ગુજરાતમાં કોરોનાના નવા 787 કેસ, એક્ટિવ કેસની સંખ્યા 4896 થઈ
ગુજરાત (Gujarat) કોરોનાના(Corona)કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં 19 જુલાઇના રોજ કોરોના નવા 787 કેસ નોંધાયા છે.
ગુજરાત (Gujarat) કોરોનાના(Corona)કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં 19 જુલાઇના રોજ કોરોના નવા 787 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં(Ahmedabad)308,સુરત 57, મહેસાણામાં 55, વડોદરામાં 44, રાજકોટમાં 39, સુરતમાં 28, ગાંધીનગરમાં 25, ભાવનગરમાં 22, ભરૂચમાં 21,વડોદરામાં 21, જામનગરમાં 19, ગાંધીનગરમાં 17, કચ્છમાં 16, પાટણમાં 16, રાજકોટમાં 14, વલસાડમાં 12, મોરબીમાં 10, નવસારીમાં 10, આણંદમાં 09, અમદાવાદમાં જિલ્લામાં 07, અમરેલીમાં 06, ખેડામાં 05,સુરેન્દ્રનગરમાં 05, બનાસકાંઠામાં 04, અરવલ્લીમાં 03,પોરબંદરમાં 03, ભાવનગરમાં 02, જામનગરમાં 02,સાબરકાંઠામાં 02, તાપીમાં 02, દાહોદમાં 01, જૂનાગઠમાં 01 અને મહીસાગરમાં 01 કેસ નોંધાયો છે. જ્યારે રાજયમાં કોરોનાના નવા 4896 એક્ટિવ કેસ નોંધાયા છે. જ્યારે કોરોના રિકવરી રેટ 98.73 ટકા થયો છે. તેમજ રાજયના આજે કોરોનાના 659 દર્દીઓ સાજા થયા છે.
કોરોનાના કેસ વધવાની સાથે રાજ્ય સરકારની ચિંતા પણ વધારો થયો છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેર ફરી એક વાર કોરોનાનું એપીસેન્ટર બની રહ્યું છે. જેના પગલે હાઈકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા પણ જણાવ્યું છે.
અમદાવાદ બાદ સુરતમાં પણ કોરોનાના કેસો ફરીથી વધવા લાગ્યા છે. હાલમાં જે રીતે રોજે રોજે કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે તેના પરથી ચોથી લહેરનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં વર્તમાન પરિસ્થિતિ એટલે કે કોરોના સંક્રમણ પીકઅપ મોડમાં આવી જતા નવી સિવિલ હોસ્પિટલ તંત્ર હરકતમાં આવી ગયું છે. નવી સિવિલ હોસ્પિટલમાં આવેલ કોવિડ હોસ્પિટલમાં ફરીથી વોર્ડ, ઓપીડી અને સારવારના સાધનો સહિત જરૂરી વ્યવસ્થાઓ સાથે તેને પણ એક્ટિવ કરી દેવામાં આવી છે.