બુધવારે સાંજે 4 વાગ્યાથી ગુજરાતના 18 જિલ્લાઓમાં શરૂ થશે યુદ્ધની મોકડ્રીલ, સાયરન વાગતા જ 7.30 થી 8 છવાઈ જશે અંધારપટ
ભારત સરકારે નિર્ણય કર્યો છે કે 7 મી મે એ બુધવારે સિવિલ ડિફેન્સ મોક ડ્રૂીલ કરવામાં આવશે. યુદ્ધ અને કટોકટીની સ્થિતિમાં આ પ્રકારની મોકડ્રીલ કરવામાં આવે છે, ગુજરાતમાં રાજ્યના 18 જિલ્લાઓમાં સાંજે 4 વાગ્યા થી 8 વાગ્યા સુધી આ મોકડ્રીલ ચાલશે. જેમા સાંજે 7.30 વાગ્યે સાયરન વાગતા જ અંધારપટ છવાઈ જશે. માત્ર 30 મિનિટ માટે ટોટલ બ્લેકઆઉટ કરવામાં રહેશે.

દેશમાં પાકિસ્તાન સાથે યુદ્ધની શક્યતા વચ્ચે આવતીકાલે (7 May) દેશભરમાં યુદ્ધની મોકડ્રીલ કરવામાં આવશે. આ દરમિયાન રાજ્યના 18 જિલ્લાઓમાં આ સિવિલ ડિફેન્સ મોકડ્રીલ કરવામાં આવશે. સાંજે 4 વાગ્યાથી 8 વાગ્યા સુધી આ મોકડ્રીલ ચાલશે. આ દરમિયાન સાંજે 7.30 વાગ્યે સાયરન વાગતા જ 8 વાગ્યા સુધી અંધારપટની સ્થિતિ રહેશે. જેમા ટોટલ બ્લેકઆઉટ કરી દેવામાં આવશે.
દેશભરમાં હાલ પાકિસ્તાન સામે આક્રોષનો માહોલ છે. 22 એપ્રિલે જમ્મુકાશ્મીરમાં પ્રવાસીઓ પર આતંકીઓએ કરેલા હુમલા બાદ પાકિસ્તાન સાથેના સંબંધો વધુ તણાવપૂર્ણ બન્યા છે અને ભારતે આ કાયરતાપૂર્ણ કૃત્યનો જડબાતોડ જવાબ આપવાનો ભારતે નિર્ધાર કરી લીધો છે. ત્યારે યુદ્ધની તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. એ જ તૈયારીઓના ભાગરૂપે દેશભરમાં આ સિવિલ ડિફેન્સ મોકડ્રીલ કરવામાં આવી રહી છે. જેમા ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં આવતીકાલે સાંજે 4 વાગ્યાથી આ યુદ્ધની મોકડ્રીલ શરૂ થઈ જશે. જે 8 વાગ્યા સુધી ચાલશે.
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના જણાવ્યા અનુસાર ગુજરાતના 18 જિલ્લામાં આ મોકડ્રીલ થવાની છે. જેમા કોઈપણ નાગરિકે પેનિક થવાની કે દોડાદોડી કરવાની કોઈ જ જરૂર નથી. સાંજે 7.30 વાગ્યાથી 8 વાગ્યા સુધી અંધારપટની સ્થિતિ રહેશે. જે લોકો તેમના ઘરોમાં હશે તેમણે જાતે તેમના ઘરની લાઈટો ઓફ કરી દેવાની રહેશે. ટોટલ બ્લેકઆઉટ અડધા કલાક સુધી રહેશે. જો ઘરની લાઈટ ઘરના પડદાઓની કે કાચની બહાર ન જતી હોય અને કોઈ પ્રકાશ બહારની બાજુમાં ન દેખાતો હોય તો ઘરમાં લાઈટો ચાલુ રાખવામાં કોઈ સમસ્યા નથી પરંતુ 30 મિનિટ સુધી ટોટલ બ્લેકઆઉટ રાખવાનો હોવાથી દરેક વ્યક્તિએ તેમના ઘરની તમામ લાઈટો બંધ રાખવી જરૂરી છે. એ પહેલા જરૂરી તમામ કામ નિપટાવી લેવાના રહેશે અથવા તો બ્લેકઆઉટની સ્થિતિ સમાપ્ત થયા બાદ કામ કરી લેવા.
ટોટલ બ્લેકઆઉટની સ્થિતિ દરમિયાન જે લોકો ઘરમાં છે તેમણે બહાર આંટા મારવા કે ફરવા જવાનું નથી. સોસાયટીમાં પણ બહાર ગૃપમાં બેસવાનુ નથી. કોઈપણ વ્યક્તિ ઘરની બહાર ન નીકળે અને ઘરમાં શાંતિથી બેસે. આ દરમિયાન મોબાઈલની ટોર્ચ લાઈટ પણ કરવાની રહેશે નહીં. બીજી અગત્યની સૂચના જે હર્ષ સંઘવી દ્વારા આપવામાં આવી છે કે કોઈએ મોકડ્રીલ દરમિયાન લિફ્ટનો ઉપયોગ કરવો નહીં અને કોઈએ ડરવાની જરૂર નથી. લોકો સમજી શકે અને સહયોગ કરે તેવી અપીલ કરવામાં આવી છે.
Input Credit- Kinjal Mishra- Gandhinagar