ગુજરાતમાં કોરોનાના નવા 186 કેસ, 174 દર્દીઓ સાજા થયા
ગુજરાતમાં(Gujarat) કોરોનાના(Corona) કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જેમાં ચાર સપ્ટેમ્બરના રોજ કોરોનાના નવા 186 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસ 1422 થયા છે. જેમાં કોરોના રિકવરી રેટ 99. 02 ટકા થયો છે

ગુજરાતમાં(Gujarat) કોરોનાના(Corona) કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જેમાં ચાર સપ્ટેમ્બરના રોજ કોરોનાના નવા 186 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસ 1422 થયા છે. જેમાં કોરોના રિકવરી રેટ 99. 02 ટકા થયો છે. જ્યારે કોરોનાથી 174 દર્દીઓ સાજા થયા છે. જ્યારે કોરોનાના નવા કેસની વાત કરીએ તો અમદાવાદમાં(Ahmedabad) 46, સુરતમાં 32, વડોદરામાં 20, સુરત જિલ્લામાં 18, વલસાડમાં 07, ગાંધીનગરમાં 06, કચ્છમાં 06, મહેસાણામાં 06, ગાંધીનગરમાં 05, રાજકોટ જિલ્લામાં 05,વડોદરામાં 05, ભાવનગરમાં 04, નવસારીમાં 04, બનાસકાંઠામાં 03, પોરબંદરમાં 03, રાજકોટમાં 03, સાબરકાંઠામાં 03, ભરૂચમાં 02, જામનગરમાં 02, અમરેલીમાં 01, આણંદમાં 01, બોટાદમાં 01, જૂનાગઢમાં 01, મોરબીમાં 01 અને સુરેન્દ્રનગરમાં 01 કેસ નોંધાયો છે.
શાળાઓમાં બાળકો માટે માસ્ક ફરજિયાત
કોરોનાના કેસમાં વધવાની સાથે રાજ્ય સરકારની ચિંતા પણ વધારો થયો છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધારે કેસ નોંધાય રહ્યા છે. જેના પગલે હાઈકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા પણ જણાવ્યું છે.
ચોમાસામાં વધારે સાવધાન રહેજો
ગુજરાતમાં દરેક જીલ્લામાં ચોમાસાનો માહોલ યથાવત છે. ત્યારે રોગચારાનો ખતરો પણ તોળાય રહ્યો છે. ઋતુગત બીમારીઓ, સ્વાઈ ફલૂ, ગાયોમાં લમ્પી વાયરય, મંકી પોક્સ મહામારી વચ્ચે લોકોએ વધારે સાવધાન રહેવાની જરુર છે. અને આ બધી બીમારીઓથી બચવા માટે વધારે સાવધાન રહેવાની જરુર છે.