રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસના ગુજરાત પ્રવાસે, 24 માર્ચે વિધાનસભાને સંબોધશે, દ્વારકા પ્રવાસ રદ

મહત્વનું છે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પહેલા 24 માર્ચે દ્વારકા જવાના હતા. પરંતુ દ્વારકાના કાર્યક્રમમાં થોડો ફેરફાર કરાયો છે. અને, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો દ્વારકા પ્રવાસ છેલ્લી ઘડીએ રદ કરાયો છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસના ગુજરાત પ્રવાસે, 24 માર્ચે વિધાનસભાને સંબોધશે, દ્વારકા પ્રવાસ રદ
President Ramnath Kovind will address the Legislative Assembly on March 24 during his two-day visit to Gujarat (ફાઇલ ફોટો)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 23, 2022 | 8:40 PM

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind )24 માર્ચે ગુજરાતના (Gujarat) બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ ગુજરાત પ્રવાસ દરમિયાન વિધાનસભાને (Gujarat Legislative Assembly) સંબોધશે. તથા, 25 માર્ચના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ  જામનગરમાં INS વાલસુરા નેવી મથકની મુલાકાત લેશે. નોંધનીય છેકે રાષ્ટ્રપતિના કાર્યક્રમમાં છેલ્લી ઘડીએ થોડોક ફેરફાર પણ થયો છે. કારણ કે રાષ્ટ્રપતિ દ્વારકાની મુલાકાતે 24 માર્ચે જવાના હતા. પરંતુ, રાષ્ટ્રપતિનો દ્વારકા પ્રવાસે રદ કરવામાં આવ્યો છે.

ગુજરાત વિધાનસભામાં રાષ્ટ્રપતિ સંબોધન કરશે, ગૃહનો એક કલાક સમય વધારાયો

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 24 માર્ચેથી 2 દિવસના ગુજરાત પ્રવાસે છે. આ દરમિયાન રાષ્ટ્રપતિ ગુજરાત વિધાનસભામાં આવતીકાલે સંબોધન કરશે. ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર બનશે તે કોઇ રાષ્ટ્રપતિ દ્વારા વિધાનસભાને સંબોધવામાં આવી હોય. વિધાનસભામાં સવારે 11 કલાકે રાષ્ટ્રપતિનું સંબોધન કરવાના છે. અને, આ સંબોધન એક કલાક સુધી ચાલે તેવી શક્યતા છે. નોંધનીય છેકે વિધાનસભાની કામકાજ સલાહકાર સમિતિમાં આ નિર્ણય લેવાયો છે. રાષ્ટ્રપતિના કાર્યક્રમને લઈને વિધાનસભા ગૃહનો એક કલાક સમય વધારવામાં પણ આવ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

“આઝાદી કા અમૃત મહોત્સવ” હેઠળ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુરૂવારે વિધાનસભાને સંબોધન કરશે. સવારે 11થી 12 વાગ્યા સુધી સંબોધન કરશે..સવારે સાડા દસ વાગ્યા સુધી તમામ સભ્યો ગૃહમાં પહોંચી જશે.પોલીસ બેંડ દ્વારા રાષ્ટ્ર ગીતની ધૂન વગાડવાામાં આવશે.વિધાનસભાના અધ્યક્ષે તમામ ધારાસભ્યોને ગૃહની શિસ્તનું પાલન કરવા સૂચના આપી દીધી છે.કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બપોરે 1 વાગ્યે વિધાનસભાની બેઠક મળશે.અને રાષ્ટ્રપતિની વિધાનસભાની મુલાકાતના કારણે ગુરૂવારે એક બેઠક રદ્દ કરવાામાં આવી છે. જે બેઠક આગામી મંગળવારે મળશે. 25 માર્ચે અમદાવાદથી જામનગર રવાના થશે.જયાં રાષ્ટ્રપતિ નૌ સેનાના કાર્યક્રમમાં હાજર રહેશે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો દ્વારકાનો કાર્યક્રમ રદ કરાયો

મહત્વનું છે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પહેલા 24 માર્ચે દ્વારકા જવાના હતા. પરંતુ દ્વારકાના કાર્યક્રમમાં થોડો ફેરફાર કરાયો છે. અને, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો દ્વારકા પ્રવાસ છેલ્લી ઘડીએ રદ કરાયો છે. દ્વારકા પ્રવાસને લઈને જિલ્લા કલેકટર દ્વારા આ માહિતી આપવામાં આવી છે. આ નિર્ણય અગાઉના આયોજન મુજબ રાષ્ટ્રપતિ 24 માર્ચના રોજ દ્વારકાધીશના દર્શન કરવા આવવાના હતા. જેને લઈને તૈયારીઑ પણ કરી લેવામાં આવી હતી. પણ છેલ્લી ઘડીએ કાર્યક્રમમાં ફેરફાર કરાયો છે.

25 માર્ચે રામનાથ કોવિંદ જામનગરની મુલાકાતે 

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આગામી 25 માર્ચે જામનગરની મુલાકાત લેશે. જ્યાં ઇન્ડિયન નવલ શિપ વાલસુરાને ‘પ્રેસિડેન્ટ્સ કલર’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ સન્માનના કાર્યક્રમ દરમિયાન 150 જવાનો દ્વારા ‘ગાર્ડ ઓફ ઓનર’ સાથે રાષ્ટ્રપતિને માન આપવા માટે ઔપચારિક પરેડ રજૂ કરવામાં આવશે. જ્યાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, નૌસેના સ્ટાફના વડા એડમિરલ આર. હરી કુમાર, સધર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ વાઇસ એડમિરલ એમ.એમ. હમ્પિહોલી સહિતના લોકો ઉપસ્થિત રહેનાર છે.

રાષ્ટ્રપતિનો કાર્યક્રમ 

24 માર્ચ- સવારે 9:30 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચશે

24 માર્ચ- સવારે 10:00 કલાકે રાજ ભવન પહોંચશે

24 માર્ચ- 10.50 કલાકે ગુજરાત વિધાનસભા પહોંચશે

24 માર્ચ-11 વાગ્યાથી 11.40 સુધી વિધાનસભાની મુલાકાતે

24 માર્ચ- 15-20 મિનિટનું સંબોધન કરશે

24 માર્ચ- 11.45 કલાકે રાજભવન પરત ફરશે

24 માર્ચ-રાજભવનમાં જ રાત્રી રોકાણ કરશે

25 માર્ચ- સવારે 7.55 કલાકે અમદાવાદથી જામનગર રવાના થશે

25 માર્ચ- સવારે 9 કલાકે જામનગર એરપોર્ટ પહોંચશે

25 માર્ચ-9.30 કલાકે INS વાલસૂરા પહોંચશે

25 માર્ચ- 12 વાગ્યા સુધી INS વાલસૂરા ખાતે નૌ સેનાના કાર્યક્રમમાં હાજર રહેશે

25 માર્ચ- 12.20 કલાકે જામનગરથી દિલ્હી જવા રવાના થશે

આ પણ વાંચો: નીતુ કપૂર પહેલીવાર ડાન્સિંગ શોને કરશે જજ, પ્રોમોમાં પુત્રના ગીત પર ડાન્સ કરતી જોવા મળી

આ પણ વાંચો: Bappi Lahiri: બપ્પી લાહિરીના અવસાન પછી તેમના સોનાનું શું કરવામાં આવશે ખબર છે? તેમના પૂત્રએ આપી માહિતી

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">