AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમદાવાદના માધુપુરમાં યુવકની જાહેરમાં હત્યા, ડીસીપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે

અમદાવાદના માધુપુરામાં જાહેરમાં યુવકની હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે. પાનના ગલ્લા પર ઉભેલા યુવક પર કેટલાંક શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો. જેને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે અસારવા સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.

Breaking News : અમદાવાદના માધુપુરમાં યુવકની જાહેરમાં હત્યા, ડીસીપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે
Ahmedabad
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2023 | 1:40 PM
Share

Breaking News : અમદાવાદના માધુપુરામાં જાહેરમાં યુવકની હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે. પાનના ગલ્લા પર ઉભેલા યુવક પર કેટલાંક શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો. જેને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે અસારવા સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જેનું સારવાર દરમિયાન મોત થયુ હોવાનું સામે આવી રહ્યુ છે. હત્યા બાદ માધુપુરાના લોકોએ હોબાળો મચાવ્યો હતો.

આ પણ વાંચો : Ahmedabad: 77માં સ્વાતંત્ર્ય પર્વની કોંગ્રેસ કાર્યાલયે રંગેચંગે ઉજવણી, શક્તિસિંહે ધ્વજવંદન કરી આપી શુભેચ્છા

હોબાળો મચાવતા ડીસીપી, એસીપી સહિતનો તમામ પોલીસ કાફલો તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. જેમાં પોલિસ અને સ્થાનિકો વચ્ચે બોલાચાલી થઈ હતી.હત્યા કરનાર શખ્સોની ધરપકડ કરી કાર્યવાહી કરવા માગ કરવામાં આવી છે. મૃતકની બહેને પોલિસ પર આક્ષેપો કર્યા છે. હત્યા કરનાર શખ્સો સામે અગાઉ પોલીસમાં ફરિયાદ રજૂઆત કરી હતી. પરંતુ પોલિસે કોઈ કાર્યવાહી કરી નહી હોવાનો આક્ષેપ મૃતકની બહેને આક્ષેપ કર્યો છે.

યુવકના શરીર પર 10થી વધુ છરીના ઘા માર્યા

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતકનો પરિવાર ફરિયાદ કરવા પોલીસ મથકે પહોંચ્યો હતો. જ્યાં ફરિયાદ કર્યા બાદ પરત ફરતી વખતે મૃતક પર હુમલો કરવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમમાં યુવકના શરીર પર 10થી વધુ છરીના ઘા વાગ્યા હોવાનું સામે આવ્યું છે. વળતી કાર્યવાહીમાં પોલીસે 4 આરોપીઓને રાઉન્ડ અપ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

મહત્વપૂર્ણ છે કે હત્યાના વિરોધમાં માધુપુરા માર્કેટ બંધ રાખવામાં આવ્યું છે. અને વેપારીઓ ધંધા રોજગાર બંધ રાખીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે. જોકે કોઇ અનિચ્છનિય ઘટના ન બને તે માટે પોલીસે માધુપુરા માર્કેટમાં ચુસ્ત બંદોબસ્ત તૈનાત કર્યો છે.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
g clip-path="url(#clip0_868_265)">