AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જયેશ રાદડિયા સામે ચાર સહકારી આગેવાનો મેદાને જિલ્લા બેંકની ભરતીમાં લગાવ્યો ગેરરિતીનો આક્ષેપ

આ અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે રાજકોટ જિલ્લા બેંક,રાજકોટ લોધિકા સંઘ અને બેડી માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં તમામ જવાબદારી જયેશ રાદડિયા પાસે હતી.જેમાં પરસોતમ સાવલીયા અને હરદેવસિંહ જાડેજાને અન્યાય થયાનો સૂર જોવા મળ્યો હતો

જયેશ રાદડિયા સામે ચાર સહકારી આગેવાનો મેદાને જિલ્લા બેંકની ભરતીમાં લગાવ્યો ગેરરિતીનો આક્ષેપ
Mohit Bhatt
| Edited By: | Updated on: Mar 09, 2022 | 7:09 PM
Share

રાજકોટ જિલ્લાના સહકારી આગેવાન અને પૂર્વ કેબિનેટ મંત્રી-ધારાસભ્ય જયેશ રાદડિયા (Jayesh Radadia)સામે ચાર સહકારી આગેવાનોએ બળવો કર્યો છે. રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘના પૂર્વ ચેરમેન નિતીન ઢાંકેચા, યાર્ડના પૂર્વ વાઇસ ચેરમેન હરદેવસિંહ જાડેજા, પરસોતમ સાવલિયા અને વિજય સખિયા જયેશ રાદડિયા સામે મેદાને પડ્યા છે. આ ચાર પૈકી ત્રણ હોદ્દેદારો આજે સહકાર વિભાગના સચિવને જિલ્લા બેંકમાં (District Bank) ગેરરિતીના (Irregularity) આક્ષેપ સાથે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. સહકાર વિભાગને કરાયેલી રજૂઆતમાં જયેશ રાદડિયા દ્વારા બેંકમાં 1100 કર્મચારીઓની ભરતી પૈકી 900થી વધુ કર્મચારીઓની ભરતીમાં ગેરરિતીનો (Irregularities in recruitment) આક્ષેપ લગાવ્યો છે.આ અંગે જિલ્લા બેંકના ચેરમેન જયેશ રાદડિયા સાથે કાર્યવહી કરવાની માંગ કરવામાં આવી છે.

રાદડિયાએ આક્ષેેપો ફગાવ્યા,ટૂંક સમયમાં કરશે ખુલાસો

આ અંગે જયેશ રાદડિયાનો ટેલિફોનિક સંપર્ક કરતા તેઓએ આક્ષેપોને ફગાવ્યા છે.તેઓએ કહ્યું છે કે સત્તા અને હોદ્દાની લાલચમાં કેટલાક લોકો બદનામ કરવાનું કાવતરૂ કરી રહ્યા છે .આ અંગે ટૂંક સમયમાં તમામ માહિતી સાથે દુધનું દુધ અને પાણીનું પાણી કરવામાં આવશે અને જે પણ આક્ષેપ છે તેના જવાબ આપવામાં આવશે.

વિરોધ પાછળ પદની લાલચ કે પછી અન્યાય ?

આ અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે રાજકોટ જિલ્લા બેંક,રાજકોટ લોધિકા સંઘ અને બેડી માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં તમામ જવાબદારી જયેશ રાદડિયા પાસે હતી.જેમાં પરસોતમ સાવલીયા અને હરદેવસિંહ જાડેજાને અન્યાય થયાનો સૂર જોવા મળ્યો હતો જ્યારે રાજકોટ લોધિકા સંઘમાં ચેરમેન પદ જતા નિતીન ઢાંકેચા અને સભ્ય પદ જતા વિજય સખિયાને અન્યાય થયો હતો.આ તમામ પાછળ જયેશ રાદડિયાની મહત્વની ભુમિકા હોવાનું માનવામાં આવી રહ્યું છે.

એક સમયના વિરોધીઓ હવે સાથે આવ્યા

સહકારી ક્ષેત્રમાં એક સમયના સાથીઓ દુશ્મન આવી ગયા છે.બેડી માર્કેટીંગ યાર્ડના નિર્માણ સમયે વિજય સખિયાએ હરદેવસિંહ જાડેજા સામે ભષ્ટાચારના આક્ષેપો કર્યા હતા.તે સમયે જયેશ રાદડિયાના પિતા સ્વ વિઠ્ઠલ રાદડિયાના સાથી તરીકે વિજય સખિયાએ આ આક્ષેપો કર્યા હતા.જો કે સમય બદલાતા વિજય સખિયાએ જયેશ રાદડિયાનો સાથ છોડીને હરદેવસિંહનો હાથ પકડ્યો છે.જેના કારણે એક સમયના સાથી હવે એકબીજાની આમને સામને આવી ગયા છે.

આ પણ વાંચો : Rajkot : મહેન્દ્ર ફળદુને આત્મહત્યા માટે મજબુર કરનાર બે બિલ્ડરો સામે લુકઆઉટ નોટિસ જાહેર

આ પણ વાંચો : Kutch: લખપતના સાયણ પાસે મીની ટેમ્પો પલ્ટી જતા 25થી વધુ બાળકીઓ ઇજાગ્રસ્ત, સારવાર માટે ભુજ ખસેડાઇ

Follow Us
મહિસાગરના લુણાવાડાના વરધરીને તાલુકો બનાવવાની માગ બની પ્રબળ
મહિસાગરના લુણાવાડાના વરધરીને તાલુકો બનાવવાની માગ બની પ્રબળ
ભક્તોના દાન પર પૂજારીઓની 'ગંદી નજર', કલેક્ટરે ફટકારી 11 સામે ફરિયાદ
ભક્તોના દાન પર પૂજારીઓની 'ગંદી નજર', કલેક્ટરે ફટકારી 11 સામે ફરિયાદ
રાંઘણગેસની અછતથી મુંબઈ-દાદરના અશોક વડાપાઉને તાળા વાગ્યાં
રાંઘણગેસની અછતથી મુંબઈ-દાદરના અશોક વડાપાઉને તાળા વાગ્યાં
કુંકાવાવથી રાજ્યની પ્રથમ જળસંચય કામગીરીનો કૌશિક વેકરીયાએ કર્યો પ્રારંભ
કુંકાવાવથી રાજ્યની પ્રથમ જળસંચય કામગીરીનો કૌશિક વેકરીયાએ કર્યો પ્રારંભ
ગેસની અછતને પગલે પાવાગઢ ભોજનાલયમાં મેનુમાં કરાયો ફેરફાર- Video
ગેસની અછતને પગલે પાવાગઢ ભોજનાલયમાં મેનુમાં કરાયો ફેરફાર- Video
જાણો ઊંધ ના આવવાના કારણો અને ગાઢ ઊંધ લાવવાના ઉપાયો
જાણો ઊંધ ના આવવાના કારણો અને ગાઢ ઊંધ લાવવાના ઉપાયો
મહીસાગરમાં તંત્રની સતર્કતા, બે બાળ લગ્ન અટકાવાયા
મહીસાગરમાં તંત્રની સતર્કતા, બે બાળ લગ્ન અટકાવાયા
પંચાયતના પ્રમુખ ધારાસભ્યને રડતા રડતા આજીજી કરતાનો ઓડિયો વાયરલ
પંચાયતના પ્રમુખ ધારાસભ્યને રડતા રડતા આજીજી કરતાનો ઓડિયો વાયરલ
8 દિવસ વહેલા આવી કેરી ! ગોંડલયાર્ડમાં 200 બોક્સ કેરીની આવક
8 દિવસ વહેલા આવી કેરી ! ગોંડલયાર્ડમાં 200 બોક્સ કેરીની આવક
UCCની કમિટીએ સરકારમાં જમા કરાવ્યો રિપોર્ટ
UCCની કમિટીએ સરકારમાં જમા કરાવ્યો રિપોર્ટ
g clip-path="url(#clip0_868_265)">