ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આજે વસંત પંચમીના પાવન અવસરે માઘ માસના ચોથા મહાસ્નાન માટે શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવવા દેશભરના કરોડો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. ભારે ધુમ્મસ અને કડકડતી ઠંડી વચ્ચે પણ ભક્તોમાં ઉત્સાહ યથાવત જોવા મળી રહ્યો છે. પ્રશાસન દ્વારા સાડા ત્રણ કિલોમીટર લાંબા સ્નાન ઘાટને ખાસ રીતે તૈયાર કરવામાં આવ્યો છે. અંદાજ મુજબ એક કરોડથી વધુ શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ પહોંચે તેવી શક્યતા છે. સુરક્ષાની દ્રષ્ટિએ સમગ્ર વિસ્તારમાં CCTV અને ડ્રોન કેમેરા દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે.
23 જાન્યુઆરીના મહત્વના સમાચાર : ભાજપ હવે ગુજરાતના 18,000 ગામડાઓમાં જી રામ જી યોજનાના ગુણગાન ગાશે, સંગઠન દ્વારા ખાટલા બેઠકો યોજાશે
આજે 23 જાન્યુઆરીને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 23 જાન્યુઆરીને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
ભાજપ હવે ગુજરાતના 18,000 ગામડાઓમાં જી રામ જી યોજનાના ગુણગાન ગાશે, સંગઠન દ્વારા ખાટલા બેઠકો યોજાશે
પીએમ મોદીના નેતૃત્વમાં શ્રમેવ જયંતેના મંત્ર સાથે વિકસિત ભારત જી રામ જી યોજનાનો આરંભ થવા જઈ રહ્યો છે. જી રામ જી જન જાગરણ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. વિકસિત ગામ હશે વિકસિત રાજ્ય થશે. પીએમ મોદીના લેવાયેલા પગલાં વિકસિત ભારતના સંદર્ભે સરકારે રોડ મેપ બનાવ્યો છે. વિકસિત ભારત રાષ્ટ્રીય ગ્રામીણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન અને પીએમ ગવર્નન્સ સાથે જોડાઈ છે. ગુજરાતના 18 હજાર ગ્રામ પંચાયતોમાં માહિતી અપાશે. ખેડૂતોને લાભ થશે, મનરેગાની ત્ત્રુટી દૂર કરી લોકોની વચ્ચે યોજના લઈ જવાશે. જિલ્લા કક્ષાએ અને મંડલ કક્ષાએ કાર્યશાળા થશે. ખેડૂતો અને શ્રમિકોના વિશાળ સંમેલનો થશે. ભાજપ સંગઠન ખાટલા બેઠકો કરશે. સરકાર સહાય સાથે યોજનાનો લાભ નો વ્યાપ વધારાશે
-
અમદાવાદના ગોતામાં પૂરપાટ આવતી AMTS બસે ત્રણ વાહન ટક્કર મારી
અમદાવાદના ગોતામાં પૂરપાટ આવતી AMTS બસે ત્રણ વાહન ટક્કર મારી. અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. AMTS બસે સ્કૂલ વાન સાથે અથડાતા જ ટેમ્પો -રિક્ષાને પણ ટક્કર મારી હતી. સદનસીબે સ્કૂલ વાનમાં કોઈ બાળક ના હતું માટે જાનહાનિ ટળી છે. રિક્ષા ચાલક અને સ્કૂલવાન ચાલકને ઇજા થઈ છે. એ ડિવિઝન ટ્રાફિક પોલીસે AMTS બસ ચાલક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી..
-
-
રાજકોટના ગોંડલમાં ગુમ થયેલી બે સગીરાને પોલીસે પરબવાવથી છોડાવી, બે શખ્સોની ધરપકડ
રાજકોટના ગોંડલમાં ગુમ થયેલી બે સગીરાને પોલીસે પરબવાવથી છોડાવી છે. સગીરાને ભગાડી જવા અંગે બે શખ્સની ધરપકડ કરવામાં આવી છે. ગત 20 જાન્યુઆરીના રોજ, શાળાએથી ગુમ થયેલી ધોરણ-9 ની બે સખીને ગોંડલ શહેર A-ડિવિઝન પોલીસે ભેસાણના પરબવાવથી સુરક્ષિત રીતે શોધી કાઢી છે. મોબાઈલ ફોનનો ઉપયોગ ના કરાતો હોવા છતાં, PI એલ.આર.ગોહિલ અને તેમની ટીમે ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે હાર્દિક જેન્તીભાઈ શેખવા અને પરેશ કાનજી બન્ને રહે નાગડકા રોડ, ગોંડલની ધરપકડ કરી છે. આરોપીઓ વિરુદ્ધ પોકસો (POCSO) 4/6 તથા BNS 137, 87 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
-
બાકી લેણા વસૂલવા માટે પાલડીની પ્રભુદાસ ઠક્કર આર્ટ્સ-કોમર્સ કોલેજને અમદાવાદ મનપા તંત્રએ સીલ કરી
સરકાર હસ્તગત પ્રભુદાસ ઠક્કર આર્ટ્સ-કોમર્સ કોલેજને અમદાવાદ મનપા તંત્રએ સીલ કરી. પાલડીની પ્રભુદાસ ઠક્કર આર્ટ્સ-કોમર્સ કોલેજને AMC એ સીલ કરી છે. કોલેજનો પ્રોપર્ટી ટેક્સ બાકી હોવાથી પરીક્ષા પૂર્વે જ સીલ કરી દેવાઈ છે. મધ્યસત્ર કામગીરીથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર થવાની સંભાવના છે. યુનિવર્સિટી હોલ ટિકિટ વહેચણી ચાલી રહી છે, ત્યારે જ કોલેજ સીલ થતા વિદ્યાર્થીઓ અટવાયા છે. અધ્યાપક મંડળે શૈક્ષણિક સંસ્થાનું સીલ ખોલવા રજૂઆત કરી છે. વિદ્યાર્થીઓના હિતમાં સીલ ખોલવા એએમસી સમક્ષ માંગ કરાઈ છે. ત્રણ વર્ષથી સરકારી વહીવટદાર હોવા છતાં પ્રોપર્ટી ટેક્સ બાકી રહેતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.
-
SIR અંતર્ગત ગુજરાતમાં મતદાર યાદીમાંથી નામ રદ કરવા 12,59,229 ફોર્મ મળ્યા
ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) હાથ ધરવામાં આવી છે. ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) ઝુંબેશની ગણતરીના તબક્કાની અસરકારક કામગીરી બાદ 19 ડિસેમ્બર 2025ના રોજ મુસદ્દા મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી હતી.
હવે તા.30 જાન્યુઆરી 2026 સુધીમાં જે મતદારો મતદાર યાદીમાં પોતાના નામ સમાવવા અથવા મતદાર યાદીમાંથી નામ બાકાત થવા સબંધી જે કંઇ વાંધા-દાવા રજૂ કરવા માંગતા હોય તેઓ તે રજૂ કરી શકશે. જેના અનુસંધાને આખરી મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે તા.22 જાન્યુઆરી, 2026 સુધીમાં કુલ 6,54,594 ફોર્મ 6 અને 6એ મળ્યા છે. જ્યારે જે-તે વિધાનસભા મતવિસ્તારમાંથી નામ કમી કરવા માટે 12,59,229 ફોર્મ 7 મળ્યા છે. આ ઉપરાંત સુધારણા તથા સ્થળાંતરના હેતુ સાથે કુલ 5,04,835 ફોર્મ 8 પ્રાપ્ત થયા છે.
-
-
લીમખેડા તાલુકાના દુધીયાધરા ગામે શિક્ષકે કરી આત્મહત્યા
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દુધીયાધરા ગામે શિક્ષકે કરી આત્મહત્યા. દુધીયાધરા મુખ્ય પ્રાથમિક શાળાના શિક્ષક ફુલાભાઈ ડામોરે વહેલી સવારે પોતાના મકાનમાં ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા. શિક્ષકની સાથે BLO તરીકે બજાવતા હતા ફરજ. પરિવારજનોએ તાત્કાલિક લીમખેડા સરકારી દવાખાને ખસેડ્યા. ડોક્ટરે શિક્ષકને મૃત જાહેર કર્યા. લીમખેડા પોલીસે અકસ્માત મોતની ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી છે.
-
અમરેલી: જિલ્લામાં ટ્રેન ઉથલાવવા પ્રયાસથી ચકચાર
અમરેલી: જિલ્લામાં ટ્રેન ઉથલાવવા પ્રયાસથી ચકચાર મચી છે. ચિતલ અને ખીજડિયા વચ્ચે રેલવે ટ્રેક પર ટ્રેન ઉથલાવવા પ્રયાસ છે. અજાણ્યા ઈસમો દ્વાર ટ્રેક પર પથ્થરો નાખવામાં આવ્યા. ફેનસિંગ માટેનો પોલ ટ્રેક પર મળી આવતા કાવતરાની આશંકા છે. ભાવનગર-પોરબંદર પેસેન્જર ટ્રેન પસાર થતા અસામાન્ય અવાજ આવ્યો. ટ્રેનના પાયલોટે સતર્કતા દાખવતા સત્વરે ટ્રેન ઊભી રાખી. ટ્રેન પોલ નજીક પહોંચે તે પહેલાં જ ઊભી રાખતા મોટી દુર્ઘટના ટળી. ટ્રેનના ચાલકે પોલ હટાવી રેલવે વિભાગને જાણ કરી. પોલીસ સહિતની ટીમો એલર્ટ પર, સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરુ થયો છે.
-
સુરતના સુવાલી રોડ પર ભયાવહ અકસ્માત, બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત
સુરત શહેરના સુવાલી રોડ પર આજે વહેલી સવારે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. રોડ પર બંધ પડેલા ટ્રક પાછળ બાઈક ચાલક ઘૂસી જતા યુવકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.પ્રાપ્ત માહિતી મુજબ, ટ્રક ચાલકે વાહનને રોડની બાજુમાં મૂકવાને બદલે બેદરકારીપૂર્વક રસ્તા પર જ પાર્ક કરી દીધું હતું. આ દરમિયાન ધુમ્મસના કારણે રોડ પર ઉભેલો ટ્રક બાઈક ચાલકને દેખાયો ન હતો, જેના કારણે બાઈક સીધું જ ટ્રકમાં ઘૂસી ગયું હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. મૃતક યુવક જૂનાગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ટ્રક ચાલકની બેદરકારીને કારણે અકસ્માત થયો હોવાના આક્ષેપો સાથે પોલીસે મામલે તપાસ શરૂ કરી છે.
-
પંચમહાલઃ ખેરના લાકડાની તસ્કરી મુદ્દે EDની મોટી કાર્યવાહી
પંચમહાલઃ ખેરના લાકડાની તસ્કરી મુદ્દે EDની મોટી કાર્યવાહી સામે આવી છે. ગોધરામાંથી 11.3 કરોડની સંપત્તિએ EDએ જપ્ત કરી. ગોધરાના બે શખ્સોએ ખેરના લાકડાની તસ્કરી કરી આવક મેળવી હતી. તાપી, વ્યારા, નવસારી, નર્મદા જિલ્લામાં વૃક્ષોની કાપણી કરી હતી. માંડવી દક્ષિણ રેંજના વન અધિકારીએ ફરિયાદ નોંધાવી હતી.
-
સુરેન્દ્રનગરઃ ઉપસરપંચના ત્રાસથી યુવકના આપઘાતનો આરોપ
સુરેન્દ્રનગરઃ ઉપસરપંચના ત્રાસથી યુવકના આપઘાતનો આરોપ લાગ્યો છે. સાંકળી ગામના ઉપસરપંચના ત્રાસથી યુવકે આત્મહત્યા કર્યાનો દાવો છે. પરિવારજનોએ યુવકનો મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો. SP સહિતનો કાફલો સુરેન્દ્રનગર મેડિકલ કોલેજ પહોંચ્યો છે. ઉપસરપંચ દ્વારા યુવકને માર મારી વીડિયો ઉતારવામાં આવ્યાનો આરોપ છે. યુવકને બદનામ કરવાની ધમકી આપી હોવાનો આક્ષેપ છે.
-
અમદાવાદઃ વિદેશી પક્ષીનો શિકાર કરતી ટોળકીનો પર્દાફાશ
અમદાવાદઃ વિદેશી પક્ષીનો શિકાર કરતી ટોળકીનો પર્દાફાશ થયો છે. શિકાર કરેલી હાલતમાં વિદેશી પક્ષીઓ મળી આવ્યા. નળકાંઠાના ધરજી મેણીવાડા ફળીયામાંથી વન વિભાગે દરોડા પાડતા 3 મકાનમાં પાંખો કપાયેલી હાલતમાં 37 પક્ષીઓ મળી આવ્યા. 38માંથી 11 પક્ષીના મોત, 27 પક્ષીને સારવાર માટે મોકલાયા. શિકારી ટોળકીને ફરાર ત્રણ આરોપીને પકડવા કવાયત હાથ ધરાઇ.
-
રાજકોટમાં ચાંદીના રેકોર્ડ ઉછાળથી બજારમાં મંદીનો માહોલ
રાજકોટના બજારમાં ચાંદીના ભાવમાં રેકોર્ડ ઉછાળ થતા વેપારીઓ અને કારખાનાઓ પર અસર જોવા મળી રહી છે. શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ લગભગ એક હજાર જેટલા કારખાનાઓએ ઉત્પાદન રોકવાની નિર્ણય લીધો છે. નાના અને મોટા કારખાનાના માલિકો ચાંદીના ભાવની અનિશ્વિતતાથી ચાંદી ખરીદવામાં અચકાઇ રહ્યા છે. ઉદ્યોગસામગ્રીના અદભૂત ભાવ પરિવર્તનના કારણે 10થી 15 હજાર જેટલા કારીગરો બેરોજગાર બન્યા હોવાની માહિતી મળી છે. ગઇકાલે માત્ર એક જ દિવસમાં ચાંદીના ભાવમાં 34 હજાર રૂપિયાની ઉથલપાથલ નોંધાઈ હતી. આ કારણે વેપારીઓ બજારમાં વ્યવસાયમાં સાવચેત થઈ રહ્યા છે અને બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે.
-
રાજ્યમાં કમોસમી વરસાદ અને પવનની આગાહી: અંબાલાલ પટેલ
ગુજરાતના જાણીતા મોસમી વિજ્ઞાનિ અંબાલાલ પટેલે રાજ્યના વાતાવરણ અંગે મહત્વપૂર્ણ આગાહી કરી છે. તેમનું કહેવું છે કે 25 અને 26 જાન્યુઆરીના રોજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના અસરકારક પ્રવાહને કારણે રાજ્યમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડી શકે છે. આ વચ્ચે, જાન્યુઆરી મહિનાના અંત સુધી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ યથાવત રહેશે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, કમોસમી વરસાદના પગલે રાજ્યના અનેક ભાગોમાં ઠંડીનો ચમકારો નોંધાશે અને લોકોમાં ઠંડીની અસર વધુ અનુભવાઈ શકે છે. તેમ સાથે, ફેબ્રુઆરી મહિનામાં પણ વાતાવરણમાં પલટો આવી શકે છે, જે કમોસમી વરસાદ અને પવનની વધુ કામગીરીનો સંકેત છે.
-
અમદાવાદઃ પ્રજાસત્તાક દિવસને લઈ એરપોર્ટ પર હાઈએલર્ટ
અમદાવાદઃ પ્રજાસત્તાક દિવસને લઈ એરપોર્ટ પર હાઈએલર્ટ. અમદાવાદ એરપોર્ટ દ્વારા મુસાફરો માટે એડવાઇઝરી જાહેર કરાઇ. ઉડાન પહેલાના ચેકિંગ માટે વહેલા આવવા સૂચના અપાઇ. એરપોર્ટ પર આવતા-જતા પેસેન્જરોનું સઘન ચેકિંગ હાથ ધરાયુ. ફ્લાઈટમાં બેસતા પહેલાં પેસેન્જરના હેન્ડ લગેજનું બે વખત ચેકિંગ હાથ ધરાયુ.
-
સુરતઃ હજીરામાંથી મળી આવેલા મૃતદેહનો ભેદ ઉકેલાયો
સુરતઃ હજીરામાંથી મળી આવેલા મૃતદેહનો ભેદ ઉકેલાયો છે. મૃતકના 2 રૂમમેટે જ હત્યા કરી હોવાનું સામે આવ્યું. બે આરોપીની ધરપકડ કરવામાં આવી. મૂળ પંજાબના ત્રણ યુવક સાથે રહેતા હતા. ત્રણેય રૂમમેટ વચ્ચે અવારનવાર થતા હતા ઝઘડા. 17 જાન્યુઆરીએ આરોપીઓએ યુવકની હત્યા કરી હતી. ગળું દબાવ્યા બાદ દીવાલ સાથે માથું ભટકાવી હત્યા કરી હતી.
-
ઉત્તર પ્રદેશ: પ્રયાગરાજમાં આજે વસંત પંચમીનું મહાસ્નાન
-
અમદાવાદઃ શહેરની સ્કૂલને ફરી મળી ઉડાવી દેવાની ધમકી
અમદાવાદઃ શહેરની સ્કૂલને ફરી મળી ઉડાવી દેવાની ધમકી મળી. 7 સ્કૂલને ફરી મળ્યો ધમકી ભર્યો મેઇલ. સેંટ ઝેવિયર્સ અને સંત કબીર સ્કૂલ સહિત અનેક શાળાને મળ્યો મેઇલ.ધમકીભર્યો મેઈલ મળ્યા બાદ સ્કૂલમાં ચેકિંગ હાથ ધરાયુ
-
ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં વાતાવરણમાં પલટો
ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ઠંડા પવનો સાથે દિલ્લીમાં વરસાદી માહોલ છવાયો. રાજસ્થાનના જયપુર સહિતના વિસ્તારોમાં માવઠું છે. હિમાચલ પ્રદેશના મનાલીમાં હિમવર્ષાના એલર્ટ વચ્ચે વરસાદ ખાબક્યો. જમ્મુ-કાશ્મીરમાં પણ શિયાળામાં વરસાદી માહોલ છે.
-
મહેસાણાઃ વિસનગરના વાતાવરણમાં પલટો
મહેસાણાઃ વિસનગરના વાતાવરણમાં પલટો આવ્યો. ભર શિયાળે વરસાદી માહોલ જામ્યો. વિસનગર શહેરમાં કમોસમી વરસાદ ખાબક્યો.
-
વડાપ્રધાન મોદી આજે બે રાજ્યનો કરશે પ્રવાસ
વડાપ્રધાન મોદી આજે બે રાજ્યનો પ્રવાસ કરશે. PM મોદી સૌપ્રથમ કેરળના તિરૂવનંતપુરમની મુલાકાત લેશે. PM મોદી અનેક પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે. તિરૂવનંતપુરમમાં 4 નવી ટ્રેનોનો PM મોદી આપશે લીલીઝંડી. PM મોદી 3 નવી અમૃત ભારત ટ્રેનને લીલીઝંડી બતાવશે. તમિલનાડુમાં પણ ચૂંટણી પ્રચાર અભિયાનની શરૂઆત કરશે.
-
આજે વસંત પંચમી માટે મુખ્ય સ્નાન, મોટી સંખ્યામાં ભક્તો સંગમમાં ઉમટ્યા
પ્રયાગરાજ જિલ્લા મેજિસ્ટ્રેટ મનીષ કુમાર વર્માએ જણાવ્યું હતું કે, “આજે વસંત પંચમી માટે મુખ્ય સ્નાન છે. મધ્યરાત્રિથી ભક્તો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. બધા ઘાટ પર સ્નાન સરળતાથી ચાલી રહ્યું છે. જળ પોલીસ ખૂબ જ સતર્કતા સાથે તેમની ફરજો બજાવી રહી છે. SDRF અને NDRF પણ તૈનાત છે. ભક્તોને કોઈ અસુવિધા ન થાય તે માટે નાગરિક સંરક્ષણ સ્વયંસેવકો પણ તૈનાત છે. હાલમાં હળવું ધુમ્મસ છે. ધુમ્મસ દૂર થયા પછી મોટી સંખ્યામાં ભક્તો પહોંચશે.”
#WATCH | Prayagraj, Uttar Pradesh: Prayagraj DM Manish Kumar Verma says, “Today is the main bath of Basant Panchami. Devotees have been arriving in large numbers since midnight. Bathing is proceeding smoothly at all ghats. The Water Police is performing its duties with full… https://t.co/Sk2tr5I9HC pic.twitter.com/6QQ0FarLM3
— ANI (@ANI) January 23, 2026
-
રશિયા-અમેરિકા વચ્ચે યુક્રેન યુદ્ધ પર શાંતિવાર્તા મુદ્દે ચર્ચા
રશિયા-અમેરિકા વચ્ચે યુક્રેન યુદ્ધ પર શાંતિવાર્તા મુદ્દે ચર્ચા થઇ. ક્રેમલિનમાં પુતિન-વિટકૉફ વચ્ચે સાડા 3 કલાક થઇ વાતચીત. વાતચીત સમયે જેરેડ કુશનર પણ હાજર રહ્યા. શાંતિ વાર્તા મુદ્દે બંને પક્ષો વચ્ચે લાંબી ચર્ચા વિચારણા ચાલી.
-
કચ્છ: સરહદી તાલુકા લખપતમાં માવઠું
કચ્છ: સરહદી તાલુકા લખપતમાં માવઠું થયુ. નારાયણ સરોવર, વર્માનગર, ગુહર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે. કમોસમી વરસાદથી ખેતીને નુકશાની થવાની ભીતી છે. કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લાના છૂટાછવાયા માવઠાની સંભાવના હતી.
Published On - Jan 23,2026 7:33 AM