AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : હવે ગુજરાત યુનિવર્સિટીના સ્ટીકર વગરના વાહનોને નહી મળે કેમ્પસમાં પ્રવેશ, જાણો શું છે નવો નિયમ, જુઓ Video

ગુજરાત યુનિવર્સિટી દ્વારા ગંભીરતા દાખવીને કુલપતિ નીરજા ગુપ્તા દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.જે પણ વિદ્યાર્થી, અધ્યાપક, સ્ટાફ કે કર્મચારીના વાહન પર યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલુ સ્ટિકર હશે તેને જ ગુજરાત યુનિ.માં પ્રવેશ આપવામાં આવશે.

Ahmedabad : હવે ગુજરાત યુનિવર્સિટીના સ્ટીકર વગરના વાહનોને નહી મળે કેમ્પસમાં પ્રવેશ, જાણો શું છે નવો નિયમ, જુઓ Video
Gujarat University
Narendra Rathod
| Edited By: | Updated on: Jul 27, 2023 | 7:33 AM
Share

Gujarat University  : અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જાયા પછી ગુજરાત યુનિવર્સિટીમાં પણ નબીરાઓ બેફામ ડ્રાઇવિંગ કરી રહ્યા હતા. જેનો વીડિયો સામે આવ્યો હતો. આ સમગ્ર મામલે ગુજરાત યુનિવર્સિટી દ્વારા ગંભીરતા દાખવીને કુલપતિ નીરજા ગુપ્તા દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Ahmedabad:આડેધડ પાર્કિંગ, રોંગ સાઈડ ડ્રાઈવિંગ, ઠેકઠેકાણે કરી દેવાયેલા દબાણ, કાનુની સેવા સત્તામંડળે હાઈકોર્ટમાં રજૂ કરેલા રિપોર્ટમાં ખૂલી AMCની પોલ

જે પણ વિદ્યાર્થી, અધ્યાપક, સ્ટાફ કે કર્મચારીના વાહન પર યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલુ સ્ટિકર હશે તેને જ ગુજરાત યુનિ.માં પ્રવેશ આપવામાં આવશે.બહારથી આવતા લોકોને વાહન સાથે યુનિવર્સિટીમાં પ્રવેશ આપવામાં આવશે નહિ.

ગુજરાત યુનિવર્સિટીમાં 20 હજારથી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા

ગુજરાત યુનિવર્સિટી ગુજરાતની સૌથી મોટી સરકારી યુનિવર્સિટી છે. જેમાં જુદા જુદા 55 ભવન આવેલાં છે. જેમાં ગુજરાત યુનિવર્સિટીમાં 20 હજારથી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટી દ્વારા આ પ્રકારનો નિર્ણય પ્રથમવાર લેવામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તા દ્વારા આ નિણર્ય કરવામાં આવ્યો છે કે, યુનિવર્સિટીમાં સ્ટિકર દ્વારા જ પ્રવેશ આપવામાં આવશે.

યુનિવર્સિટી સાથે જોડાયેલા તમામ વ્યક્તિઓને સ્ટિકર આપવામાં આવશે અને જે વાહનો પર સ્ટિકર હશે તેને જ પ્રવેશ આપવામાં આવશે. હાલમાં તમામ ભવનમાં ગુગલ ફોર્મ મારફતે ડેટા મેળવવામાં આવી રહ્યાં હોવાની માહિતી મળી રહી છે.

પ્રવેશ માટે માત્ર 2 દરવાજા જ રખાશે ખુલ્લા

અમદાવાદમાં આવેલી ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ કરવાના કુલ 6 દરવાજા છે. જેમાંથી હવે 4 દરવાજા બંધ કરવામાં આવશે. અને પ્રવેશ માટે માત્ર 2 દરવાજા જ ખુલ્લા રાખવામાં આવશે. એલ.જી એન્જિનિયરિંગ સામેનો ડો. બાબા સાહેબ આંબેડકર દરવાજો અને કે.એસ. સ્કૂલ તરફનો મુખ્ય ગેટ જ લોકોના પ્રવેશ માટે ખુલ્લો રાખવામાં આવશે.
જે વિદ્યાર્થીઓ હોસ્ટેલમાંથી આવતા હોય તે વિદ્યાર્થીઓ પણ સ્ટીકર બતાવીને જ કેમ્પસમાં આવી શકશે. વાહન વિના ચાલીને આવતા વિદ્યાર્થીઓ કે કર્મચારીઓને પણ સ્ટિકર આપવામાં આવશે તેવી માહિતી મળી રહી છે. જેના આધારે તે પ્રવેશ મેળશે. વાહન લઇને આવતા લોકોની એન્ટ્રી કરીને જે તે વિભાગનું નામ લખીને યુનિવર્સિટીમાં જઈ શકશે. યુનિવર્સિટીમાં બિનજરૂરી આવીને બેસી રહેતા લોકો તથા રીલ્સ બનાવવા આવતા લોકો સહિત તમામ લોકોનો પ્રવેશ બંધ થશે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">