AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gir Somnath: તાલાલાના હીરણવેલ ગામે વનવિભાગે ગૈશાળા તોડી નાખતાં સિહ પરિવારે ચાર ગાયોનું મારણ કર્યું, લોકોમાં ભારે આક્રોષ

તાલાલાના હિરણવેલ ગામની ગૌ શાળા પર ભર ચોમાસામાં વનવિભાગનું બુલડોઝર ફર્યુ હતું. ગ્રામજનો દ્વારા ગૌશાળા માટે છાપરું બનાવવામાં આવ્યું હતું. જેની સામે વન વિભાગે વાંધો ઉઠાવ્યો હતો.

Gir Somnath: તાલાલાના હીરણવેલ ગામે વનવિભાગે ગૈશાળા તોડી નાખતાં સિહ પરિવારે ચાર ગાયોનું મારણ કર્યું, લોકોમાં ભારે આક્રોષ
Heeranvel village
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 16, 2022 | 11:26 AM
Share

ગીર સોમનાથ (Girsomnath) જિલ્લામાં  તાલાલા (Talala) ના ગીર બોર્ડરના હિરણવેલ ગામે થોડા દિવસ પહેલા વનવિભાગે નિરાધાર ગાયો (Cow) ની ગૌશાળા તોડીનાખી હતી. તે બાદ ચાર દિવસની અંદર ચાર નિરાધાર ગાયોનું સિંહ (Lion) પરીવાર દ્વારા મારણ કરવામા આવ્યું છે. ગતરાતે પણ એક ગાયનું સિંહ પરિવાર દ્વારા મારણ કરવામાં આવતાં ગામમાં ભય સાથે વનવિભાગ સામે આક્રોશનો માહોલ છે અને વનવિભાગ સામે ઊગ્ર લડત કરવા ગામલોકોએ નિર્ણય કર્યો છે. તાલાલા નજીકના હિરણવેલ ગામે નિરાધાર ગાયોના રહેવા માટે ગામને સીમાડે લોક ફાળો કરી બનાવેલી લગભગ 70 વર્ષ જૂની ગૌશાળાના શેડમાં ભર ચોમાસામાં વન વિભાગ દ્વારા ડિમોલેશન કરીને ગૌશાળાને જમીન દોસ્ત કરતા ગામ લોકોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે અને હવે તેઓ વન વિભાગ સામે લડત ચલાવવાની તૈયારી કરી રહ્યા છે. ગામ લોકોએ કલેકટરને આવેદન પણ આપ્યું છે.

ઉલ્લેખનીય છે કે તાલાલાના હિરણવેલ ગામની ગૌ શાળા પર ભર ચોમાસામાં વનવિભાગનું બુલડોઝર ફર્યુ હતું. ગ્રામજનો દ્વારા ગૌશાળા માટે છાપરું બનાવવામાં આવ્યું હતું. જેની સામે વન વિભાગે વાંધો ઉઠાવ્યો હતો. 4 લાખના ખર્ચે બનાવેલી ગૌશાળા બચાવવા ગ્રામજનોએ વિનંતી કરી પણ વન વિભાગ ન માન્યું અને હથિયારધારી પોલીસનો કાફલો ઉતારી ગૌશાળામાં બુલડોઝર ફેરવ્યું હતું. આ ગૌશાળા તોડી નાખવામાં આવતાં ગૌ ભક્તો અને હિન્દૂ ધર્મ પ્રેમી લોકોમાં રોષની લાગણી છે. આ મુદ્દે ગ્રામજનોએ કલેક્ટર કચેરીએ આવેદન આપ્યું છે.

આ પણ વાંચો

હીરણવેલ ગામ પાસે ગાયોનો આશરો વન વિભાગે છીનવી લેતા ગ્રામજનો ચાર ટ્રેક્ટરો ભરી ઈણાજ જિલ્લા કલેકટર પાસે પહોંચ્યા હતા. જ્યાં ગ્રામજનોએ આવેદન આપી હક્કિત જણાવતા જિલ્લા કલેકટર પણ બોલી ઉઠ્યા હતા કે, આ ઘાસચારાનું ગોડાઉન આ લોકોને નડ્યું? તાલાલાનું હિરણવેલ ગામ ગીર પશ્વિમની તાલાલા રેન્જ હેઠળ આવે છે. પણ ગૌમાતાના ગોડાઉનનું ડિમોલીશન કરવા દેવળીયા રેન્જે કામગીરી કરી તેમાં પણ દેવળીયા રેન્જ મેંદરડા તાલુકામાં આવે તો મેંદરડા પોલીસનો બંદોબસ્ત લેવાના બદલે તાલાલા પોલીસનો બંદોબસ્ત મેળવી ગોડાઉન તોડી પડાયું હતું. ભરચોમાસામાં ગૌશાળા તોડી પાડવામાં આવતાં ગાયો સિહંનો શિકાર બની રહી છે. આ કારણે ગામલોકોનો વનવિભાગ પર રોષ વધુ વ્યાપ્યો છે અને હવે નવ વિભાગ સામે લડી લેવાના મુડમાં આવ્યા છે.

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">