05 મેના મહત્વના સમાચાર : કોંગ્રેસના લોકોએ આખા દેશમાં બંધારણ લાગુ કર્યું નથી: પીએમ મોદી
આજે 05 મેને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ લલ્લાના દર્શન કરવા અયોધ્યા પહોંચશે. પીએમ મોદી સાંજે 7 વાગ્યાની આસપાસ રામ મંદિર પહોંચશે. રામ મંદિરમાં તેઓ રામ લલ્લાના દર્શન પૂજા કરશે અને અયોધ્યામાં રોડ શો કરશે. આ પહેલા દિવસ દરમિયાન પીએમ મોદી ઇટાવા અને ધૌરહરામાં ચૂંટણી જાહેર સભાઓને સંબોધિત કરશે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આંધ્રપ્રદેશ અને તેલંગાણાના તેમના પ્રવાસ દરમિયાન ચાર ચૂંટણી જાહેર સભાને સંબોધન કરશે. તો બીજી બાજુ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. ત્રીજા તબક્કાના મતદાન માટે ચૂંટણી પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. રાહુલ ગાંધી તેલંગાણાના આદિલાબાદ અને નાગરકુર્નૂલમાં જાહેર સભાઓને સંબોધશે.
જમ્મુ-કાશ્મીરના પૂંચમાં આતંકવાદીઓએ એરફોર્સના કાફલા પર હુમલો કર્યો હતો. જેમાં એક જવાન શહીદ થયો છે. સેના અને પોલીસ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. દેશ અને દુનિયા સાથે જોડાયેલા દરેક મોટા સમાચારની અપડેટ અહીં વાંચો
LIVE NEWS & UPDATES
-
કોંગ્રેસના લોકોએ આખા દેશમાં બંધારણ લાગુ કર્યું નથી: પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેઓ (INDIA ગઠબંધન) દાવો કરે છે કે જો તેઓ સત્તામાં આવશે તો કલમ 370 પાછી લાવશે. કાશ્મીરમાં ચૂંટણી જીતવા માટે તેઓ કહે છે કે તેઓ કલમ 370 પાછી લાવશે, તેઓએ બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યું છે. તેમણે સમગ્ર દેશ માટે બંધારણ બનાવ્યું હતું પરંતુ કોંગ્રેસના લોકોએ આખા દેશમાં બંધારણનો અમલ કર્યો નથી. તેઓ છિદ્રમાંથી 370 મેળવી શકતા નથી.
-
મેરઠમાં બસ કારખાનામાં લાગી ભીષણ આગ
મેરઠમાં બસ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. જ્યાં આગ લાગી હતી ત્યાંથી થોડે દૂર એક પેટ્રોલ પંપ છે. કારખાનામાં કામ કરતા લોકોએ ભાગીને પોતાનો જીવ બચાવ્યો હતો. આ ઘટનામાં ફેક્ટરીમાં પાર્ક કરેલી અનેક બસો બળીને રાખ થઈ ગઈ હતી.
-
-
કોંગ્રેસના સહેજાદાનું આ વખતે મંદિર દર્શન બંધ થઈ ગયુ : પીએમ મોદી
પીએમ મોદીએ યુપીના ઈટાવામાં જનસભાને સંબોધિત કરતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે પાંચ વર્ષ પહેલા કોંગ્રેસનો રાજવી પરિવાર મંદિરથી મંદિરે ફરતો હતો. કોંગ્રેસના રાજકુમારે તેમના કોટ પર પવિત્ર દોરો પહેર્યો હતો. આ વખતે મંદિરના દર્શન બંધ કરી દેવામાં આવ્યા છે.
-
રાજસ્થાનમાં ભયાનક માર્ગ અકસ્માત, એક જ પરિવારના 6ના મોત; મંદિરે દર્શન માટે જતા હતા
રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લામાં રવિવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. જિલ્લાના બૌલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેના બનાસ કલવર્ટ પાસે એક કાર અને વાહનની ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે 2 બાળકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માતનો ભોગ બનેલા તમામ લોકો સીકર જિલ્લાના ખંડેલાના રહેવાસી છે. બધા એક જ પરિવારના સભ્યો હતા.
-
INDIA ગઠબંધન આંધ્રપ્રદેશમાં ખાતું પણ નહી ખોલાવી શકે - અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે અહીં હજારો લોકો આવ્યા છે, જે દર્શાવે છે કે સમગ્ર આંધ્રપ્રદેશ પીએમ મોદી અને ચંદ્રબાબુ નાયડુની સાથે છે. ભારત ગઠબંધન પણ આંધ્ર પ્રદેશમાં પોતાનું ખાતું ખોલવા જઈ રહ્યું નથી.
-
-
ગુજરાત ભાજપે ક્ષત્રિય સમાજને કરી અપીલ, ક્હ્યું નરેન્દ્ર મોદીને સંપૂર્ણ સહયોગ અને સમર્થન આપો
ગુજરાતમાં ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ગુજરાત ભાજપે ક્ષત્રિય સમાજને અપીલ કરી હતી. લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંપૂર્ણ સહયોગ અને સમર્થન આપવા અપીલ કરી છે. ભાજપના તમામ ક્ષત્રિય આગેવાનો તરફથી સમાજને અપીલ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે રૂપાલા નાનીવેદનથી સમાજને જેટલો આઘાત લાગ્યો છે એટલો જ ભાજપના ક્ષત્રિય નેતાઓને પણ લાગ્યો છે કેન્દ્ર અને રાજ્ય સરકારના વિકાસ કામોમાં દરેક સમાજની જેમ ક્ષત્રિય સમાજનો પણ યોગદાન રહેલું છે. ક્ષત્રિય સમાજ ગૌરવંતી પરંપરા જાળવી લોકસભા ચૂંટણીમાં પણ ભાજપને જ સમર્થન આપે તેવી અપીલ કરી. રામ મંદિરના વિધિવત આમંત્રણ છતાં પણ જે પાર્ટીના લોકો ન ગયા હોય તેમને ક્ષત્રિય સમાજ કેવી રીતે સમર્થન આપશે?
-
પાટણના વારાહી હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં 2ના મોત
પાટણના વારાહી હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં 2ના મોત થયા છે. કચ્છ -બનાસકાંઠા નેશનલ હાઇવે પર એક સાથે 3 ટ્રેલર વચ્ચે અકસ્માતમાં 2 વ્યક્તિના મોત થયા છે. ટ્રેલરના પતરા કાપીને 3 કલાકની ભારે જહેમત બાદ, ટ્રેલરમાં ગંભીર રીતે ઘાયલ થઇને ફસાયેલ ટ્રેલર ચાલકને બહાર કઢાયો હતો. અકસ્માત સર્જાતા કચ્છ -બનાસકાંઠા નેશનલ હાઇવે પર ટ્રાફીક જામ સર્જાયો.
-
ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીને ચૂંટણી પંચે ફટકારી નોટીસ
પાટણ લોકસભા મતવિસ્તારના ભાજપ ઉમેદવાર ભરતસિંહ ડાભીને ચૂંટણી પંચે નોટીસ ફટકારી છે. ચૂંટણી ખર્ચ બાબતે ભરતસિંહ ડાભીને સતત આપવામાં આવી રહી છે નોટીસ. ચૂંટણી અઘિકારીએ ભરતસિંહ ડાભીને ત્રીજીવાર નોટિસ ફટકારી છે. ચૂંટણી ખર્ચના હિસાબમાં તફાવત જણાતાં, પંચે નોટિસ આપી છે. 7.64.517 રુપિયાના ખર્ચ સામે 2,64,247 જેટલા ખર્ચનો હિસાબ રજૂ કરાતા નોટિસ આપવામાં આવી છે. ચૂંટણીખર્ચમાં ઓછો ખર્ચ દર્શાવતા નોટીસ આપવામાં આવી છે.
-
રાજસ્થાનમાં માર્ગ અકસ્માત, 6 લોકોના મોત
રાજસ્થાનના સવાઈ માધોપુરમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે, જેમાં 6 લોકોના મોત થયા છે. રણથંભોર સ્થિત ત્રિનેત્ર ગણેશના દર્શન કરવા સીકરથી જઈ રહેલા પરિવારની કારને બૌનલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક્સપ્રેસ વે પર બનાસ કલવર્ટ પર એક વાહને ટક્કર મારી હતી. કાર સંપૂર્ણ રીતે નષ્ટ પામી હતી. આ અકસ્માતમાં કુલ છ લોકોના મોત થયા છે અને બે ઘાયલ થયા હતા.
-
રાજકોટમાં ફરતી થયેલી લેઉવા પાટીદાર પત્રિકા પ્રકરણમાં પરેશ ધાનાણીના ભાઈનું નામ ખુલ્યું
રાજકોટમાં ઘરે ઘરે ફરતી થયેલી લેઉવા પાટીદારની પત્રિકાના મુદ્દે પોલીસ તપાસમાં મોટો ખુલાસો થવા પામ્યો છે. રાજકોટથી લોકસભાની ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીનુ નામ, પત્રિકાકાંડમાં સામે આવ્યું છે. રાજકોટ પોલીસ દ્વારા શરદ ધાનાણીને પુછપરછ માટે બોલાવવામાં આવી શકે છે. જો સંડોવણી સાબિત થશે તો શરદ ધાનાણીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવશે. અગાઉ આ પત્રિકા કાંડમાં ચાર યુવકની પોલીસે ધરપકડ કરી હતી. જેમને કોર્ટે જામીન પર મુક્ત કર્યા હતા.
-
મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પલટો, આકાશમાં ઘેરાયા વાદળો
મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં આકાશમાં વાદળો ઘેરાયા છે. વાદળ છવાયાની સાથે ઠંડો પવન વહેતા, ગરમીથી આંશિક રાહત મળી છે, જો કે બીજી તરફ ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. જો માવઠું થાય તો બાજરી, મકાઈ, મગફળી, ઘાસચારાના પાકમાં નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.
-
ત્રીજા તબક્કાની ચૂંટણીના પ્રચારનો આજે છેલ્લો દિવસ
લોકસભાની સાત તબક્કા પૈકીની ત્રીજા તબક્કાની ચૂંટણી આગામી 7મી મેને મંગળવારે યોજાશે. ગુજરાત સહીત 12 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશની કુલ 93 બેઠકો પર 7મી મેના રોજ મતદાન હાથ ધરાશે. આજે 5મી મેના રોજ સાંજે છ વાગે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ જશે. જાહેર ચૂંટણી પ્રચાર બંધ થયા બાદ, હવે કોઈ નેતા જાહેર સભા નહી કરી શકે, ઘરે ઘરે ફરીને પ્રચાર કરી શકે છે.
-
આતંકી હુમલા બાદ ભારતીય સેનાના જવાનોએ જમ્મુ-પૂંચ હાઈવે પર સુરક્ષા વધારી
ભારતીય સેનાના જવાનોએ જમ્મુ-પુંછ હાઈવે પર કડક સુરક્ષા ચેકિંગ ઓપરેશન હાથ ધર્યું છે. આતંકવાદી હુમલામાં ઘાયલ ભારતીય વાયુસેનાના પાંચ સૈનિકોમાંથી એક સૈનિક હોસ્પિટલમાં સારવાર દરમિયાન શહીદ થયો છે. વધુ એક સૈનિકની હાલત ગંભીર છે અને તેની સારવાર ચાલી રહી છે, જ્યારે બાકીના ત્રણની હાલત સ્થિર હોવાનું સુરક્ષા દળોના અધિકારીએ જણાવ્યું છે.
#WATCH | J&K: Visuals of tight security checking by Indian Army personnel at Jammu-Poonch highway.
An Indian Air Force vehicle convoy was attacked by terrorists in the Poonch district.
One of the five Indian Air Force soldiers injured in the terrorist attack has passed away in… pic.twitter.com/a5QQ7xvU1y
— ANI (@ANI) May 4, 2024
Published On - May 05,2024 7:21 AM