27 ફેબ્રુઆરીના મહત્વના સમાચાર : ભારત અને કેનેડાના સંબંધોનો નવો અધ્યાય શરૂ, કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની આજથી ભારતની મુલાકાતે
આજે 27 ફેબ્રુઆરીને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES
-
બનાસકાંઠાઃ ડીસામાં જલાણી કોમ્પ્લેક્સની પ્રોટેક્શન દીવાલ ધરાશાયી
બનાસકાંઠાઃ ડીસામાં જલાણી કોમ્પ્લેક્સની પ્રોટેક્શન દીવાલ ધરાશાયી થઇ છે. રાત્રિના સમયે પ્રોટેક્શન દીવાલ ધરાશાયી થઈ હતી. રાત્રિના સમયે ઘટના બની હોવાથી જાનહાની નહીં. ડીસા બજારની વચ્ચોવચ આ કોમ્પ્લેક્સ આવેલું છે.
-
DGCAએ ફ્લાઈટની ટિકિટ બુકિંગ અંગે નવા નિયમો જાહેર કર્યા
ફ્લાઈટની ટિકિટ 48 કલાકમાં રદ કરાવતા ચાર્જ નહીં લાગે. DGCAએ ફ્લાઈટની ટિકિટ બુકિંગ અંગે નવા નિયમો જાહેર કર્યા. મુસાફરોને 48 કલાક સુધી લુક-ઈન ઓપ્શન અપાશે. વધારાના ચાર્જ વગર રિફન્ડની પ્રક્રિયા 14 દિવસમાં પૂર્ણ કરાશે. ક્રેડિટ કાર્ડ દ્વારા ચૂકવણી કરવામાં આવતા 7 દિવસમાં રિફન્ડ મળશે.
-
-
ભારત અને કેનેડાના સંબંધોનો નવો અધ્યાય શરૂ
ભારત અને કેનેડાના સંબંધોનો નવો અધ્યાય શરૂ થયો છે. કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની આજથી ભારતની મુલાકાતે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. વેપાર, ઊર્જા અને ટેકનોલોજી સહિતના મુદ્દાઓ પર ચર્ચા થશે. વડાપ્રધાન તરીકે માર્ક કાર્નીનો પ્રથમ ભારત પ્રવાસ છે.
-
ED એ અનિલ અંબાણીને સમન્સ જાહેર કર્યુ
ED અધિકારીઓના જણાવ્યા અનુસાર, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સતત બીજા દિવસે ઉદ્યોગપતિ અનિલ અંબાણીને સમન્સ જારી કર્યા છે, જેમાં તેમને ₹૪૦,૦૦૦ કરોડના મની લોન્ડરિંગ તપાસના સંદર્ભમાં દિલ્હીમાં તેના મુખ્યાલયમાં તપાસકર્તાઓ સમક્ષ હાજર થવા કહ્યું છે.
-
જૂનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સિટી અંતર્ગત ચાલતી ત્રણ કોલેજ સામે કાર્યવાહી
ઉના પંથકના ભાચા ગામમાં ‘વનિતાબેન બચુભાઈ નાંડોળા બીએડ કોલેજ’ NCTEની બોગસ મંજૂરીના આધારે બે વર્ષ સુધી ધમધમતી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. વાસ્તવમાં NCTE દ્વારા આ કોલેજને કોઈપણ પ્રકારની મંજૂરી આપવામાં આવી ન હતી. આ કૌભાંડમાં જવાબદારોએ NCTEના નામે નકલી મંજૂરીપત્ર તૈયાર કરી ગાંધીનગર ઉચ્ચ શિક્ષણ વિભાગ અને જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં મોકલી આપ્યો હતો.આ બોગસ પત્રને આધારે યુનિવર્સિટીએ પણ કોલેજને વિદ્યાર્થીઓની ફાળવણી કરી દીધી હોવાના અણસાર મળી રહ્યા છે. આટલી મોટી ગેરરીતિ સામે આવ્યા બાદ હવે જવાબદારો સામે કડક પોલીસ ફરિયાદ કરવાની માગ ઉઠી છે.આ અંગે નરસિંહ મહેતા યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરે કહ્યું કે NCRTની માન્યતા રદ થઈ ગઈ હતી તે ધ્યાનમાં આવતા તુરંત જ કાર્યવાહી કરી છે
-
-
રાષ્ટ્રપતિ મુર્મુ જેસલમેર પહોંચ્યા, આજે LCH પ્રચંડને ઉડાન ભરશે
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, રાજસ્થાનની તેમની મુલાકાત દરમિયાન, આજે સવારે જેસલમેર એરફોર્સ સ્ટેશન પર સ્વદેશી રીતે નિર્મિત લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર (LCH) પ્રચંડમાં ઉડાન ભરશે. મુર્મુ ગુરુવારે સાંજે જેસલમેર પહોંચ્યા, જ્યાં રાજસ્થાનના રાજ્યપાલ હરિભાઉ બાગડે અને મુખ્યમંત્રી ભજન લાલ શર્માએ તેમનું સ્વાગત કર્યું. એરફોર્સ સ્ટેશન પર ઔપચારિક સ્વાગત પછી, રાષ્ટ્રપતિનો કાફલો આર્મી સ્ટેશન તરફ આગળ વધ્યો. સમયપત્રક મુજબ, તેઓ જેસલમેર આર્મી સ્ટેશન પર રાત્રિ રોકાણ કરશે. આજે સાંજે, તેઓ વાયુ શક્તિ કવાયતના ભાગ રૂપે પોખરણ રેન્જ પર ભારતીય વાયુસેનાના સ્ટ્રાઇક ક્ષમતા પ્રદર્શનના સાક્ષી બનશે.
આજે 27 ફેબ્રુઆરીને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - Feb 27,2026 7:29 AM