AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં થોડા દિવસ ગરમીમાંથી રાહત મળશે, ત્રણ દિવસ બાદ 2 ડિગ્રી વધશે તાપમાન

અરબી સમુદ્ર તરફથી પવન ફૂંકાતા ભેજનું પ્રમાણ વધ્યું હોવાથી લોકોને ગરમીમાં વધુ નહીં શેકાવું પડે. આગામી ત્રણ દિવસ તાપમાન યથાવત્ રહેશે. કેટલાક શહેરોમાં 41 ડીગ્રી આસપાસ તાપમાન રહેવાની શકયતા છે.

ગુજરાતમાં થોડા દિવસ ગરમીમાંથી રાહત મળશે, ત્રણ દિવસ બાદ 2 ડિગ્રી વધશે તાપમાન
Heat wave (Symbolic Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 11, 2022 | 3:36 PM
Share

ગરમીને (Heat) લઈ થોડા રાહતના સમાચાર સામે આવ્યા છે. જી હા હવે ગુજરાતવાસીઓએ (Gujarat)  વધુ ગરમીનો સામનો નહીં કરવો પડે. કારણકે હવામાં ભેજ વધતા તાપમાનનો પારો નીચે જશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાં ભેજ વધતા ગરમીના તાપમાનમાં આંશિક રાહત મળશે અને ગરમીમાં સામાન્ય ઘટાડો થયો છે તેવું હવામાન વિભાગનું કહેવું છે. ગુજરાતમાં સતત બે દિવસથી હીટવેવનો (Heatwave) અનુભવ કરી રહેલા લોકોને આગામી પાંચ દિવસ રાહત મળશે તેવી આગાહી હવામાન(IMD) વિભાગે કરી છે.

ગુજરાતમાં (Gujarat) રવિવારે મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 38 ડિગ્રી થી 42 ડિગ્રી સુધી રહ્યો હતો. જેમાં રાજકોટમાં સૌથી વધારે ગરમી 42. 2 ડિગ્રી નોંધાયું છે. જ્યારે વેરાવળમાં સૌથી ઓછું 38. 2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદ (Ahmedabad) માં 41. 2 ડિગ્રી, વડોદરા 39. 6 ડિગ્રી, ભુજ 40. 2 ડિગ્રી, ભાવનગર 38. 2, ગાંધીનગર 40. 0 ડિગ્રી, રાજકોટ 42. 4 ડિગ્રી, જુનાગઢ 41. 7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તેમજ હવામાન વિભાગની આગાહી મુજબ 10 થી 15 એપ્રિલ સુધી તાપમાનમાં કોઇ ફેરફાર થવાની શકયતા નથી. તેમજ ગરમીમાં પણ ઘટાડો થવાની શક્યતા છે. તેમજ તાપમાન 40 ડિગ્રીની આસપાસ સ્થિર રહે તેવી શક્યતા છે.

અરબી સમુદ્ર તરફથી પવન ફૂંકાતા ભેજનું પ્રમાણ વધ્યું હોવાથી લોકોને ગરમીમાં વધુ નહીં શેકાવું પડે. આગામી ત્રણ દિવસ તાપમાન યથાવત્ રહેશે. કેટલાક શહેરોમાં 41 ડીગ્રી આસપાસ તાપમાન રહેવાની શકયતા છે. જયારે ત્રણ દિવસ બાદ 2 ડિગ્રી જેટલું તાપમાન વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

બીજી તરફ ગુજરાતમાં ઉનાળાને કારણે ગરમ પવન ફુંકાતો રહેશે. ત્યારે હવામાન વિભાગે લોકોને બપોરના 12થી 4 દરમિયાન કામ વગક ઘર બહાર ના નિકળવાની અપીલ કરવામાં આવી છે. તો શરીરને સનસ્ટ્રોક અને ડીહાઈડ્રેશનથી બચાવવા ભરપૂર માત્રામાં લીંબુપાણી પીવાના સુચન કરાયા છે. તો બીજી તરફ હિટવેવની આગાહીને પગલે લોકોને કામ વગર બહાર ન નીકળવા માટે પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો- દહેજની ૐ ઓર્ગેનિક્સ કંપનીના પ્લાન્ટમાં ધડાકો થયો, 5 કામદારોના મોત નિપજ્યા

આ પણ વાંચો- Gujarat Assembly Election 2022: PM મોદી અને HM અમિત શાહનો આ મહિને પણ ગુજરાત પ્રવાસ યથાવત રહેશે, BJP તૈયારીમાં લાગી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">