Ambaji માં ભાદરવી પૂનમના મેળાને લઇને સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો, પાંચ હજાર જવાન ખડેપગે

વિશ્વ પ્રસિદ્વ યાત્રાધામ અંબાજી(Ambaji) ખાતે આ વર્ષે ભાદરવી પૂનમનો મહામેળો(Bhadarvi Poonam fair)  યોજાશે. જેમાં સોમવારે અંબાજી મેળાને વિધિવત રીતે ખુલ્લો મુકાશે.આગામી 10 સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમનો મેળો ચાલશે.

Ambaji માં ભાદરવી પૂનમના મેળાને લઇને સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો, પાંચ હજાર જવાન ખડેપગે
અંબાજી મંદિરના ચાચર ચોકમાં ભક્તોએ રમ્યા ગરબાImage Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 04, 2022 | 6:04 PM

વિશ્વ પ્રસિદ્વ યાત્રાધામ અંબાજી(Ambaji) ખાતે આ વર્ષે ભાદરવી પૂનમનો મહામેળો(Bhadarvi Poonam fair)  યોજાશે. જેમાં સોમવારે અંબાજી મેળાને વિધિવત રીતે ખુલ્લો મુકાશે.આગામી 10 સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમનો મેળો ચાલશે. અંબાજી ખાતે દર વર્ષે યોજાતો ભાદરવી પૂનમનો મેળો કોરોનાના લીધે છેલ્લા બે વર્ષથી બંધ હતો.બે વર્ષના લાંબા વિરામ બાદ આ ભાદરવી પૂનમનો મહામેળો યોજાશે.જેને લઈ ભક્તોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે..અને મેળા પહેલા જ અંબાજીમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે..તો બીજી તરફ છ દિવસના મેળાને લઇને વહીવટ તંત્ર પણ એલર્ટ બન્યું છે. શ્રદ્ધાળુંની સુરક્ષા માટે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે..મેળા દરમિયાન 5 હજારથી વધુ પોલીસ જવાનો ખડેપગે તૈનાત રહેશે.તો આરોગ્ય વિભાગ પણ એલર્ટ બન્યું છે અને વિવિધ સ્થળોએ ટીમો તૈનાત કરી દેવામાં આવી છે..જ્યારે યાત્રીકોને મુસાફરીમાં કોઇ તકલીફ ન પડે તે માટે એસટી વિભાગે પણ અલાયદી વ્યવસ્થા કરી છે.

બનાસકાંઠા પોલીસ દ્વારા 48 જેટલા પોલીસ સહાયતા કેદ્રો ઉભા કરવામાં આવ્યા

જેમાં બનાસકાંઠા પોલીસ દ્વારા 500થી વધારે પોઇન્ટ પર 5000 પોલીસ/ SRP/HG/GRDના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. તેમજ 50 જેટલા મોબાઈલ પેટ્રોલિંગ રુટ ઉપર 24*7 પોલીસ વાન , મોટરસાયકલ , ઘોડેસવાર દ્વારા ચાંપતી નજર રખાશે. તેમજ 325થી વધારે CCTV કેમેરા અને 10 જેટલા PTZ કેમેરાને FRS ( facial recognition systi ) સાથે જોડી તમામ અસામાજિક તત્વો ઉપર કંટ્રોલ રૂમ દ્વારા સતત નજર રખાશે. આ ઉપરાંત 48 બોડી વોર્ન કેમેરા , 35 વિડિઓ ગ્રાફર , 4 ડ્રોન કેમેરા , 13 વૉચ ટાવર અને 10 BDDS ટીમ દ્વારા પણ ચાંપતી  નજર રાખવામાં આવશે.આ વખતે પ્રથમ વખત બનાસકાંઠા પોલીસ દ્વારા 48 જેટલા પોલીસ સહાયતા કેદ્રો ઉભા કરવામાં આવ્યા છે જેથી કોઈ પણ માઇ ભક્ત ને કોઈ પણ સમયે તત્કાલ મદદ કરી શકાય.

51 શક્તિ પીઠ શર્કલ થી ગબ્બર શર્કલ સુધી નો રસ્તો ” નો વેહિકલ ઝોન

અંબાજી ની તરફ આવતા રસ્તાઓ ઉપર આ વખતે 22 જેટલા વાહન પાર્કિંગ પ્લોટ બનાવામાં આવ્યા છે અને ત્યાં પોલીસ ની 24*7 હાજરી રહેશે જેથી કોઈ ને પણ તકલીફ ના પડે. અંબાજી મંદિર માં આવતી તમામ વસ્તુ ને બેગેજ સ્કેનર દ્વારા ચેક કરી ને બાદજ અંદર લાવી શકાશે તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે. 51 શક્તિ પીઠ શર્કલ થી ગબ્બર શર્કલ સુધી નો રસ્તો ” નો વેહિકલ ઝોન ” તરીકે રાખવામાં આવેલ છે જેથી શ્રદ્ધાળુઓને શાંતિ થી દર્શન કરવામાં મુશ્કેલી ના પડે અને કોઈ જગ્યા પાર ભીડ ના થાય. ગબ્બર પર્વત પર અને તેની ફરતે પ્રદક્ષીણા પાથ ઉપર , લાઈટ એન્ડ સાઉન્ડ શૉ ઉપર પણ પોલિસ પોઇન્ટ મુકવામાં આવ્યા છે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

રેડિયો ચેનલ મારફતે 252 વોકી ટોકી સેટ અને 18 સ્ટેટિક સેટ ને મુખ્ય કંટ્રોલ રૂમ સાથે જોડવામાં આવ્યા

જ્યારે દરેક નદી નાળા , ઝરણાં ઉપર પણ પોલીસ ટીમો સ્થાનિક તરવૈયા સાથે તૈનાત કરવામાં આવી છે. જંગલ ના નાના રસ્તાઓ ઉપર ઘોડે સવારો ની એક અલગ થી ટીમ રહેશે. તેમજ મહિલાઓ ની સુરક્ષા માટે ખાસ 7 જેટલી SHE ટીમ ખાનગી કપડામાં માં રહી નજર રાખશે. પોલીસ દ્વારા કૉમ્યૂનિકેશન માટે વિશેષ પ્લાન બનાવાયો છે જેમાં ગબ્બર પર્વત ઉપર રિપીટર સ્ટેશન મારફત એક અલગ જ રેડિયો ચેનલ મારફતે 252 વોકી ટોકી સેટ અને 18 સ્ટેટિક સેટ ને મુખ્ય કંટ્રોલ રૂમ સાથે જોડવામાં આવેલ છે.

આકસ્મિક માટે ગેટ ન . 5 અને 6 રાખવામાં આવેલ છે

આ ઉપરાંત કોઈ પણ મદદ માટે અંબાજી ખાતેજ DIAL 100 એકટીવેંટ કરવામાં આવેલ છે. મંદિર ખાતે દર્શન માટે આવવા માટે શક્તિ દ્વાર અને બહાર જવા માટે ગેટ ન. : 7 , 8, 9 રાખવામાં આવેલ છે. તથા આકસ્મિક માટે ગેટ ન . 5 અને 6 રાખવામાં આવેલ છે. પદયાત્રીઓ અને ભાદરવી પુનમીયા સંઘો શાંતિ થી ચાલી શકે અને અકસ્માત ની સંભાવના નિવારી શકાય તે માટે અંબાજી તરફ જતા રસ્તાની ડાબી લેન માત્ર તેમના માટે જ સુરક્ષિત રહેશે , જયારે બાકીના વાહનો રસ્તાની જમણી તરફ ચાલી શકશે તેવું આયોજન કરવામાં આવેલ છે. અને સાથે સાથે તમામ સેવા સંઘો પણ રસ્તાની ડાબી તરફ જ રાખવામાં આવેલ છે જેથી કોઈ  પણ પદયાત્રી ને રોડ ક્રોસ કરવાની જરૂર પડશે નહિ.

નાના બાળકો ઘણી વાર પોતાના પરિવાર થી ભૂલા પડતા હોઈ છે તો તેમને જલ્દી થી મેળવી શકાય તે માટે તમામ બાળકો ને RFID tag વાળો card આપવામાં આવશે. બનાસકાંઠા પોલીસ તમામ માઇ ભક્તો અને લોકો ની મદદ માટે 24*7 હાજર રહેશે.

Latest News Updates

નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
g clip-path="url(#clip0_868_265)">