AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gandhinagar : દારુના વેચાણ માટે આરોપીનો નવો ખેલ, જાણો શું છે અન્ય મોડેસ ઓપરેન્ડી

સામાન્ય રીતે બુટલેગરો પોલીસથી બચવા માટે ઘરમાં તો અમુક બુટલેગરો ઘરમાં પણ અલગથી ચોરખાનું બનાવી તેમાં દારૂનો જથ્થો મુકતા હોય છે. જો કે ગાંધીનગરના માણસામાં બુટલેગરોએ દારૂનો જથ્થો સાચવવા શૌચાલયનો ઉપયોગ કર્યો હતો. જોકે પોલીસને જાણ થતા તેમણે દરોડા પાડી આરોપીના ઘર પાસેના શૌચાલયમાંથી મોટી સંખ્યામાં દારૂનો જથ્થો પકડી પાડ્યો છે.

Gandhinagar : દારુના વેચાણ માટે આરોપીનો નવો ખેલ, જાણો શું છે અન્ય મોડેસ ઓપરેન્ડી
Harin Matravadia
| Edited By: | Updated on: Oct 03, 2023 | 9:59 AM
Share

Gandhinagar : ગુજરાતમાં દારુબંધી છે તેવુ કહેવામાં આવે છે. જો કે બીજી તરફ બુટલેગરો દારુનો વેપાર,વેચાણ અને હેરાફેરી કરવા માટે અવનવી તકનીક અપનાવતા જોવા મળી રહ્યા છે. ગાંધીનગરના માણસામાં આવેલા એક ગામમાં પણ દારુનું (liquor) વેચાણ અનોખી મોડેસ ઓપરેન્ડીથી થતુ હોવાનું સામે આવ્યુ છે. આરોપી ઘર પાસેની જ જમીનમાં શૌચાલયમાં (toilet) દારુનો જથ્થો રાખી વેચાણ કરતું હોવાનું ઝડપાયુ છે.

આ પણ વાંચો-Surat : સરથાણામાં ઓછા વજનની સોનાની ચેઈન આપી 75 હજારની દાગીના લઈ ફરાર થનાર ઠગબાજ ઝડપાયો

સામાન્ય રીતે બુટલેગરો પોલીસથી બચવા માટે ઘરમાં તો અમુક બુટલેગરો ઘરમાં પણ અલગથી ચોરખાનું બનાવી તેમાં દારૂનો જથ્થો મુકતા હોય છે. જો કે ગાંધીનગરના માણસામાં બુટલેગરોએ દારૂનો જથ્થો સાચવવા શૌચાલયનો ઉપયોગ કર્યો હતો. જોકે પોલીસને જાણ થતા તેમણે દરોડા પાડી આરોપીના ઘર પાસેના શૌચાલયમાંથી મોટી સંખ્યામાં દારૂનો જથ્થો પકડી પાડ્યો છે.

બાતમીના આધારે પોલીસે પાડી હતી રેડ

પોલીસને બાતમી મળી હતી કે ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના વ્યાસ પાલડી ગામમાં રહેતા જયપાલસિંહ ચાવડા અને ભાવેશસિંહ વિહોલ દારૂની હેરાફેરી કરે છે. આ બાતમીના આધારે પોલીસે જયપાલસિંહના ઘરે રેડ પાડી હતી. પોલીસે રેડ કરી તે સમયે આરોપી જયપાલસિંહ એકટીવા લઈ આવતો હતો. પોલીસે તેને રોકી એક્ટિવાની તપાસ કરતા તેની ડિકીમાંથી પાંચ બીયરના ટીન મળી આવ્યા હતા.

શૌચાલયમાંથી મળી આવ્યો દારુનો જથ્થો

પોલીસે આરોપીની પૂછપરછ કરતા તેમજ તેના ઘરની આસપાસ તપાસ કરતા ઘર પાસેની જમીનમાં બનાવેલા બે શૌચાલયમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારુ ઝડપાયો હતો.વિદેશી દારુની અલગ અલગ બ્રાન્ડની બોટલ અને બીયર ટીન મળી કુલ 309 નંગ બોટલ ઝડપાઇ હતી. પોલીસે એક્ટીવા અને દારુ મળી કુલ 1,14,860 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે દારૂના જથ્થા સાથે જયપાલસિંહ ચાવડાની ધરપકડ કરી છે જ્યારે તેની સાથેના વોન્ટેડ આરોપી ભાવેશસિંહ બકાજી વિહોલ વિરૂદ્ધ માણસ પોલીસ મથકમાં ફરિયાદ નોંધી છે. પોલીસે ફરાર આરોપી ભાવેશસિંહની શોધખોળ પણ હાથ ધરી છે.

મહત્વનું છે કે અગાઉ પણ બુટલેગરોએ પોલીસથી બચવા અલગ અલગ કિમીયાઓ અજમાવતા હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. જો કે પોલીસે આવા તમામ કિમિયાઓને નાકામ પણ કર્યા છે. અનેક વખત કારમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરવામાં આવે છે. તો ઘણી વખત દૂધના કે અન્ય માલ સામાનની આડમાં ટેન્કરોમાં પણ દારૂની હેરાફેરી થતી હોય છે. જેને પોલીસ પકડી પાડે છે, ત્યારે થોડા દિવસો અગાઉ જ ગાંધીનગર જિલ્લામાં એક બુટલેગર દ્વારા પોતાના ઘરમાં જ મસમોટું ખાનું બનાવી તેમાં દારૂનો જથ્થો છુપાડ્યો હતો, ત્યારે હવે ફરીથી ગાંધીનગર જિલ્લાની માણસા પોલીસે ગ્રામ્ય વિસ્તારમાંથી સૌચાલયમાં છુપાવેલો દારૂનો જથ્થો પકડી પાડ્યો છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સંઘપ્રદેશ દાદરામાં લાગી ભીષણ આગ, 4 ફેકટરી બળીને ખાખ
સંઘપ્રદેશ દાદરામાં લાગી ભીષણ આગ, 4 ફેકટરી બળીને ખાખ
જસદણમાં કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો, એકનું મોત
જસદણમાં કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો, એકનું મોત
ઘરમાં સમસ્યાઓ ઊભી થઈ શકે છે, વધુ પડતું ખાવાનું ટાળો
ઘરમાં સમસ્યાઓ ઊભી થઈ શકે છે, વધુ પડતું ખાવાનું ટાળો
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
g clip-path="url(#clip0_868_265)">