છોટાઉદેપુર: નસવાડીમાં આવેલી શાળાએ કોરોના ગાઈડલાઈનનો કર્યો ભંગ, વાલીઓ અને વિદ્યાર્થીઓને જીવના જોખમે શાળામાં બોલાવ્યા
હાલ કોરોનાના કારણે વિદ્યાર્થીઓ કે વાલીઓને શાળાએ ન બોલાવવા કેન્દ્ર અને રાજ્ય સરકારે આદેશ કર્યો છે. છતાં ઘણી શાળા કોઇના કોઇ કામથી વિદ્યાર્થીઓ અને બાળકોને શાળાએ બોલાવે છે. આવી જ ઘટના સામે આવી છે, છોટાઉદેપુરના નસવાડીમાં આવેલી એક શાળામાં. આદિજાતી વિભાગની આ શાળામાં વાલીઓ અને વિદ્યાર્થીઓને એકમ કસોટીનું પ્રશ્નપત્ર અને સાહિત્ય લેવા બોલાવ્યા હતા. વાલીઓ […]
હાલ કોરોનાના કારણે વિદ્યાર્થીઓ કે વાલીઓને શાળાએ ન બોલાવવા કેન્દ્ર અને રાજ્ય સરકારે આદેશ કર્યો છે. છતાં ઘણી શાળા કોઇના કોઇ કામથી વિદ્યાર્થીઓ અને બાળકોને શાળાએ બોલાવે છે. આવી જ ઘટના સામે આવી છે, છોટાઉદેપુરના નસવાડીમાં આવેલી એક શાળામાં. આદિજાતી વિભાગની આ શાળામાં વાલીઓ અને વિદ્યાર્થીઓને એકમ કસોટીનું પ્રશ્નપત્ર અને સાહિત્ય લેવા બોલાવ્યા હતા. વાલીઓ અને વિદ્યાર્થીઓ અહીં આવ્યા હતા અને તે પણ જીવના જોખમે. વાલીઓ મજબૂરીમાં અહીં આવ્યા તો ખરી પણ તેમણે નારાજગી પણ જાહેર કરી હતી.
આ પણ વાંચો: આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ ઉડ્ડાનો પર 31 ઓગસ્ટ સુધી રોક, DGCAએ કરી જાહેરાત
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો