AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jamnagar : માધ્યમોમાં આવેલા અહેવાલના પડઘારૂપે બંધ રેનબસેરા ચાલુ થતા ઠંડીમાં થથરતા ગરીબોને મળશે આશરો

દૈનિક અનેક લોકો ઠંડીથી બચવા અહી આશરો લે છે. ગ્રાન્ટના અભાવે બંધ રાખવામાં આવેલું શેલ્ટર હોમ (Shelter home )આકરી ઠંડીમાં ખુલ્લૂ મૂકવામાં આવ્યું છે. જેનો લાભ અને ગરીબ તથા શ્રમિકો લઈ રહ્યા છે.

Jamnagar : માધ્યમોમાં આવેલા અહેવાલના પડઘારૂપે બંધ રેનબસેરા ચાલુ થતા ઠંડીમાં થથરતા ગરીબોને મળશે આશરો
જામનગરમાં શરૂ કરવામાં આવ્યું બંધ શેલ્ટર હોમ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 17, 2023 | 9:21 AM
Share

જામનગરમાં કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવેલ રેન બસેરા શોભાના ગાંઠીયા સમાન બન્યું હતું. જેનો અહેવાલ માધ્યમોમાં પ્રસારિત થતા જામનગર મહાનગર પાલિકાએ આ રેન બસેરા કાર્યરત કર્યું છે. ત્યારે ઠંડીમાં થથરતા ગરીબ લોકો હવે અહીં આશરો મેળવી શકશે. રાજયમાં છેલ્લા કેટલાય દિવસોથી ઠંડીનુ પ્રમાણ વધ્યું છે. ત્યારે જાનગર શહેરમાં ઠંડીને કારણે ગરીબોની હાલત કફોડી બની છે ત્યારે તે લોકો અહીં આશરો લઈ  શકે છે.

શીતલહેરની પરિસ્થિતિમાં  શેલ્ટર હોમ થયું કાર્યરત

ગરીબોને ઠંડીના રક્ષણ માટે જામનગર મહાનગર પાલિકા દ્રારા બેડેશ્વર વિસ્તારમાં આવેલા રેનબસેરા બનાવવામાં આવ્યું છે. તે રેનબસેરામાં દિવસ અને રાત્રે સિક્યુરિટી, મહિલાઓ અને પુરુષો માટે અલગ-અલગ ટોયલેટ બાથરૂમ અને અલગ- રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જોકે 161 લાખના ખર્ચે બેડેશ્વર વિસ્તારમાં આવેલું રેન બસેરા ખાલી ખમ પડ્યું હતુ. જેનો અહેવાલ માધ્યમોમાં આવતા મનાપએ આળસ ખંખેરીને લોકપયોગી બને તેવી રીતે કાર્યરત કર્યું છે.

આ પણ વાંચો:શેલ્ટર હોમ શોભાના ગાંઠિયા સમાન ! નિભાવ ખર્ચના અભાવે જામનગરનુ રેનબસેરા ખાલીખમ

શેલ્ટર હોમમાં રાખવામાં આવી છે તમામ સુવિધાઓ

તમામ સુવિધાથી સજજ શેલ્ટર હોમમાં જયાં નવા આવેલા બ્લૅન્કેટ, ચાદર,ઓશિકા જેવી વસ્તુઓનો થોડો જથ્થો પણ ઉપલબ્ધ છે. પરંતુ અન્ય ગ્રાન્ટ ન આવતા આ શેલ્ટર હોમ બંધ કરરવામાં આવ્યું હતું. જોકે હાલમાં મનપાના અધિકારીઓએ ગ્રાન્ટની મંજૂરીની અપેક્ષાએ હાલ શેલ્ટર હોમ કાર્યરત કર્યું છે. દૈનિક અનેક લોકો ઠંડીથી બચવા અહી આશરો લે છે. ગ્રાન્ટના અભાવે બંધ રાખવામાં આવેલું શેલ્ટર હોમ આકરી ઠંડીમાં ખુલ્લૂ મૂકવામાં આવ્યું છે જેનો લાભ અને ગરીબ તથા શ્રમિકો લઈ રહ્યા છે.

અહીં 224 લોકો રહે તેવી વ્યવસ્થા છે. જો કે માત્ર 30 થી 50 લોકો થોડા સમય આવીને જતા રહે છે. એવામાં રેનબસેરાનો તાત્કાલિક ઉપયોગ થાય તે માટે આમ આદમી પાર્ટીના નેતાઓએ પાલિકા પાસે માગ કરી હતી તો બીજી તરફ રેનબસેરાના મેન્ટેન માટે 1.92 કરોડ રૂપિયા મંજુર કરવામાં આવ્યા છે. જે ગ્રાન્ટના 40 ટકા એટલે કે 76.80 લાખ રૂપિયનો પ્રથમ હપ્તો આવ્યા બાદ તેનો વપરાશ શરૂ કરાશે  તેવું  નિવેદન અગાઉ સત્તાધીશોએ આપ્યું હતું પરંતુ માધ્યમોના અહેવાલને પગલે ગ્રાન્ટની આશાએ અને જરૂરિયાતને ધ્યાનમાં રાખતા આ રેનબસેરા શરૂ કરવામં આવ્યું છે.

Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
g clip-path="url(#clip0_868_265)">