સોમનાથ મંદિર નજીક સરકારી જમીન પર ફર્યું તંત્રનું બુલડોઝર, 175 જેટલા ગેરકાયદે મકાનો કરાયા દૂર, હવે કરાશે ફેન્સિંગ- વીડિયો

સોમનાથ મંદિર નજીક સરકારી જમીન પર તંત્રનું બુલડોઝર ફર્યુ અને ગેરકાયદે ઉભા કરાયેલા દબાણો પર મેગા ડિમોલિશન કામગીરી કરવામાં આવી હતી. તંત્ર દ્વારા 175 જેટલા ગેરકાયદે મકાનો દૂર કરવામાં આવ્યા છે અને હવે ખુલ્લી કરાયેલી જમીન પર ફેન્સિંગ કરવામાં આવશે.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 27, 2024 | 11:34 PM
સોમનાથમાં ફરી એકવાર તંત્ર દ્વારા ગેરકાયદે ઉભા કરી દેવાયેલા દબાણો પર તંત્રની દબાણ શાખાની ટીમ ત્રાટકી હતી અને ગેરકાયદે દબાણો પર મેગા ડિમોલિશન કામગીરી કરવામાં આવી હતી. ત્રણ મહિનાની અંદર સતત બીજીવાર અહીં દાદાનું બુલડોઝર ફરી વળ્યુ છે અને સોમનાથ મંદિર આસપાસ કરવામાં આવેલા દબાણો હટાવી જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. તંત્રની આ મેગા ડિમોલિશનની કામગીરી દરમિયાન 17 વીઘા જેટલી જમીન ખુલ્લી કરાઈ છે.  આ અગાઉ ઓક્ટોબર મહિનામાં કરાયેલા ડિમોલિશન દરમિયાન પણ 27 થી વધુ વેપારના હેતુથી કરાયેલા દબાણો હટાવવામાં આવ્યા હતા.

મંદિર આસપાસ કરાયેલા દબાણો દૂર કરાયા, ખુલ્લી કરાયેલી જમીન પર કરાશે ફેન્સિંગ

સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં કરાયેલા ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી સતત યથાવત છે. આ અગાઉ દ્વારકામાં મોટા પાયે દબાણો હટાવવામાં આવ્યા હતા. જે બાદ સોમનાથમાં પણ દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. ગીર સોમનાથ પાસે મરીન પોલીસ ચોકી આસપાસની જમીનમાં કાચા મકાનો બાંધી દેવામાં આવ્યા હતા. જેને હટાવવાની કામગીરી સવારથી જ શરૂ કરી દેવાઈ હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણની કામગીરી હાથ ધરવામાં આવી હતી.આ કામગીરી દરમિયાન તંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

દબાણ કામગીરી પહેલા માનવીય અભિગમ રાખી લોકોને જરૂરી મદદ પણ કરવામાં આવી

કલેક્ટરના જણાવ્યા અનુસાર કામગીરી પહેલા અહીં રહેતા લોકોને વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા અને તંત્ર દ્વારા માનવીય અભિગમ રાખી તેમને દરેક મદદ પણ કરવામાં આવી હતી. સરકારી જમીનો પર કરાયેલા તમામ દબાણો દૂર કરી જમીન ખુલ્લી કરવામાં આવી છે. હવે આગળ જતા અહીં કોઈ નવા દબાણો ન ઉભા કરી દેવાય તેને ધ્યાને રાખી જમીન ફરતે ફેન્સિંગ કરી દેવામાં આવશે તેમ પણ કલેક્ટરે જણાવ્યુ હતુ.
Input Credit- Yogesh Joshi- Gir Somnath
ગીર સોમનાથ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

ધાર્મિક સ્થળ પર ઘર્ષણના કેસમાં 35 લોકોની ધરપકડ
ધાર્મિક સ્થળ પર ઘર્ષણના કેસમાં 35 લોકોની ધરપકડ
શિક્ષણ મંત્રી પ્રફુ્લ્લ પાનસેરિયાએ વિદ્યાર્થીઓને પાઠવી શુભેચ્છા- video
શિક્ષણ મંત્રી પ્રફુ્લ્લ પાનસેરિયાએ વિદ્યાર્થીઓને પાઠવી શુભેચ્છા- video
પંચમહાલ ખાતે NEETની પરીક્ષામાં ચોરી કરાવવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ
પંચમહાલ ખાતે NEETની પરીક્ષામાં ચોરી કરાવવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ
વિજ્ઞાન પ્રવાહમાં બનાસકાંઠાએ મારી બાજી, વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ
વિજ્ઞાન પ્રવાહમાં બનાસકાંઠાએ મારી બાજી, વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ
સુરતના લીંબાયતમાંથી મોબાઈલ અને લેપટોપની ચોરી કરનાર સ્પાઈડર ચોર ઝડપાયો
સુરતના લીંબાયતમાંથી મોબાઈલ અને લેપટોપની ચોરી કરનાર સ્પાઈડર ચોર ઝડપાયો
વિદ્યાર્થીઓ અને વાલીઓના આંખમાં હર્ષના આંસુ, જાણો કેવી કરી હતી મહેનત
વિદ્યાર્થીઓ અને વાલીઓના આંખમાં હર્ષના આંસુ, જાણો કેવી કરી હતી મહેનત
ધોરણ 12નું પરિણામ આવતા વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા, જુઓ Video
ધોરણ 12નું પરિણામ આવતા વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા, જુઓ Video
કૃષિ યુનિવર્સિટીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ
કૃષિ યુનિવર્સિટીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ
આ રાશિના જાતકો આજે આજે અચાનક ધનલાભની સંભાવના
આ રાશિના જાતકો આજે આજે અચાનક ધનલાભની સંભાવના
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
g clip-path="url(#clip0_868_265)">