AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

US Iran War : ટ્રમ્પના ગળા સુધી પહોંચી ગયો હતો ઈરાની કમાન્ડર, પછી જે થયું તે જાણી ને ચોંકી જશો

અમેરિકાના સંરક્ષણ સચિવે જણાવ્યું કે પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પની હત્યાનું કાવતરું ઘડનાર ઈરાની કમાન્ડર દાઉદ અલી ઝાદેહ માર્યો ગયો છે. મહત્વનું છે કે ટ્રમ્પના ગળા સુધી આ કમાન્ડર પહોંચી ગયો હોવાનું કહેવાય છે.

US Iran War : ટ્રમ્પના ગળા સુધી પહોંચી ગયો હતો ઈરાની કમાન્ડર, પછી જે થયું તે જાણી ને ચોંકી જશો
| Updated on: Mar 05, 2026 | 9:16 PM
Share

યુએસ સંરક્ષણ સચિવ પીટર હેગસેથે જણાવ્યું છે કે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનું કાવતરું ઘડનાર ઈરાની કમાન્ડર એક હુમલામાં માર્યો ગયો છે. ઈરાન તરફથી મળતી માહિતી મુજબ, ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ (IRGC) ની કુર્દિશ ફોર્સના વરિષ્ઠ કમાન્ડર દાઉદ અલી ઝાદેહ મંગળવારે થયેલા હુમલામાં મૃત્યુ પામ્યા. કુર્દિશ ફોર્સનું મુખ્ય કાર્ય ઈરાનની બહાર પ્રોક્સી નેટવર્ક ઉભું કરવું અને તેના દુશ્મનો સામે કામગીરી કરવાનું હોય છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ સુધી પહોંચવાનો પ્રયાસ

પીટર હેગસેથે જણાવ્યું હતું કે ટ્રમ્પ પર હુમલો કરવાની અને તેમની હત્યાનું કાવતરું ઘડનાર આ કમાન્ડર મંગળવારે (3 માર્ચ) યુદ્ધ દરમિયાન માર્યો ગયો. તેમણે કહ્યું કે જે કોઈ પણ વ્યક્તિ અમેરિકાના રાષ્ટ્રપતિ સુધી પહોંચવાનો પ્રયાસ કરશે, તેને અમે છોડશું નહીં. જોકે, તેમણે તે સમયે કમાન્ડરનું નામ જાહેર કર્યું નહોતું.

બીજી તરફ, ઈરાને પોતાના નિવેદનમાં સ્વીકાર્યું કે ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડની કુર્દિશ ફોર્સના વડા દાઉદ અલી ઝાદેહનું મોત થયું છે. IRGCની અંદર કાર્યરત કુર્દિશ ફોર્સ મુખ્યત્વે બાહ્ય કામગીરી માટે જવાબદાર માનવામાં આવે છે. અહેવાલો અનુસાર, ઝાદેહનું મોત ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ દ્વારા કરવામાં આવેલા હુમલામાં થયું હતું.

રિવોલ્યુશનરી ગાર્ડમાં કુર્દિશ ફોર્સનું મુખ્ય કામ

ટાઇમ્સ ઓફ ઇઝરાયલના અહેવાલ મુજબ, તેહરાનમાં ગુપ્તચર માહિતીના આધારે આ હુમલો કરવામાં આવ્યો હતો. દાઉદ અલી ઝાદેહ લાંબા સમયથી તેહરાનમાં રહીને ઈરાનની બહાર વિવિધ હુમલાઓની યોજના બનાવી રહ્યા હતા. રિવોલ્યુશનરી ગાર્ડમાં કુર્દિશ ફોર્સનું મુખ્ય કામ વિદેશી કામગીરી સંભાળવાનું છે.

હાલમાં ઝાદેહ કુર્દિશ ફોર્સના વચગાળાના વડા તરીકે કાર્ય સંભાળી રહ્યા હતા. તેઓએ આ પદ પર હસન મહદવીનું સ્થાન લીધું હતું, જેમનું લેબનોનમાં થયેલા હુમલામાં મોત થયું હતું.

ઉલ્લેખનીય છે કે 2024ની ચૂંટણી પ્રચાર દરમિયાન પેન્સિલવેનિયામાં ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો કરવામાં આવ્યો હતો, પરંતુ તેઓ આ હુમલામાં બચી ગયા હતા. ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઈરાને તેમની હત્યા કરવા માટે બે વખત પ્રયાસ કર્યા હતા, પરંતુ બંને વખત તેઓ સુરક્ષિત બચી ગયા.

અમેરિકાના આદેશ પર થયું આ કામ

અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડના કેટલાક સભ્યો ટ્રમ્પની હત્યા કરવાની યોજના બનાવી રહ્યા હતા. IRGC 2020માં માર્યા ગયેલા કાસેમ સુલેમાનીના મોતનો બદલો લેવા માગે છે. નોંધનીય છે કે 2020માં અમેરિકાના આદેશ પર કાસેમ સુલેમાનીને મારવામાં આવ્યા હતા.

દાઉદ અલી ઝાદેહ કુર્દિશ ફોર્સના મહત્વપૂર્ણ કમાન્ડર હતા. તેમનું મુખ્ય કાર્ય મધ્ય પૂર્વમાં પ્રોક્સી નેટવર્ક ઉભું કરવું અને તેમને હથિયારો પૂરા પાડવાનું હતું. માનવામાં આવે છે કે આ ફોર્સે હમાસ, હિઝબુલ્લાહ અને હૂતી જેવા સંગઠનોને મજબૂત બનાવવા મહત્વની ભૂમિકા ભજવી હતી. કુર્દિશ ફોર્સમાં કામ કરતા અધિકારીઓ સીધા ઈરાનના સુપ્રીમ લીડરના કાર્યાલય સાથે સંકળાયેલા હોય છે.

US Iran..ચાલુ યુદ્ધ વચ્ચે ઈરાનના રાષ્ટ્રપતિ પેઝેશકિયાનનું મોટું નિવેદન

Follow Us
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ
ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ
ગીર વિસ્તારમાં વધુ એકવાર સિંહ પજવણીનો Video વાયરલ
ગીર વિસ્તારમાં વધુ એકવાર સિંહ પજવણીનો Video વાયરલ
g clip-path="url(#clip0_868_265)">