AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat માં માલધારી મહાપંચાયત આકરા પાણીએ, ગાયો અને ગોવાળના પ્રશ્નોને લઈને સૌરાષ્ટ્રમા સંમેલનો યોજશે

નાગજી દેસાઈએ જણાવ્યું કે આંદોલનના ભાગ રૂપે આગામી 30 મેથી 1 જૂન દરમ્યાન ગુજરાત માલધારી મહાપંચાયત સમિતિ રાજકોટ, સુરેન્દ્રનગર, જામજોધપુર, દ્વારકા,પોરબંદર,વેરાવળ,કેશોદ સહિતના વિસ્તારોમાં ગ્રુપ મીટીંગો તેમજ માલધારી મહાસંમેલનો યોજીને માલધારી સમાજના તેમજ ગાયોના પ્રશ્નોને ઉજાગર કરવાના પ્રયાસ કરશે.

Gujarat માં માલધારી મહાપંચાયત આકરા પાણીએ, ગાયો અને ગોવાળના પ્રશ્નોને લઈને સૌરાષ્ટ્રમા સંમેલનો યોજશે
Cow Image Credit source: File Image
Darshal Raval
| Edited By: | Updated on: May 28, 2022 | 9:58 PM
Share

ગુજરાત(Gujarat) માલધારી મહાપંચાયતના(Maldhari Mahapanchayat)  પ્રવકતા નાગજી દેસાઈ એ જાહેરાત કરતા જણાવ્યું કે ગુજરાત વિધાનસભામાં ગાયોના ગૌચર(Gauchar)ગળી જવા લાવવામાં આવેલો કાળો કાયદો(Law)રદ કરવા તેમજ માલધારીઓના વિવિધ પ્રશ્નોને ઉજાગર કરવા તેઓ આંદોલન ચલાવી રહ્યા છે. જેને લઈને તેઓએ અગાઉ ધરણા. રેલી જેવા કાર્યક્રમો પણ આપ્યા. સાથે જ સરકારને જરૂરી રજુઆત પણ કરી. જોકે સરકારે તેમાં ધ્યાન નહિ આપતા ગુજરાત માલધારી મહાપંચાયતની રચના કરવામાં આવી અને આંદોલન ની જાહેરાત કરાઈ. જેમાં સૌ પ્રથમ માલધારી સમાજમાં નવા કાયદાના નુકશાન અને ફાયદા અંગે માહિતી આપતી પત્રિકા વિતરણ શરૂ કરાયુ અને હવે તેઓએ સંમેલનની જાહેરાત કરી છે. જેની સાથે પત્રિકા આંદોલન પણ શરૂ રહેશે.

નાગજી દેસાઈએ જણાવ્યું કે આંદોલનના ભાગ રૂપે આગામી 30 મેથી 1 જૂન દરમ્યાન ગુજરાત માલધારી મહાપંચાયત સમિતિ રાજકોટ, સુરેન્દ્રનગર, જામજોધપુર, દ્વારકા,પોરબંદર,વેરાવળ,કેશોદ સહિતના વિસ્તારોમાં ગ્રુપ મીટીંગો તેમજ માલધારી મહાસંમેલનો યોજીને માલધારી સમાજના તેમજ ગાયોના પ્રશ્નોને ઉજાગર કરવાના પ્રયાસ કરશે.નાગજીભાઈ દેસાઈ વધુમાં જણાવ્યુ કે આ તારીખ દરમ્યાન આ સંમેલનોમાં માલધારી સમાજના સંતો, મહંતો, ભુવાઆતા, ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ, ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ અને રાજકીય સામાજીક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં માલધારી સમાજ ઉપસ્થિત રહેશે.

આ સંમેલનમાં સમાજને એકઠો કરવો. સમાજમાં જાગૃતિ લાવવા પ્રયાસ. કાયદા અંગે શુ કરી શકાય. સરકારને રજુઆત કરવી. કેવા કેવા કાર્યક્રમો આપવા. આંદોલન કેવી રીતે આગળ વધારવું વગેરે જેવા મુદાઓ અંગે ચર્ચા થશે. તેમજ ગુજરાત માલધારી મહાપંચાયત સમિતિએ આગામી દિવસમાં ધારાસભ્યોનો ઘેરાવ કરવાનું પણ વિચારી રહી છે. જે મુદ્દે પણ આ સંમેલનમાં નિર્ણય લેવાઈ શકે છે.

નાગજી દેસાઈએ જણાવ્યું કે આંદોલનના ભાગ રૂપે આગામી 30 મેથી 1 જૂન દરમ્યાન ગુજરાત માલધારી મહાપંચાયત સમિતિ રાજકોટ, સુરેન્દ્રનગર, જામજોધપુર, દ્વારકા,પોરબંદર,વેરાવળ,કેશોદ સહિતના વિસ્તારોમાં ગ્રુપ મીટીંગો તેમજ માલધારી મહાસંમેલનો યોજીને માલધારી સમાજના તેમજ ગાયોના પ્રશ્નોને ઉજાગર કરવાના પ્રયાસ કરશે.

Follow Us
વિવાદમાં ‘લાલો’ ફેમ કરણ જોશી: યુવતીના આરોપ પર અભિનેતાએ આપી સ્પષ્ટતા
વિવાદમાં ‘લાલો’ ફેમ કરણ જોશી: યુવતીના આરોપ પર અભિનેતાએ આપી સ્પષ્ટતા
જૂનાગઢ: પ્રી-મોન્સૂન કામગીરી વિવાદમાં, મનપાના દાવા સામે લોકો નારાજ
જૂનાગઢ: પ્રી-મોન્સૂન કામગીરી વિવાદમાં, મનપાના દાવા સામે લોકો નારાજ
અમદાવાદ મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનને લઈને 26 તારીખે થઈ શકે છે 'જાહેરાત'
અમદાવાદ મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનને લઈને 26 તારીખે થઈ શકે છે 'જાહેરાત'
આણંદ: અમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધાર્યા
આણંદ: અમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધાર્યા
નવા નેતાઓને નીતિન પટેલની કડક શિખામણ, કામ કરીને પ્રજાનો વિશ્વાસ જીતો
નવા નેતાઓને નીતિન પટેલની કડક શિખામણ, કામ કરીને પ્રજાનો વિશ્વાસ જીતો
હવે 'ભાજપ' વિરુદ્ધ 'ભાજપ'! BJP ના બે જૂથ જાહેરમાં મારામારી
હવે 'ભાજપ' વિરુદ્ધ 'ભાજપ'! BJP ના બે જૂથ જાહેરમાં મારામારી
જામનગરના રણમલ લેકમાં પક્ષીઘરમાં પાણીના ફુવારા કાર્યરત કરાયા
જામનગરના રણમલ લેકમાં પક્ષીઘરમાં પાણીના ફુવારા કાર્યરત કરાયા
જુનાગઢમાં ઇંધણની કટોકટી: ડીઝલ અછત અને લાંબી કતારોથી વાહનચાલકોમાં રોષ
જુનાગઢમાં ઇંધણની કટોકટી: ડીઝલ અછત અને લાંબી કતારોથી વાહનચાલકોમાં રોષ
TMCના ઉમેદવાર જહાંગીરે ફલતા બેઠક પરથી ચૂંટણી લડવા કર્યો ઈન્કાર-Video
TMCના ઉમેદવાર જહાંગીરે ફલતા બેઠક પરથી ચૂંટણી લડવા કર્યો ઈન્કાર-Video
રાજકોટમાં ડીઝલ લેવા માટે ખેડૂતોની લાઈન, ઇંધણ ન મળતા ખેતીકામ પર અસર
રાજકોટમાં ડીઝલ લેવા માટે ખેડૂતોની લાઈન, ઇંધણ ન મળતા ખેતીકામ પર અસર
g clip-path="url(#clip0_868_265)">