ગુજરાતમાં કોરોનાના નવા 114 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 886એ પહોંચી
ગુજરાતમાં(Gujarat)કોરોનાના(Corona)કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં 29 સપ્ટેમ્બરના રોજ કોરોનાના નવા 114 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 886 થઈ છે
ગુજરાતમાં(Gujarat)કોરોનાના(Corona)કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં 29 સપ્ટેમ્બરના રોજ કોરોનાના નવા 114 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 886 થઈ છે. જેમાં આજે કોરોનાથી 128 દર્દીઓ સાજા થયા છે. તેમજ કોરોનાનો રિકવરી રેટ 99.06 ટકા થયો છે. જેમાં આજે નોંધાયેલા નવા કેસ પર નજર કરીએ તો અમદાવાદમાં 33,(Ahmedabad) સુરતમાં 22, વડોદરામાં 10, રાજકોટમાં 09, સુરત જિલ્લામાં 07, વડોદરા જિલ્લામાં 05, વલસાડમાં 05, નવસારીમાં 04, ગાંધીનગરમાં 03, અમરેલીમાં 02, બનાસકાંઠામાં 02, પાટણમાં 02, રાજકોટમાં 02, સાબરકાંઠામાં 02, ભાવનગરમાં 01, કચ્છમાં 01, મહેસાણામાં 01, પંચમહાલમાં 01 અને તાપીમાં 01 કેસ નોંધાયો છે. જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. તેમજ આજે રાજ્યના કોરોનાથી એક પણ મૃત્યુ નોંધાયું નથી.
નવરાત્રી અને અન્ય તહેવારોમાં સાચવજો
હાલ નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે. તમામ ગુજરાતીઓ કોરોના મહામારીના લગભગ 2 વર્ષ બાદ મન મૂકીને ગરબા રમી રમ્યા છે. આ વચ્ચે નવરાત્રીના આયોજનમાં ભીડ જમા થઈ છે. જેના કારણે કોરોના સંક્રમણમાં પણ વધારો થઈ શકે છે. તેથી તહેવારો દરમિયાન કોરોના નિયમોનું પાલન કરી સાવચેત રહેવાની જરુર છે.