AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સુરતના સચિન હોજીવાળામાં થયો બોઇલર બ્લાસ્ટ, ઘટનામાં એકનું મોત અને ત્રણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત

બોઇલર બ્લાસ્ટની આ ઘટનામાં એકનું મોત અને ત્રણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ તમામને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લવાયા હતા.

Breaking News : સુરતના સચિન હોજીવાળામાં થયો બોઇલર બ્લાસ્ટ, ઘટનામાં એકનું મોત અને ત્રણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 17, 2023 | 12:46 PM
Share

Surat : સુરતમાં ફરી એક વાર બોઇલર બ્લાસ્ટની (Boiler blast) ઘટના સામે આવી છે. સુરતમાં સચિન હોજીવાળામાં બોઇલર બ્લાસ્ટ થયો છે. આ ઘટનામાં એકનું મોત (Death ) અને ત્રણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ તમામને સારવાર માટે સિવિલ હોસ્પિટલ (Surat civil Hospital) લવાયા હતા.

આ પણ વાંચો- Cyclone Biparjoy: બિપરજોય વાવાઝોડાના પગલે મોરબીમાં ધોધમાર વરસાદ, ખેતરો બેટમાં ફેરવાયા, જુઓ Video

બ્લાસ્ટની આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયુ

સવારે 9 કલાકે સુરતના સચિન હોજીવાળા વિસ્તારમાં બોઇલર બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ થતા આસપાસના વિસ્તારમાં ધડાકાનો મોટો અવાજ આવ્યો હતો. જેના પગલે અફરા તફરી મચી ગઇ હતી અને લોકો એકઠા થઇ ગયા હતા. બ્લાસ્ટની આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયુ છે. મૃતકનું નામ પપ્પુ સફાઈ લાલ યાદવ અને તેની ઊંમર 25 વર્ષ  હોવાની માહિતી મળી છે.

ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા

તો બ્લાસ્ટની આ ઘટનામાં અન્ય ત્રણ લોકો ગંભીર રીતે દાઝ્યા હોવાની માહિતી છે.  બ્લાસ્ટની ઘટનાની જાણ થતા જ ફાયર ફાયટરની ટીમ સ્થળ પર પહોંચી હતી અને બચાવ કામગીરી શરુ કરી હતી. જે પછી ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો આ ઘટના  હોજીવાળામાં આવેલી લવકુશ યાન નામની કંપનીમાં બની હોવાની માહિતી છે. સમગ્ર મામલે સ્થાનિક પોલીસે  તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો-Breaking News : દક્ષિણ ગુજરાતમાં 27 થી 30 જૂન દરમિયાન ભારે વરસાદની શક્યતા, અંબાલાલ પટેલે કરી આગાહી

બીજી તરફ વડોદરાના ન્યુ સમા પાસે એક મકાનમાં બાટલો ફાટવાની ઘટના સામે આવી છે. ન્યુ સમા પાસે વિજયરાજનગરમાં આવેલા એક મકાનમાં અચાનક ગેસનો બાટલો ફાટી ગયો હતો. જે બાદ ઘરમાં આગ લાગી ગઇ.  આગની ઘટનામાં ઘરમાં ઘરવખરી સહિત મકાનને નુકસાન પહોંચ્યું. સદનસીબે ઘટનામાં કોઇ પણ જાનહાનિ નથી થઇ. મકાનમાં રહેલા 8 લોકોનો આબાદ બચાવ થયો છે. આગ લાગ્યા બાદ ફાયર વિભાગને જાણ થતા ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગે મકાનમાં પાણીનો મારો ચલાવીને લાગેલી આગ પર કાબૂ મેળવ્યો.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Follow Us
Trending Video: ચહેરા પર ઈનો અને ટૂથપેસ્ટ ઘસીને વાણંદે કર્યું 'ફેસિયલ'
Trending Video: ચહેરા પર ઈનો અને ટૂથપેસ્ટ ઘસીને વાણંદે કર્યું 'ફેસિયલ'
તલાટીઓની કામગીરીની સ્પષ્ટ વહેંચણી: રાજ્ય સરકારનો મોટો નિર્ણય
તલાટીઓની કામગીરીની સ્પષ્ટ વહેંચણી: રાજ્ય સરકારનો મોટો નિર્ણય
નક્ષત્રના આધારે અંબાલાલની આગાહી, 23થી 31 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડશે
નક્ષત્રના આધારે અંબાલાલની આગાહી, 23થી 31 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડશે
શરીર પર લીંબુ લટકાવીને રસ્તા વચ્ચે કર્યો હેરાન કરનારો સ્ટંટ
શરીર પર લીંબુ લટકાવીને રસ્તા વચ્ચે કર્યો હેરાન કરનારો સ્ટંટ
SEBI એ ભાવનગરના ઈકોનો બ્રોકિંગ પર પાડ્યા દરોડા
SEBI એ ભાવનગરના ઈકોનો બ્રોકિંગ પર પાડ્યા દરોડા
સુરેન્દ્રનગર:અકાળાથી પાસવાડા ગામનો રસ્તો બિસમાર બનતા ગામલોકો ત્રાહિમામ
સુરેન્દ્રનગર:અકાળાથી પાસવાડા ગામનો રસ્તો બિસમાર બનતા ગામલોકો ત્રાહિમામ
સુરતમાં કારીગરોની હડતાળ, પોલીસ પર પથ્થરમારો 500 થી વધુ સામે ફરિયાદ
સુરતમાં કારીગરોની હડતાળ, પોલીસ પર પથ્થરમારો 500 થી વધુ સામે ફરિયાદ
ચર્ચગેટ નજીક આવકવેરા વિભાગની ઓફિસમાં લાગી ભીષણ આગ, જુઓ Video
ચર્ચગેટ નજીક આવકવેરા વિભાગની ઓફિસમાં લાગી ભીષણ આગ, જુઓ Video
ભાલ વિસ્તારમાં કેમિકલ પ્રદૂષણને કારણે પશુ-પક્ષીના મોત થયાનો આક્ષેપ
ભાલ વિસ્તારમાં કેમિકલ પ્રદૂષણને કારણે પશુ-પક્ષીના મોત થયાનો આક્ષેપ
અમદાવાદ ગ્રામ્યમાં ફરી દિપડો દેખાયો, વન વિભાગે ગોઠવ્યું પાંજરું
અમદાવાદ ગ્રામ્યમાં ફરી દિપડો દેખાયો, વન વિભાગે ગોઠવ્યું પાંજરું
g clip-path="url(#clip0_868_265)">