Narmada Breaking News : ભાજપના સાંસદે કહ્યું મંદિરમાં વિદેશી નહીં દેશી દારૂ ચઢાવો, જુઓ Video
નર્મદા જિલ્લાના પ્રસિદ્ધ દેવ મોગરા મંદિરમાં દારૂ ચઢાવવાની પરંપરા મુદ્દે સાંસદ મનસુખ વસાવાએ નિવેદન આપ્યું છે. તેમણે વિદેશી કે કેમિકલયુક્ત દારૂના બદલે સ્થાનિક પરંપરા અને આદિવાસી સંસ્કૃતિ અનુસાર શુદ્ધ મહુડાનો દારૂ ચઢાવવા ભાર મૂક્યો.
નર્મદા જિલ્લાના સુપ્રસિદ્ધ દેવ મોગરા મંદિરમાં દારૂ ચઢાવવાની પરંપરા અંગે સાંસદ મનસુખ વસાવાએ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે મંદિરમાં વિદેશી કે કેમિકલયુક્ત દારૂ ચઢાવવો યોગ્ય નથી. વસાવાના મતે, આદિવાસી સંસ્કૃતિ અને સ્થાનિક પરંપરા અનુસાર મંદિરમાં મહુડાનો દારૂ જ અર્પણ કરવો જોઈએ.
સાંસદ વસાવાએ ભારપૂર્વક જણાવ્યું કે મહુડાનો દારૂ સ્થાનિક પરંપરા અને આસ્થાનું પ્રતીક છે, જ્યારે વિદેશી દારૂ કેમિકલયુક્ત હોવાથી ધાર્મિક વિધિઓમાં તેને સ્થાન આપવું અયોગ્ય છે. તેમણે ભક્તોને મંદિરની પરંપરા જાળવી રાખવા અને શુદ્ધ ઘરે બનાવેલા મહુડાના દારૂનો જ ઉપયોગ કરવા અપીલ કરી છે. વધુમાં, તેમણે ઉમેર્યું કે વિદેશી દારૂનું સેવન સ્વાસ્થ્ય માટે ભયંકર નુકસાનકારક છે અને અનેક પ્રકારની બીમારીઓ નોતરી શકે છે, કારણ કે તે કેમિકલયુક્ત હોય છે. દેવ મોગરા જેવા ધાર્મિક સ્થળોએ કેમિકલયુક્ત કે ડુપ્લીકેટ દારૂ ન લઈ જવા પર પણ તેમણે ભાર મૂક્યો હતો.
અમદાવાદમાં વાલીઓ પર મોંઘવારીનો વધુ એક માર, સ્કૂલ વાન અને રિક્ષા ભાડામાં વધારો
