AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અહેમદ પટેલના ઇશારા પર તીસ્તાએ રચ્યુ હતુ મોદી સરકારને બદનામ કરવાનું કાવતરુ, બે વાર રુપિયા લીધા હોવાનો પણ SITએ કર્યો દાવો

સોગંદનામાં રજૂઆત કરાઈ છે કે તીસ્તા અને અહેમદ પટેલે (Ahmed Patel) ગુજરાતને બદનામ કરવાની યોજના અમદાવાદના (Ahmedabad) શાહીબાગ સર્કિટ હાઉસમાં બનાવી હતી. તીસ્તાએ અહેમદ પટેલ સહિતના કૉંગ્રેસના અગ્રણીઓ સાથે અમદાવાદમાં અનેકવાર મુલાકાતો કરી હતી.

અહેમદ પટેલના ઇશારા પર તીસ્તાએ રચ્યુ હતુ મોદી સરકારને બદનામ કરવાનું કાવતરુ, બે વાર રુપિયા લીધા હોવાનો પણ SITએ કર્યો દાવો
તીસ્તા સેતલવાડે કોંગ્રેસના અગ્રણીઓ પાસેથી આર્થિક મદદ મેળવી હોવાનો SITનો દાવો
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 16, 2022 | 8:43 AM
Share

2002ના ગુજરાતના (Gujarat) કોમી રમખાણ કેસમાં ખોટા પુરાવા ઉભા કરવા મુદ્દે ચાલી રહેલા તીસ્તા સેતલવાડ (Teesta Setalvad) અંગેના કેસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. SITએ શુક્રવારે તેના રિપોર્ટમાં ખુલાસો કર્યો હતો કે સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડે 2002માં ગુજરાત સરકારને અસ્થિર કરવા માટે કોંગ્રેસ પાસેથી ફંડ મેળવ્યું હતું. તિસ્તા સેતલવાડની જામીન અરજીનો વિરોધ કરતા એસઆઈટીએ કોર્ટને જણાવ્યું હતું કે સેતલવાડ 2002ની ગોધરા ટ્રેન સળગાવવાની ઘટના પછી તરત જ ગુજરાતમાં ચૂંટાયેલી સરકારને અસ્થિર કરવાનું એક મોટું કાવતરું ઘડી રહ્યા હતા. કોર્ટમાં રજૂઆત કરાઈ છે કે તીસ્તાએ અહેમદ પટેલ (Congress Leader Ahmed Patel) સાથે મળીને ગુજરાત અને તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદીને બદનામ કરવાનું કાવતરું રચ્યું હતું.

SITએ કહ્યું કે આ કેસમાં તપાસ ચાલી રહી છે

જામીન અરજીનો વિરોધ કરતા SITએ કોર્ટમાં કહ્યું કે આ કેસમાં હજુ તપાસ ચાલી રહી છે. હાલ બે સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા છે. SITએ કહ્યું, “આ બે સાક્ષીઓના નિવેદનો સૂચવે છે કે સેતલવાડ દ્વારા અન્ય આરોપી વ્યક્તિઓ સાથે મળીને ષડયંત્ર રચવામાં આવ્યું હતું, તે સમયના રાજ્યસભાના સાંસદ અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખના રાજકીય સલાહકાર સ્વર્ગીય અહેમદ પટેલના કહેવાથી,” એસઆઈટીએ જણાવ્યું હતું.

કોંગ્રેસના અગ્રણીઓ પાસેથી મેળવી આર્થિક મદદ

ગોધરાકાંડ બાદના તોફાનો સંદર્ભે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ રચવામાં આવેલી SITએ કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે. જેમાં રજૂઆત કરાઈ છે કે તીસ્તા સેતલવાડે ગુજરાત અને તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને બદનામ કરવા કોંગ્રેસના અગ્રણીઓ પાસેથી આર્થિક મદદ મેળવી હતી. તીસ્તા સેતલવાડે તત્કાલીન રાજ્યસભા સાંસદ અને સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહમદ પટેલ સાથે મળીને ગુજરાતને બદનામ કરવાનો પ્લાન ઘડ્યો હતો. જે અંતર્ગત અહમદ પટેલ દ્વારા તીસ્તાને 2 તબક્કામાં 30 લાખ રૂપિયા રોકડા આપવામાં આવ્યા હતા.

દિલ્હીમાં અહેમદ પટેલના નિવાસસ્થાને મળ્યા હતા

અંગ્રેજી સમાચારપત્ર હિન્દુસ્તાન ટાઈમ્સના જણાવ્યા અનુસાર, ટ્રેનની ઘટનાના થોડા દિવસો બાદ જ તીસ્તા અને અહેમદ પટેલે ગુજરાતને બદનામ કરવાની યોજના અમદાવાદના શાહીબાગ સર્કિટ હાઉસમાં બનાવી હતી. તીસ્તાએ અહેમદ પટેલ સહિતના કૉંગ્રેસના અગ્રણીઓ સાથે અમદાવાદમાં અનેકવાર મુલાકાતો કરી હતી. એટલું જ નહીં  તીસ્તાએ જ આર.બી.શ્રીકુમાર અને સંજીવ ભટ્ટની અહેમદ પટેલ સાથે મુલાકાત કરાવી હતી. તેઓ દિલ્હીમાં અહેમદ પટેલના નિવાસસ્થાને મળ્યા હતા. જેમાં નરેન્દ્ર મોદીને બદનામ કરવાના બદલામાં અહેમદ પટેલ તરફથી તીસ્તાને રાજ્યસભા સાંસદ બનાવવાની બાંહેધરી આપવામાં આવી હતી. પરંતુ જ્યારે શબાના આઝમી અને જાવેદ અખ્તરને રાજ્યસભામાં સાંસદ બનાવ્યા ત્યારે તીસ્તાએ અહમદ પટેલ સામે રોષ ઠાલવ્યો હતો. આ સમયે તીસ્તાના રોષને ઠંડો પાડવા 2007માં કેન્દ્ર સરકારે તેને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરી હતી.

નરેન્દ્ર મોદીને બદનામ કરવાનું હતુ કાવતરુ

સોગંદનામાં એવો પણ ઘટસ્ફોટ કરાયો છે કે હરેન પંડ્યા હત્યા કેસનો પણ તીસ્તા દ્વારા તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને બદનામ કરવા માટે ઉપયોગ કરવાનું આયોજન હતું. પરંતુ સ્વ.હરેન પંડ્યાના પિતા વિઠ્ઠલ પંડ્યાએ તીસ્તાની આ યોજનામાં જોડાવાનો ઈનકાર કરતા તેને સફળતા નહોતી મળી. આરોપ છે કે તીસ્તાની સંસ્થાએ ગોધરા કાંડના પીડિતો માટે વિદેશથી દાનમાં મેળવેલા 1 કરોડ 51 લાખનો ઉપયોગ સ્વખર્ચ માટે કર્યો છે.

આ કેસમાં એડિશનલ સેશન્સ જજ ડી.ડી. ઠક્કરે એસઆઈટીનો જવાબ રેકોર્ડ પર લઈ જામીન અરજી પરની સુનાવણી સોમવાર સુધી મુલતવી રાખી છે. ગુજરાત રમખાણો (2002 ગુજરાત રમખાણો) માં નિર્દોષ લોકોને ફસાવવા માટે નકલી પુરાવા બનાવવા બદલ સેતલવાડની ભૂતપૂર્વ IPS અધિકારીઓ આરબી શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ સાથે ધરપકડ કરવામાં આવી છે.

Follow Us
રાજ્યમાં ગરમીથી મળશે આંશિક રાહત, આજથી તાપમાનમાં ઘટાડાની શક્યતા
રાજ્યમાં ગરમીથી મળશે આંશિક રાહત, આજથી તાપમાનમાં ઘટાડાની શક્યતા
તમારા ગુસ્સાને કાબૂમાં રાખો, ઉતાવળમાં નિર્ણયો લેવાનું ટાળો
તમારા ગુસ્સાને કાબૂમાં રાખો, ઉતાવળમાં નિર્ણયો લેવાનું ટાળો
પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણનો વડોદરાના જમીન વિવાદ મામલે હાઈકોર્ટમાં
પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણનો વડોદરાના જમીન વિવાદ મામલે હાઈકોર્ટમાં
રાજકોટ મેયર પદની રેસ તેજ, સંભવિત નામો અને જ્ઞાતિગત સમીકરણો ચર્ચામાં
રાજકોટ મેયર પદની રેસ તેજ, સંભવિત નામો અને જ્ઞાતિગત સમીકરણો ચર્ચામાં
અમદાવાદના મેયર કોણ બનશે? કયા પ્રમુખ નામો હાલ ચર્ચામાં
અમદાવાદના મેયર કોણ બનશે? કયા પ્રમુખ નામો હાલ ચર્ચામાં
કિર્તીદાન ગઢવીની મુશ્કેલી વધી: માર મારવાના આક્ષેપમાં હાઇકોર્ટની નોટિસ
કિર્તીદાન ગઢવીની મુશ્કેલી વધી: માર મારવાના આક્ષેપમાં હાઇકોર્ટની નોટિસ
સગીરાનું જીવન નરક બનાવનાર નરાધમને 20 વર્ષની સજા
સગીરાનું જીવન નરક બનાવનાર નરાધમને 20 વર્ષની સજા
વટવામાં 35 વર્ષ જૂની હત્યાનો ભેદ ઉકેલાશે? શબનમના અવશેષો શોધવા ખોદકામ
વટવામાં 35 વર્ષ જૂની હત્યાનો ભેદ ઉકેલાશે? શબનમના અવશેષો શોધવા ખોદકામ
ગળતેશ્વર મંદિરના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા
ગળતેશ્વર મંદિરના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા
SSG હોસ્પિટલમાં તંત્રની બેદરકારી, મૃતદેહ સડી ગયાની ફરિયાદ
SSG હોસ્પિટલમાં તંત્રની બેદરકારી, મૃતદેહ સડી ગયાની ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">