Breaking News: રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં 8 ટકાનો વધારો, 9 લાખ 38 હજાર કર્મચારીઓને થશે લાભ
Gandhinagar: રાજ્યસરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા છે. રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (D.A.)માં 4 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જેનાથી 9 લાખ 38 હજાર કર્મચારીઓ અને પેન્શરન્સને આ લાભ મળવા પાત્ર થશે
રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સના મોંઘવારી ભથ્થા માં 8 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારો 1 જૂલાઈ 2022થી અમલી ગણાશે. જેનાથી રાજ્યના 9 લાખ 38 હજાર કર્મચારીઓ અને પેન્શરન્સને લાભ થશે.
મોંઘવારી ભથ્થામાં 8 ટકાનો વધારો સાતમા પગાર પંચનો લાભ લેતા કર્મચારીઓને મળશે
ગુજરાત સરકારના કર્મચારીઓના અને પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં કેન્દ્ર સરકારના ધોરણે ચાર ટકાનો વધારો તા-01 જૂલાઈ -2022ની અસરથી તેમજ બીજા ચાર ટકાનો વધારો તા.-01-01-2023ની અસરથી આપવાનો કર્મયોગી-હિતકારી નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો છે. આ વધારાનો લાભ જે કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ અપાયેલો છે, તેમને જ મળવાપાત્ર થશે, તેવું પણ નિયત કરવામાં આવ્યું છે.
9.38 લાખ કર્મચારીઓ અને પેન્શર્નને મળશે લાભ
મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા રાજ્ય સરકારના અન્ય કર્મચારીઓ અને પેન્શનર્સ મળી અંદાજે કુલ 9.38 લાખ લોકોને મોંઘવારી ભથ્થાનો આ વધારાનો લાભ મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તા-01-07-2022 તથા તા.01-01-2023ની અસરથી આપવાના થતા મોંઘવારી ભથ્થામાં આ આઠ ટકા વધારાથી જે એરિયર્સની રકમ આપવાની થાય છે, તે ત્રણ હપ્તામાં આપવાનો નિર્ણય કર્યો છે.
એરિયર્સ જૂન, ઓગષ્ટ અને ઓક્ટોબરના પગાર સાથે ચુકવાશે
તફાવતની રકમનો પ્રથમ હપ્તો જૂન-2023ના પગાર સાથે, બીજો હપ્તો ઓગસ્ટ-2023ના પગાર સાથે અને ત્રીજો હપ્તો ઓકટોબર-2023ના પગાર સાથે ચૂકવવામાં આવશે. મોંઘવારી ભથ્થાના આ વધારાના પરિણામે રાજ્ય સરકારને અંદાજે વાર્ષિક રૂપિયા 4,516 કરોડનું નાણાકીય ભારણ વધશે.
ગાંધીનગર શહેર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો