AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ નજીક છકડો રિક્ષા પુલ પરથી નીચે ખાબક્તા ત્રણ લોકોના મોત, 8 લોકોને આવી ગંભીર ઈજા

Dwarka: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પાસે અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે 8 લોકોને ઈજા પહોંચી છે. તમામ ઈજાગ્રસ્તોને જામનગર અને ખંભાળિયા રિફર કરવામાં આવ્યા છે. જામજોધપુરના ધ્રાફા ગામથી ભાણવડના જામ રોજીવાળા ગામે છકડો રિક્ષા પુલ પરથી નીચે ખાબક્તા અકસ્માત સર્જાયો હતો.

Breaking News: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ નજીક છકડો રિક્ષા પુલ પરથી નીચે ખાબક્તા ત્રણ લોકોના મોત, 8 લોકોને આવી ગંભીર ઈજા
TV9 Gujarati
| Edited By: | Updated on: May 06, 2023 | 12:59 PM
Share

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ નજીક છકડો રિક્ષા પુલ પરથી ખાબક્તા ત્રણ લોકોના મોત ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે જ્યારે 8 લોકોને ગંભીર ઈજા પહોંચી છે. તમામ ઈજાગ્રસ્તોને જામનગર અને ખંભાળિયા રિફર કરવામાં આવ્યા છે. જામજોધપુરના ધ્રાફા ગામથી ભાણવડના જામ રોજીવાળા ગામ નજીક છકડો રિક્ષામાં જતા સમયે પર રિક્ષા પુલ પરથી નીચે ખાબકી હતી. જેમા ત્રણ લોકોના કમકમાટીભર્યા ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. અનેકવખત માલવાહક રિક્ષામાં પેસેન્જર ભરતા હોવાથી અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે.

ઘટનાને પગલે ભાણવડ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. અને મૃતકોના મૃતદેહોને પીએમ અર્થે ખસેડ્યા છે. જ્યારે તમામ 8 ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડ્યા હતા. જેમા વધુ ગંભીર ઈજાગ્રસ્તોને જામનગર અને સામાન્ય ઈજા પામેલા ઈજાગ્રસ્તોને ખંભાળિયા રિફર કરવામાં આવ્યા છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

આ પણ વાંચો: Dahod : ટ્રેકટરને ઓવરટેક કરતા કાર-છકડા વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, એકનું મોત, જુઓ Video

હાલ તો પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જો કે માલવાહક રિક્ષામાં પેસેન્જર ભર્યા હોવાથી અકસ્માત થયો હોવાનુ જાણવા મળી રહ્યુ છે ત્યારે રિક્ષા ઓવરલોડ હતી કે કેમ તેને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે મૃતદેહોનું પંચનામુ કરી પીએમ અર્થે ખસેડ્યા છે. મૃતકોની ઓળખ કરી તેમના સ્વજનોને જાણ કરવાની પણ તજવીજ હાથ ધરાઈ છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

ગીરમાં ગમગીની: માનવભક્ષી સિંહણને બેભાન કરવાની ગોળી ટ્રેકરને વાગતા મોત
ગીરમાં ગમગીની: માનવભક્ષી સિંહણને બેભાન કરવાની ગોળી ટ્રેકરને વાગતા મોત
મધરખડા ગામના પાટીયા પાસે ગેરકાયદે પાંચ એકર સરકારી જમીન દબાણમુક્ત કરાઇ
મધરખડા ગામના પાટીયા પાસે ગેરકાયદે પાંચ એકર સરકારી જમીન દબાણમુક્ત કરાઇ
અમદાવાદ ગ્રામ્ય કોર્ટને બોમ્બની ઉડાવી દેવાની મળી ધમકી, જુઓ Video
અમદાવાદ ગ્રામ્ય કોર્ટને બોમ્બની ઉડાવી દેવાની મળી ધમકી, જુઓ Video
આહીર અને કોળી સમાજના મથામણ વચ્ચે CM ની ઉચ્ચસ્તરીય બેઠક
આહીર અને કોળી સમાજના મથામણ વચ્ચે CM ની ઉચ્ચસ્તરીય બેઠક
ઐતિહાસિક મહત્વ ધરાવતા કોચરબ આશ્રમમાં યોજાયો લગ્ન સમારોહ, Video વાયરલ
ઐતિહાસિક મહત્વ ધરાવતા કોચરબ આશ્રમમાં યોજાયો લગ્ન સમારોહ, Video વાયરલ
સુરતમાંથી ઝડપાયુ નકલી ઘીનું કારખાનું, 2.11 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરતમાંથી ઝડપાયુ નકલી ઘીનું કારખાનું, 2.11 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત
રાજકોટમાં સૌરાષ્ટ્ર–કચ્છ રીજનલ વાયબ્રન્ટ સમિટની તૈયારીઓ તેજ
રાજકોટમાં સૌરાષ્ટ્ર–કચ્છ રીજનલ વાયબ્રન્ટ સમિટની તૈયારીઓ તેજ
ગાંધીનગરમાં ટાઈફોઈડ ફેલાયો, 130 કેસ, તંત્ર સામે ઉઠ્યા સવાલો
ગાંધીનગરમાં ટાઈફોઈડ ફેલાયો, 130 કેસ, તંત્ર સામે ઉઠ્યા સવાલો
મુકેશ અંબાણીએ સાળંગપુર મંદિરમાં અર્પણ કર્યા 5 કરોડ
મુકેશ અંબાણીએ સાળંગપુર મંદિરમાં અર્પણ કર્યા 5 કરોડ
વિનાશ નહીં આત્મ સન્માનનો ઈતિહાસ, સોમનાથ પર PM મોદીએ લખ્યો બ્લોગ
વિનાશ નહીં આત્મ સન્માનનો ઈતિહાસ, સોમનાથ પર PM મોદીએ લખ્યો બ્લોગ
g clip-path="url(#clip0_868_265)">