AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમદાવાદના મણિનગરમાં સ્લમ ક્વાર્ટસમાં બાલ્કનીનો ભાગ ધરાશાયી, 30 લોકોનું કરાયુ રેસ્કયૂ, જૂઓ Video

ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી અને બચાવ કામગીરી શરુ કરી હતી. અત્યાર સુધીમાં કાટમાળ નીચેથી 30 લોકોનું રેસ્ક્યૂ કરાયુ છે.

Breaking News : અમદાવાદના મણિનગરમાં સ્લમ ક્વાર્ટસમાં બાલ્કનીનો ભાગ ધરાશાયી, 30 લોકોનું કરાયુ રેસ્કયૂ, જૂઓ Video
Darshal Raval
| Edited By: | Updated on: Jun 29, 2023 | 1:02 PM
Share

Ahmedabad : અમદાવાદના મણિનગરમાં આવેલા એક સ્લમ ક્વાર્ટસમાં બાલ્કનીનો એક ભાગ ધરાશાયી (balcony collapsed) થયો છે. જેના પગલે કાટમાળ નીચે અનેક લોકો ફસાઇ ગયા છે. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી અને બચાવ કામગીરી શરુ કરી હતી. અત્યાર સુધીમાં ફસાયેલા નીચેથી 30 લોકોનું રેસ્ક્યૂ (Rescue) કરાયુ છે.

આ પણ વાંચો-સાબરમતી નદીમાં ગેરકાયદેસર કેમિકલયુક્ત પાણી છોડવા મામલે AMC અધિકારીઓ પર વિપક્ષના નેતાએ કર્યા ગંભીર આક્ષેપો

58 વર્ષ કરતા વધુ જૂના છે આવાસ

અમદાવાદના મણિનગરમાં ઉત્તમ નગર બગીચા પાસે સલ્મ કવાટર્સ આવેલા છે. આ આવાસો લગભગ 58 વર્ષ જેટલા જૂના છે. આ મકાનો ખૂબ જ જૂના હોવાના કારણે AMC દ્વારા અનેક વાર આ મકાનોને તોડી પાડવા માટે નોટિસ આપવામાં આવી હતી. તેમ છતા આ આવાસ તોડી પાડવામાં આવ્યા નથી. જો કે અંતે આ દુર્ઘટના ઘટી છે.

આ પણ વાંચો-Monsoon 2023 : નવસારીમાં ભારે વરસાદની આગાહીના પગલે NDRFની ટીમ સ્ટેન્ડ બાય, જુઓ Video

ફસાયેલા 30 લોકોનું ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યૂ

મણિનગરમાં આવેલા આ સ્લમ ક્વાર્ટસમાં 8 બ્લોક છે. જેમાં 256 મકાન આવેલા છે. આ તમામ ક્વાર્ટર્સ ખૂબ જ જર્જરિત છે. ત્યારે આવાસમાં બે બાલ્કનીના ભાગ ધરાશાયી થવાની ઘટના બની છે. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની બે ગાડી ટીમ સાથે સ્થળ પર પહોંચી હતી. જે પછી ફસાયેલા 30 લોકોનું ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યુ છે. સદનસીબે ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી.

ઘટના બન્યા બાદ ધરાશાયી થયેલા કાટમાળનો ભાગ હટાવવાની કામગીરી શરુ કરવામાં આવી છે. સાથે જ મકાનોનો અન્ય જર્જરિત ભાગ ઉતારી લેવાની કામગીરી કરવામાં આવી રહી છે.

ઘટનાના મુખ્ય સાક્ષી એવા અજીતસિંહ ની વાત માનીએ તો તેઓએ તેમના પતિને દૂધ લેવા માટે બહાર મોકલ્યા અને પોતે હજુ બાલ્કનીમાંથી પોતાના ઘરમાં એક પગ મૂકે છે અને પાછું વળીને જુએ છે કે તરત જ બાલ્કની પડે છે અને તેમનો જીવ બચે છે. જે ઘટના બનતા બે માળની બાલ્કની તૂટીને ધારાસાઇ થતા અન્ય મકાનમાં રહેલા 30 જેટલા લોકો ફસાય છે.  મકાનમાં ફસાયેલા 30 લોકોનું બારી મારફતે સીડી મૂકીને રેસ્ક્યુ કરીને તેઓને બચાવી લેવામાં આવ્યા.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">