Breaking News : મોરબી નગરપાલિકા સુપરસીડ કરાઇ, એડમિનિસ્ટ્રેટરની નિમણૂક

મોરબી નગરપાલિકા સુપરસીડ કરાઇ છે. તેમજ એડમિનિસ્ટ્રેટરની નિમણૂક પણ કરવામાં આવી છે. જેમા મોરબી પુલ હોનારત બાદ લાંબા સમયથી તલવાર લટકતી હતી.અધિક કલેક્ટર નરેન્દ્ર મુછાળને ચીફ ઓફિસરનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. હાઈકોર્ટના આદેશ બાદ રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે.

Breaking News : મોરબી નગરપાલિકા સુપરસીડ કરાઇ, એડમિનિસ્ટ્રેટરની નિમણૂક
Morbi Nagarpalika
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Apr 11, 2023 | 9:53 PM

મોરબી નગરપાલિકા સુપરસીડ કરાઇ છે. તેમજ એડમિનિસ્ટ્રેટરની નિમણૂક પણ કરવામાં આવી છે. જેમા મોરબી પુલ હોનારત બાદ લાંબા સમયથી તલવાર લટકતી હતી. રાજ્ય સરકારે આખરે આ નિર્ણય લીધો છે. મોરબી ઝુલતો પુલ તૂટી પડવા મુદ્દે સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટે પણ ગંભીરતાથી લઇ રહ્યા હતા. ઝુલતો પુલ તૂટી પડવા મુદ્દે હાઇકોર્ટમાં સૂઓમોટો કરવામાં આવી હતી. જેમાં સરકારે મોરબી નગરપાલિકાને નોટીસ ફટકારીને નગરપાલિકા સુપરસીડ કેમ ના કરવી તેનો જવાબ આપવા એક સપ્તાહની મુદત આપી હતી. પાલિકા પ્રમુખ અને ચૂંટાયેલ તમામ સભ્યો ના જવાબ બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી.

આ મુદ્દે હજુ ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. 52 સભ્યોની મોરબી નગરપાલિકાને અંતે સુપરસીડ કરવામાં આવી છે. અધિક કલેક્ટર નરેન્દ્ર મુછાળને ચીફ ઓફિસરનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. હાઈકોર્ટના આદેશ બાદ રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે.

આજનું રાશિફળ તારીખ : 21-05-2024
RCBનો લકી ચાર્મ અને વિરાટ કોહલીનો રૂમ પાર્ટનર કેમ રડવા લાગ્યો?
નારિયેળની છાલને ફેંકશો નહીં, દાંતથી લઈ વાસણ ચમકાવા માટે છે ઉપયોગી
RCB vs CSK મેચમાં 'મિસ્ટ્રી ગર્લ'એ કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો વાયરલ
ધર્મેન્દ્ર થી જાહ્નવી કપૂર સુધી, મુંબઈના મતદાન મથકો પર ચમક્યું બોલિવૂડ
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય

મોરબી ઝુલતા પુલની દુર્ઘટનામાં 135  નિર્દોષ લોકોના મોત નિપજ્યા

મોરબી ઝુલતા પુલની દુર્ઘટનામાં 135  નિર્દોષ લોકોના મોત નિપજ્યા હતા. આ સમગ્ર દુર્ઘટનામાં મોરબી નગરપાલિકાની પણ ગંભીર બેદરકારી સામે આવી હતી..જેને લઇને નગરપાલિકાના ચીફ ઓફિસરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.  સાથે જ મોરબી નગરપાલિકાને સુપરસીડ કરવાની પણ માગણી ઉઠી હતી… ઝૂલતો પુલ તૂટી પડવા મુદ્દે હાઇકોર્ટમાં સૂઓમોટો કરવામાં આવી હતી.સૂઓમોટો અને પીઆઇએલ મુદ્દે હાઇકોર્ટે મોરબી પાલિકાને પક્ષકાર તરીકે જોડાવા માટે અગાઉ નોટીસ ફટકારી હતી.ઉલ્લેખનીય છે કે મોરબી નગરપાલિકાએ તમામ નિયમો નેવે મુકીને ઓરેવા ગ્રુપને ઝૂલતા પુલનો 15 વર્ષનો કોન્ટ્રેક્ટ આપ્યો હતો.

મોરબી નગરપાલિકાને સુપરસીડ કેમ ના કરવી તે સંદર્ભની નોટીસ ફટકારી

સરકાર દ્વારા નગરપાલિકાને સુપરસીડ કરવાની કવાયત હાથ ધરતા સૌ પ્રથમ કારણદર્શક નોટિસ ફટકારી હતી. રાજયના શહેરી વિકાસ વિભાગ દ્વારા મોરબી નગરપાલિકાને સુપરસીડ કેમ ના કરવી તે સંદર્ભની નોટીસ ફટકારી પાલિકા પાસે લેખિત જવાબ માંગ્યો હતો.પરંતુ નગરપાલિકામાં સંપૂર્ણ બહુમતી ધરાવતા ભાજપના તમામ ૫૨ સભ્યો જવાબ ટાળવાના પ્રયત્ન કરતા જોવા મળ્યા હતા.

નોટિસ વ્યાજબી નહીં હોવાનો પણ નગરસેવકોએ દાવો કર્યો હતો

પરંતુ વિવાદ વધતા આખરે 40થી વઘુ નગરસેવકોએ નોટિસનો જવાબ પાઠવ્યો હતો.નગરસેવકોએ અર્બન ડેવલોપમેન્ટ અને અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટના સેક્રેટરી સમક્ષ સોગંદનામા પર પોતાનો જવાબ રજૂ કર્યો હતો.ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટની કલમ 263(1) હેઠળ અપાયેલી નોટિસ વ્યાજબી નહીં હોવાનો પણ નગરસેવકોએ દાવો કર્યો હતો

આ પૂર્વે હાઇકોર્ટે કહ્યું હતું કે, નગરપાલિકાને સુપરસીડ કરવાનો નિર્ણય લેવાય નહીં ત્યાં સુધી હાલના કેસમાં તેમને સાંભળવા જરૂરી નથી.સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમને તપાસનો પ્રગતિ અહેવાલ રજૂ કરવા આદેશ કર્યો  હતો. જયારે મોરબીનો ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટના મુદ્દે નગરપાલિકાના સભ્યોએ હાઈકોર્ટમાં રજૂઆત કરી  હતી.  નગરપાલિકાને સુપરસીડ ન કરવાની નગરસભ્યોએ અપીલ કરી હતી.

કોર્ટના હુકમ પહેલા સુનાવણીની તક આપે તેવી સભ્યોની રજૂઆત  હતી. દુર્ઘટનામાં નગરસેવકોનો કોઈ જ વાંક ન હોવાનો પણ દાવો કર્યો હતો.નગરપાલિકાને સુપરસીડ કરી અને સભ્યોને દંડવા ન જોઈએ તેવી રજૂઆત કરી હતી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Latest News Updates

આ ચાર રાશિના જાતકોનો આજનો દિવસ વિશેષ લાભ અને પ્રગતિનો રહેશે
આ ચાર રાશિના જાતકોનો આજનો દિવસ વિશેષ લાભ અને પ્રગતિનો રહેશે
ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ
બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ
અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video
અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">