Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સતત અકસ્માત સર્જનાર તથ્યનું લાયસન્સ થશે રદ, અમદાવાદ RTOએ શરુ કરી કાર્યવાહી

અમદાવાદ RTOએ ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. લાયસન્સ વગર ડ્રાઇવિંગ કરવું એ ગુનાહિત કૃત્ય બને છે. ત્યારે હવે તથ્ય પટેલનું ડ્રાઇવિંગ લાયસન્સ જ રદ કરી દેવામાં આવ્યુ છે.

Breaking News : સતત અકસ્માત સર્જનાર તથ્યનું લાયસન્સ થશે રદ, અમદાવાદ RTOએ શરુ કરી કાર્યવાહી
Follow Us:
Narendra Rathod
| Edited By: | Updated on: Jul 26, 2023 | 3:08 PM

Ahmedabad : અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જાનાર તથ્ય પટેલ ( (Tathya Patel) સામે મોટી કાર્યવાહી હાથ ધરાઇ શકે છે. મળતી માહિતી મુજબ તથ્ય પટેલનું ડ્રાઇવિંગ લાયસન્સ રદ થઇ શકે છે. અમદાવાદ RTOએ ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. લાયસન્સ વગર ડ્રાઇવિંગ કરવું એ ગુનાહિત કૃત્ય બને છે. ત્યારે હવે તથ્ય પટેલનું ડ્રાઇવિંગ લાયસન્સ જ રદ કરી દેવામાં આવ્યુ છે.

આ પણ વાંચો-Ahmedabad : હવે ગુજરાત યુનિવર્સિટીના સ્ટીકર વગરના વાહનોને નહી મળે કેમ્પસમાં પ્રવેશ, જાણો શું છે નવો નિયમ

આરોપી તથ્ય પટેલના હાલ જેલમાં છે. જો કે એક પછી એક તેના તથ્યો સામે આવી રહ્યા છે. એક પછી એક તથ્યની એવી હકીકત સામે આવી રહી છે, જેનાં પરથી એવુ પ્રસ્થાપિત થાય છે કે એને અકસ્માત કરવાની ટેવ હતી. અત્યાર સુધીમાં તેના એક પછી એક એમ કુલ ચાર અકસ્માતના બનાવો સામે આવ્યા છે. જેના કારણે હવે તથ્ય પટેલનું ડ્રાઇવિંગ લાયસન્સ રદ થશે. અમદાવાદ RTOએ ટ્રાફિક પોલીસ પાસે તેના વિશેની વિગત માગી છે. વિગતો મળતા સુનાવણી કરીને લાયસન્સ રદ કરાશે. મહત્વનું છે કે તથ્યને હજુ ફેબ્રુઆરી 2022માં જ લાયસન્સ મળ્યું હતું.

IPL 2025 દરમિયાન જસપ્રીત બુમરાહે 'ટ્રિપલ સેન્ચુરી' ફટકારી
Pahalgam Attack : ભારતમાં સૌથી વધુ શું ભણવા આવે છે પાકિસ્તાની વિદ્યાર્થીઓ, જાણો
AC Electricity Bill : દરરોજ 10 કલાક 1.5 ટનનું AC ચલાવો, તો વીજળીનું બિલ કેટલું આવશે?
Pahalgam Attack : પહલગામ આતંકી હુમલા બાદ સેનાના જવાનનો જૂનો વીડિયો વાયરલ, જુઓ
Cobra Vs King Cobra: કોબ્રા અને કિંગ કોબ્રા વચ્ચે 5 મોટા તફાવત, જાણો
ગૌરી ખાનની કુંડલી એટલી શક્તિશાળી છે કે જે લગ્ન કરતો એ રાજયોગ ભોગવતો

31st ડિસેમ્બરે મધરાત્રે શીલજ પાસે તથ્યએ જેગુઆરથી કર્યો હતો અકસ્માત

તથ્ય પટેલે 31 ડિસેમ્બર 2022 ની મોડી રાત્રે શીલજ પાસે એસપી રિંગ રોડ પર થાંભલા સાથે અકસ્માત સર્જ્યો હતો. તે સમયે પણ આ જ જગુઆર કાર હોવાની માહિતી છે. પોલીસ તપાસમાં જેગુઆર કંપનીમાંથી નો ક્લેમ ઇન્સ્યોરન્સની આ વિગત સામે આવી છે.

3 જૂલાઈએ સિંધુ ભવન રોડ પર અકસ્માત કર્યો હતો

તથ્ય પટેલે 3 જૂલાઈએ સિંધુ ભવન રોડ પર અકસ્માત કર્યો હતો. જેમાં થાર ગાડીથી અકસ્માત કર્યો હતો. સિંધુભવન રોડના મૌવે કેફે પર તથ્ય પટેલે થાર કાર ઘુસાડી હતી. જેની પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. જ્યારે અકસ્માત બાદ તથ્ય પટેલના પિતાએ સમાધાન કરાવ્યું હતું. જ્યારે આરોપી તથ્ય પટેલ ફૂલ સ્પીડમાં ગાડી ચલાવવાનો શોખીન છે.

31 ડિસેમ્બર 2022એ ગાંધીનગરમાં કર્યો હતો અકસ્માત

31 ડિસેમ્બર 2022ના રોજ તથ્યએ ગાંધીનગરમાં ઓવર સ્પીડમાં ગાડી ચલાવીને એક મંદિરના પિલરને નુકસાન કર્યુ હતુ. આ અકસ્માત પણ મોડી રાત્રે સર્જાયો હતો. વાસજડા ગામના સરપંચ જીવણજી ઠાકોરે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

 20 જુલાઇ 2023એ સર્જ્યો અકસ્માત

20 જુલાઇના રોજ મોડી રાત્રે થાર કાર અને બુલડોઝરની ટક્કર થઇ હતી. આ અકસ્માત જોવા આવેલા ઊભેલા ટોળા પર તથ્ય પટેલે જગુઆર કારની ટક્કર લગાવી હતી.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">