રાજકોટમાં કોરોનાનો પીક એક સપ્તાહમાં ઘટી જશે! મ્યુનિસિપલ કમિશનરે કર્યો દાવો

રાજકોટમાં કોરોનાના કેસમાં બે થી ત્રણ દિવસથી આંશિક ઘટાડો થઇ રહ્યો છે, ત્યારે રાજકોટના મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે દાવો કર્યો છે કે, એક સપ્તાહમાં કોરોનાનો પીક ઘટી જશે.

રાજકોટમાં કોરોનાનો પીક એક સપ્તાહમાં ઘટી જશે! મ્યુનિસિપલ કમિશનરે કર્યો દાવો
ઉદિત અગ્રવાલ - મ્યુનિસિપલ કમિશનર
Follow Us:
| Updated on: Apr 29, 2021 | 3:56 PM

રાજકોટમાં કોરોનાના કેસમાં બે થી ત્રણ દિવસથી આંશિક ઘટાડો થઇ રહ્યો છે, ત્યારે રાજકોટના મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે દાવો કર્યો છે કે, એક સપ્તાહમાં કોરોનાનો પીક ઘટી જશે અને સ્થિતિ મહદ અંશે કાબુમાં આવી જશે. ઉદિત અગ્રવાલે TV9 સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, બે થી ત્રણ દિવસથી પોઝિટિવ કેસમાં ઘટાડો થયો છે. આ ઉપરાંત 104 એમ્બ્યુલન્સમાં પણ જે કોલ આવતા તેમાં ઘટાડો થયો છે. ગઇકાલે 100 જેટલી 104માં માત્ર 500 જ કોલ આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. શહેરમાં ટેસ્ટીંગ બુથ આવેલા છે તેમાં પણ લોકોની ભીડ ઓછી થઇ હોવાનો દાવો કર્યો છે.

ત્રણ થી ચાર દિવસ બાદ બેડની લાઇનો નહિ રહે

ઉદિત અગ્રવાલે કહ્યું હતુ કે, શહેરમાં ત્રણ દિવસથી પોઝિટિવ કેસમાં ઘટાડો થયો છે જેની અસર આગામી ચાર થી પાંચ દિવસ બાદ થશે અને ત્યારબાદ બેડ ક્રમશઃ ખાલી થશે. લોકોને જગ્યા મળવામાં કોઇ મુશ્કેલી નહિ પડે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

લોકોની લાપરવાહી મોતના મુખમાં ધકેલે છે

વધતા જતા મોતના આંકડાના જવાબમાં મ્યુનિસીપલ કમિશનરે કહ્યુ હતુ કે, દરરોજ સાંજે કોર કમિટીની બેઠક મનપાની કચેરીએ મળે છે, જેમાં મોતના આંકડા અંગે સમિક્ષા કરવમાં આવે છે. તેમાં જોવા મળ્યું છે કે, લોકો ટેસ્ટ કરાવતા નથી અને આ રોગ છૂપાવે છે જેથી ચાર થી પાંચ દિવસ વિતી જાય છે, પરિણામે ઇન્ફેક્શન વધી જાય છે અને સારવાર કરવી પણ મુશ્કેલ બને છે અને છેવટે મોતના મુખમાં ધકેલાય છે.

લોકો નિયમોનું પાલન કરે તેવી અપીલ

કોરોનાના પીકથી કથળી ગયેલી સ્થિતિથી રાજકોટ સુધારા તરફ જઇ રહ્યા છે, ત્યારે મ્યુનિસિપલ કમિશનરે લોકોને સોશ્યલ ડિસટન્સ, માસ્ક અને સેનેટાઇઝરનો ઉપયોગ કરવા અપીલ કરી છે અને લોકોને મિની લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરવા અને બિનજરૂરી ઘરની બહાર ન નિકળવા માટે અપીલ કરી છે.

આ પણ વાંચો: VIDEO: સુરતમાં 104 વર્ષીય દાદીએ કોરોનાને હરાવ્યો, આઇસોલેશનમાં કરતા હતા ભજન-કિર્તન

Latest News Updates

રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">