AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સુરતના સચિન હોજીવાળામાં થયો બોઇલર બ્લાસ્ટ, ઘટનામાં એકનું મોત અને ત્રણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત

બોઇલર બ્લાસ્ટની આ ઘટનામાં એકનું મોત અને ત્રણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ તમામને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લવાયા હતા.

Breaking News : સુરતના સચિન હોજીવાળામાં થયો બોઇલર બ્લાસ્ટ, ઘટનામાં એકનું મોત અને ત્રણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 17, 2023 | 12:46 PM
Share

Surat : સુરતમાં ફરી એક વાર બોઇલર બ્લાસ્ટની (Boiler blast) ઘટના સામે આવી છે. સુરતમાં સચિન હોજીવાળામાં બોઇલર બ્લાસ્ટ થયો છે. આ ઘટનામાં એકનું મોત (Death ) અને ત્રણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ તમામને સારવાર માટે સિવિલ હોસ્પિટલ (Surat civil Hospital) લવાયા હતા.

આ પણ વાંચો- Cyclone Biparjoy: બિપરજોય વાવાઝોડાના પગલે મોરબીમાં ધોધમાર વરસાદ, ખેતરો બેટમાં ફેરવાયા, જુઓ Video

બ્લાસ્ટની આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયુ

સવારે 9 કલાકે સુરતના સચિન હોજીવાળા વિસ્તારમાં બોઇલર બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ થતા આસપાસના વિસ્તારમાં ધડાકાનો મોટો અવાજ આવ્યો હતો. જેના પગલે અફરા તફરી મચી ગઇ હતી અને લોકો એકઠા થઇ ગયા હતા. બ્લાસ્ટની આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયુ છે. મૃતકનું નામ પપ્પુ સફાઈ લાલ યાદવ અને તેની ઊંમર 25 વર્ષ  હોવાની માહિતી મળી છે.

ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા

તો બ્લાસ્ટની આ ઘટનામાં અન્ય ત્રણ લોકો ગંભીર રીતે દાઝ્યા હોવાની માહિતી છે.  બ્લાસ્ટની ઘટનાની જાણ થતા જ ફાયર ફાયટરની ટીમ સ્થળ પર પહોંચી હતી અને બચાવ કામગીરી શરુ કરી હતી. જે પછી ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો આ ઘટના  હોજીવાળામાં આવેલી લવકુશ યાન નામની કંપનીમાં બની હોવાની માહિતી છે. સમગ્ર મામલે સ્થાનિક પોલીસે  તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો-Breaking News : દક્ષિણ ગુજરાતમાં 27 થી 30 જૂન દરમિયાન ભારે વરસાદની શક્યતા, અંબાલાલ પટેલે કરી આગાહી

બીજી તરફ વડોદરાના ન્યુ સમા પાસે એક મકાનમાં બાટલો ફાટવાની ઘટના સામે આવી છે. ન્યુ સમા પાસે વિજયરાજનગરમાં આવેલા એક મકાનમાં અચાનક ગેસનો બાટલો ફાટી ગયો હતો. જે બાદ ઘરમાં આગ લાગી ગઇ.  આગની ઘટનામાં ઘરમાં ઘરવખરી સહિત મકાનને નુકસાન પહોંચ્યું. સદનસીબે ઘટનામાં કોઇ પણ જાનહાનિ નથી થઇ. મકાનમાં રહેલા 8 લોકોનો આબાદ બચાવ થયો છે. આગ લાગ્યા બાદ ફાયર વિભાગને જાણ થતા ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગે મકાનમાં પાણીનો મારો ચલાવીને લાગેલી આગ પર કાબૂ મેળવ્યો.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">