Gujarat: રાજ્યમાં નોંધાયેલા બેરોજગારો પૈકી શિક્ષિત બેરોજગારોનું પ્રમાણ 95.01%, સરકારી ભરતીનાં દાવા પોકળ

Gujaratમાં નોંધાયેલા કુલ બેરોજગારો પૈકી શિક્ષિત બેરોજગારોનું પ્રમાણ 95.01% છે. રાજ્ય સરકારના(Gujarat Government)  સરકારી ભરતી કરવાના દાવા પોકળ સાબિત થયા છે.

Charmi Katira
| Edited By: | Updated on: Mar 06, 2021 | 12:03 PM

Gujaratમાં નોંધાયેલા કુલ બેરોજગારો પૈકી શિક્ષિત બેરોજગારોનું પ્રમાણ 95.01% છે. રાજ્ય સરકારના(Gujarat Government)  સરકારી ભરતી કરવાના દાવા પોકળ સાબિત થયા છે. રાજ્યમાં 3,92,418 શિક્ષિત બેરોજગાર અને 20,566 અર્ધશિક્ષિત બેરોજગાર મળીને કુલ4,12,985 બેરોજગારો નોંધાયેલા છે. છેલ્લાં 2 વર્ષમાં રાજ્ય સરકારે (Gujarat Government)  માત્ર 1777 બેરોજગારોને સરકારી નોકરી આપી છે. બે વર્ષમાં રાજ્યના મહીસાગર, ખેડા, મોરબી, નર્મદા, નવસારી, ભરૂચ, જૂનાગઢ, અમદાવાદ, સુરત, વડોદરા, કચ્છ, દાહોદ, વલસાડ, તાપી અને ડાંગ મળીને15 જીલ્લાઓમાં એક પણ સરકારી નોકરી આપવામાં આવી નથી.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">