AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું તમે પણ વાહનની માઇલેજ વધારવા માટે ફ્યુઅલ એડિટિવ્સ વાપરો છો… ? જાણો શું કહે છે એક્સપર્ટ્સ

E20 પેટ્રોલ આવ્યા પછી ગાડીઓની માઇલેજ ઘટવાની ફરિયાદો વચ્ચે માઇલેજ વધારવાનો દાવો કરતા ફ્યુઅલ એડિટિવ્સનું વેચાણ ઝડપથી વધી રહ્યું છે. શું ખરેખર પેટ્રોલ કે ડીઝલની ટાંકીમાં લિક્વિડ ઉમેરવાથી માઇલેજ વધી જાય છે? જાણો આ વિશે ઓટો એક્સપર્ટ્સ અને વિજ્ઞાન શું કહે છે.

શું તમે પણ વાહનની માઇલેજ વધારવા માટે ફ્યુઅલ એડિટિવ્સ વાપરો છો... ? જાણો શું કહે છે એક્સપર્ટ્સ
| Updated on: Jul 20, 2026 | 7:38 PM
Share

દેશભરના પેટ્રોલ પંપ પર ઇથેનોલ યુક્ત E20 પેટ્રોલના સપ્લાય સાથે જ માઇલેજ ઘટી જવાની ફરિયાદો સતત આવી રહી છે. તેની સાથે જ બજારમાં માઇલેજ વધારવાના નામે ફ્યુઅલ એડ-ઓન (Fuel Additives) વેચતી કંપનીઓ પણ સક્રિય થઈ ગઈ છે. આ કંપનીઓ દાવો કરી રહી છે કે તેના ઉપયોગથી માઇલેજનો ઘટાડો પૂરેપૂરો ખતમ થઈ જશે. આવી સ્થિતિમાં એ જાણવું જરૂરી છે કે શું ખરેખર કોઈ લિક્વિડ તમારી ગાડીની માઇલેજ વધારી શકે છે?

હકીકતમાં ભારતમાં 20% ઇથેનોલ વાળા E20 ફ્યુઅલના સપ્લાય પછીથી વાહનોની માઇલેજમાં 3% થી 5% સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે. આ જ કારણે આવા પ્રોડક્ટ્સની માંગ અને તેમના ચમત્કારિક દાવાઓનો અચાનક પૂર આવ્યો છે. સોશિયલ મીડિયા અને બજારમાં એવા ઘણા ફ્યુઅલ એડિટિવ્સની જાહેરાતો જોવા મળી રહી છે, જે દાવો કરે છે કે તેને ફ્યુઅલ ટેન્કમાં ભેળવવાથી માઇલેજની કમી દૂર થઈ જશે. પરંતુ વૈજ્ઞાનિક અને ટેકનિકલ દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો કોઈ પણ એડઓન ઉમેરવાથી માઇલેજમાં કોઈ જાદુઈ બદલાવ આવતો નથી. ઓટો એક્સપર્ટે પણ આ જ માનવું છે.

એડઓનનું અસલી સત્ય

  • કોઈપણ લિક્વિડ કે એડિટિવ તમારી ગાડીના એન્જિનની મૂળ ક્ષમતા (Factory-designed efficiency) ને બદલી શકતું નથી. જો તમારી ગાડીની મહત્તમ ક્ષમતા જ 15 કિમી/લિટરની હોય, તો કોઈ પણ એડઓન તેને 20 કે 25 કિમી/લિટર બનાવી શકતું નથી.
  • જ્યારે ગાડી જૂની થાય છે, ત્યારે એન્જિનમાં કાર્બન જમા થવાથી તેની માઇલેજ ઘટવા લાગે છે. એડઓન નાખવાથી જ્યારે તે કાર્બન સાફ થઈ જાય છે, ત્યારે ગાડીની ઘટેલી માઇલેજ પાછી પોતાના જૂના સ્તર પર આવી જાય છે. લોકો આને જ ‘માઇલેજનું વધવું’ સમજી લે છે.
  • આધુનિક અને ભરોસાપાત્ર એડિટિવ્સ એન્જિનના નાજુક ભાગોને ઇથેનોલથી થતા કાટ અને ભેજથી બચાવે છે, જે E20 પેટ્રોલના સમયમાં એન્જિનના લાંબા આયુષ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

કંપનીઓના દાવા અને જમીની હકીકત

  • બજારમાં વેચાતા ઘણા પ્રોડક્ટ્સ ગ્રાહકોને આકર્ષવા માટે મોટા મોટા દાવા કરે છે, જેની અસલી હકીકત કંઈક અલગ જ હોય છે.
  • કંપનીઓનો દાવો છે કે આનાથી માઇલેજ 20% થી 40% સુધી અચાનક વધી જશે. પરંતુ હકીકત એ છે કે માત્ર 3% થી 5% નો નજીવો સુધારો શક્ય છે, અને તે પણ ત્યારે જ જ્યારે એન્જિન અંદરથી ખૂબ ગંદુ હોય.
  • આ સિવાય કંપનીઓ દાવો કરે છે કે તેને નાખતા જ પહેલી વારમાં જ અસર દેખાશે. જોકે તેની અસર તરત જ નથી દેખાતી, પરંતુ 2 થી 3 વાર ફુલ ટેન્ક ફ્યુઅલ વાપર્યા પછી ધીમે ધીમે દેખાય છે.
  • એવો પણ દાવો કરવામાં આવે છે કે આ દરેક ગાડી અને દરેક મુસાફરી માટે ખૂબ જ જરૂરી છે. પરંતુ સત્ય એ છે કે નવી ગાડીઓ કે પ્રીમિયમ પેટ્રોલ (જેમ કે XP95) વાપરનારાઓને આની કોઈ જરૂર હોતી નથી.

એડઓનનો ઉપયોગ ક્યારે કરવો જોઈએ?

જો તમે ફ્યુઅલ એડિટિવનો ઉપયોગ કરવા માંગતા હોવ, તો તે હંમેશા ઉપયોગી સાબિત નથી થતો. જો તમારી ગાડી ઘણી જૂની હોય, અથવા 30,000 થી 40,000 કિલોમીટરથી વધુ ચાલી ચૂકી હોય, ગાડી ચલાવતી વખતે અચાનક ઝાટકા અનુભવાતા હોય કે પીકઅપમાં ઘટાડો આવ્યો હોય, ત્યારે તેનો ઉપયોગ ફાયદાકારક બની શકે છે.

વિચાર્યા વગર ફ્યુઅલ એડઓન ભેળવવાથી ઘણા નુકસાન પણ થઈ શકે છે. લોકલ બ્રાન્ડ્સના ચમત્કારિક દાવો કરતા લિક્વિડ્સનો ઉપયોગ ભૂલથી પણ ન કરવો, કારણ કે તેમાં ઘણીવાર એસિટોન (Acetone) જેવા હાનિકારક કેમિકલ્સ હોય છે, જે એન્જિનના રબરના પાર્ટ્સ અને પાઇપલાઇનને પૂરી રીતે ઓગાળી શકે છે. હંમેશા અધિકૃત પેટ્રોલ પંપ અથવા પ્રમાણિત ડીલર્સ પાસેથી જ ભરોસાપાત્ર એડિટિવ્સ ખરીદવા જોઈએ.

ઓટો એક્સપર્ટ્સનું માનવું છે કે બજારમાં ઉપલબ્ધ કોઈ પણ ફ્યુઅલ એડિટિવ માઇલેજમાં થતા મોટા ઘટાડાને રાતોરાત જાદુથી ઠીક કરી શકતું નથી. જો એન્જિનના વાલ્વ અને ઇન્જેક્ટર ખૂબ ગંદા હોય, તો તે સફાઈ કરીને પર્ફોર્મન્સ થોડું સુધારી ચોક્કસ શકે છે, પરંતુ તેને માઇલેજ વધારવાનો કોઈ કાયમી કે જાદુઈ શોર્ટકટ માની શકાય નહીં.

શા માટે ઇલેક્ટ્રિક કારનો ઇન્સ્યોરન્સ હોય છે આટલો મોંઘો? ઇવી ખરીદતા પહેલા આ વાતોનું ખાસ રાખો ધ્યાન

Follow Us
Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો
Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
વરસાદને લઈને અમદાવાદ સહિત 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
વરસાદને લઈને અમદાવાદ સહિત 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
આજનું રાશિફળ: વ્યાપાર, નોકરી અને અભ્યાસમાં સફળતાના યોગ, વાંચો રાશિફળ
આજનું રાશિફળ: વ્યાપાર, નોકરી અને અભ્યાસમાં સફળતાના યોગ, વાંચો રાશિફળ
રાજ્યના માથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 48 કલાક બાદ મેઘરાજા કરશે તાંડવ
રાજ્યના માથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 48 કલાક બાદ મેઘરાજા કરશે તાંડવ
મોરબીમાં હિલોળા લેતા કૂવાના પાણીને જોવા GSIની ટીમે લીધી મુલાકાત
મોરબીમાં હિલોળા લેતા કૂવાના પાણીને જોવા GSIની ટીમે લીધી મુલાકાત
₹8 કરોડના ખર્ચે રેલિંગ સફાઈ મશીનો, અમદાવાદ કોર્પોરેશનના નિર્ણય પર સવાલ
₹8 કરોડના ખર્ચે રેલિંગ સફાઈ મશીનો, અમદાવાદ કોર્પોરેશનના નિર્ણય પર સવાલ
g clip-path="url(#clip0_868_265)">