ.વ. ૩૭) નામના મહિલાની અને વાયરલેસ એન્ટરપ્રાઇઝના ખાતાધારક જયેશભાઇ વસંતભાઇ રાહીરાસી(ઉવ.32) ની અટકાયત કરી જામનગર લાવવામાં આવ્યા હતા. જેમને ગઈકાલે રીમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજૂ કરાયા હતાં. જેમા અદાલતે આગામી તા. ૧૭ જુલાઇ સુધીના રીમાન્ડ મંજૂર કર્યા છે.
આ પણ વાંચો : Bhoot Police Release Date: આ દિવસે રિલીઝ થશે સૈફ અને અર્જુનની ફિલ્મ ‘ભૂત પુલિસ’, ભૂતોની આવશે આફત
આ પણ વાંચો : Gujarat Monsoon 2021: બંગાળની ખાડીમાં ઉદ્દભવનારી વરસાદી સિસ્ટમ લાવશે ધમાકેદાર વરસાદ, જાણો ગુજરાતમાં ક્યારે આવશે વરસાદ
આ પણ વાંચો : E Charging Station: કેવડીયામાં પહેલા ઈ-ચાર્જિંગ સ્ટેશનનો પ્રારંભ, પ્રવાસીઓ માટે હવે ઈલેક્ટ્રિક વાહનોનાં ઉપયોગ પર ભાર