AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gir somnath: તંત્રની અણઆવડતને લીધે માધવરાયજી પ્રાચી તીર્થમાં ગંદકીના ઢગ, પ્રવાસીઓએ વ્યક્ત કર્યો રોષ

રાજ્ય અને કેન્દ્ર સરકાર પૌરાણિક તીર્થસ્થાનો અને દેવાલયો, નદીઓ અને સંગમોના વિકાસ માટે હરણફાળ ભરી રહી છે. પરંતુ અહીં ઉલ્ટી ગંગા છે તંત્રની અણઆવડતના કારણે પ્રાચી તીર્થમાં ગંદકી જામી છે. જેના કારણે ભાવકો અને ભક્તોમાં રોષ છે. પ્રાચી તીર્થમાં પીંડદાન પિતૃ તર્પણ કરનારે પ્રથમ સ્નાન કરવાનું હોય છે. પરંતું અહી સ્નાન કરવા માટે ચોખ્ખુ પાણી પણ નથી.

Gir somnath: તંત્રની અણઆવડતને લીધે માધવરાયજી પ્રાચી તીર્થમાં ગંદકીના ઢગ, પ્રવાસીઓએ વ્યક્ત કર્યો રોષ
Prachi tirth Filth
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 16, 2023 | 10:59 PM
Share

ગીર સોમનાથ જિલ્લામાં આવેલા આદિ જ્યોતિર્લિંગ સોમનાથના દર્શને આવતા લોકો પ્રાચી તીર્થના દર્શને અવશ્ય જાય છે કારણે કે આપણે ત્યાં કહેવાય છે કે સો વાર કાશી અને એક વાર પ્રાચી. જોકે પ્રાચી તીર્થની આસપાસ એટલી ગંદકી છે કે અહીં આવેલી પ્રાચીન સરસ્વતી નદી અને આ સમગ્ર પરિસરની આસપાસ ગંદકીના ઢગ જોવા મળે છે.  ગીર સોમનાથમાં પ્રસિદ્ધ માધવરાયજી મંદીર પાસે ખૂબ ગંદકી જામી છે. આ પ્રાચી તીર્થ કે જ્યાં રોજ સેંકડો લોકો દર્શન માટે આવે છે, ત્યાં જ ગંદકીની એવી ભરમાર છે કે માથું ફાટી જાય, હવે તંત્રના આવા અણઘડ આયોજનને કારણે અહીં આવતાં ભાવિકો રોષ વ્યક્ત કરી રહ્યા છે.

પ્રાચી તીર્થ માધવરાય મંદીર પાસે મોક્ષ પીપળો આવેલો છે અને બાજુમાંથી સરસ્વતી નદી પસાર થાય છે પણ અહીં ગંદકીનું સામ્રાજ્ય જામ્યું છે. આ જોઈને કોઈને પણ થાય કે શું આ ભક્તિનું સ્થળ છે ? વર્ષભર લાખો શ્રદ્ધાળુઓ પ્રાચી તીર્થની મુલાકાતે આવે છે. ભાવીકો સરસ્વતી નદીમાં સ્નાન કરી અને મોક્ષ પીપળાને પાણી ચડાવી પોતાના પિતૃઓની મોક્ષ ગતિ માટે શ્રાદ્ધ કર્મ અને પિતૃ તર્પણ કરે છે.

લોકોની આટલી શ્રદ્ધા છે જ્યારે બીજી તરફ જલ કુંડ અને સરસ્વતી નદી ગંદકીની નદી તરીકે વગોવાઈ રહી છે અહીં જોવા મળે છ કે આટલા બધા પ્રવાસીઓ આવતા હોવા છતાં તંત્ર દ્વારા કોઈપણ પ્રકારે તેમની સફાઈ કે સાર સંભાળ લેવાતી નથી જેથી ભાવિકોમાં ભારે નારાજગી ગુજરાતીમાં લોકવાયકા છે, 100 વાર કાશી એકવાર પ્રાચી ત્યારે પૌરાણિક શાસ્ત્રોક્ત રીતે આપણા વેદો અને પુરાણોમાં પ્રાચી તીર્થનું અનેરૂ મહત્વ છે. પરંતુ પુરાણ પ્રસિદ્ધ પ્રાચી તીર્થ ગંદકીના ગંજમાં ફેરવાયું છે. ત્યારે દેશ વિદેશના યાત્રિકો અને સ્થાનિકો ઇચ્છી રહ્યા છે કે પ્રાચી તીર્થ અને સરસ્વતી નદીની સફાઈ કરવામાં આવે જેથી તીર્થધામની ગરિમા જળવાઈ રહે.

રાજ્ય અને કેન્દ્ર સરકાર પૌરાણિક તીર્થસ્થાનો અને દેવાલયો, નદીઓ અને સંગમોના વિકાસ માટે હરણફાળ ભરી રહી છે. પરંતુ અહીં ઉલ્ટી ગંગા છે તંત્રની અણઆવડતના કારણે પ્રાચી તીર્થમાં ગંદકી જામી છે. જેના કારણે ભાવકો અને ભક્તોમાં રોષ છે. પ્રાચી તીર્થ મા પીંડદાન પિત્રૃતર્પણ કરનારે પ્રથમ સ્નાન કરવાનું હોય છે. પરંતું અહી સ્નાન કરવા માટે ચોખ્ખુ પાણી પણ નથી. ત્યારે પ્રાચી તીર્થની સફાઈને અગ્રતા અપાય તેવી ભક્તોની માગ છે..

વિથ ઇનપુટ: યોગેશ જોષી, ટીવી 9 , ગીર સોમનાથ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
g clip-path="url(#clip0_868_265)">