આજે રાજ્યમાં કોરોનાના નવા 816 કેસ નોંધાયા, 2 લોકોનાં થયાં મોત
ગુજરાત (Gujarat) કોરોનાના (Corona) કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં 21જુલાઈના રોજ કોરોના નવા 816 કેસ નોંધાયા છે, આજે કોરોનાના 745 દર્દી ડિસ્ચાર્જ થયા છે, જ્યારે રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 5,168 છે તો 02 લોકોના મોત પણ નોંધાયા છે.
ગુજરાત (Gujarat) કોરોનાના (Corona) કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં 20 જુલાઇના રોજ કોરોના નવા 816 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં (Ahmedabad) 312, મહેસાણામાં 56, સુરત 52, વડોદરામાં 51, રાજકોટમાં 36,, સુરતમાં 25, કચ્છમાં 24, પાટણમાં 21, વલસાડમાં 21, ગાંધીનગર કોર્પોરેશનમાં 20, ભાવનગર કોર્પોરેશનમાં 18, આણંદમાં 16, ભરૂચમાં 15, રાજકોટમાં 13, અમરેલીમાં 12, જામનગર કોર્પોરેશનમાં 11, નવસારીમાં 11, મોરબીમાં 10, બનાસકાંઠામાં 8, પોરબંદરમાં 7, અમદાવાદ ગ્રામ્યમાં 6, અરવલ્લી 5, દેવભૂમિ દ્વારકામાં 5, ગાંધીનગરમાં 5, ખેડામાં 3, સુરેન્દ્રનગરમાં 3,ભાવનગરમાં 2, જામનગરમાં 2, સાબરકાંઠામાં 2, તાપીમાં 2, ગીર સોમનાથમાં 1 તેમજ પંચમહારમાં 1 કેસ નોંધવામાં આવે છે.
જ્યારે કોરોના રિકવરી રેટ 98.71 ટકા થયો છે. તેમજ રાજયના આજે કોરોનાના 745 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 12, 29, 700 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. કોરોનાના કેસ વધવાની સાથે રાજ્ય સરકારની ચિંતા પણ વધારો થયો છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેર ફરી એક વાર કોરોનાનું એપી સેન્ટર બની રહ્યું છે. જેના પગલે હાઈકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા પણ જણાવ્યું છે.
અમદાવાદ બાદ સુરતમાં પણ કોરોનાના કેસો ફરીથી વધવા લાગ્યા છે. હાલમાં જે રીતે રોજે રોજે કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે તેના પરથી ચોથી લહેરનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં વર્તમાન પરિસ્થિતિ એટલે કે કોરોના સંક્રમણ પીકઅપ મોડમાં આવી જતા નવી સિવિલ હોસ્પિટલ તંત્ર હરકતમાં આવી ગયું છે. નવી સિવિલ હોસ્પિટલમાં આવેલ કોવિડ હોસ્પિટલમાં ફરીથી વોર્ડ, ઓપીડી અને સારવારના સાધનો સહિત જરૂરી વ્યવસ્થાઓ સાથે તેને પણ એક્ટિવ કરી દેવામાં આવી છે.