AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સ્વામિનારાયણ બ્રેકિંગ ન્યૂઝ : બપોરે ત્રણ કલાક બાદ મળશે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ અને અન્ય સાધુ સંતોની બેઠક, મુખ્યપ્રધાન અને ગૃહ રાજ્યપ્રધાન પણ જોડાશે

બપોર બાદ સ્વામિનારાયણના સંતોની બેઠક મળશે. સરકાર સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ સાથે મંત્રણા મળવાની છે. સ્વામિનારાયણના સાધુઓ તથા અન્ય સાધુ સંતો સાથે સરકારની મંત્રણા થવા જઇ રહી છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી આ બેઠકમાં જોડાશે.

સ્વામિનારાયણ બ્રેકિંગ ન્યૂઝ : બપોરે ત્રણ કલાક બાદ મળશે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ અને અન્ય સાધુ સંતોની બેઠક, મુખ્યપ્રધાન અને ગૃહ રાજ્યપ્રધાન પણ જોડાશે
Kinjal Mishra
| Edited By: | Updated on: Sep 04, 2023 | 1:31 PM
Share

Gandhinagar :  સાળંગપુર ભીંતચિત્ર વિવાદમાં ( (Salangpur Hanuman Temple Controversy)) અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. બપોર બાદ સ્વામિનારાયણના સંતોની બેઠક મળશે. સરકાર સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ સાથે મંત્રણા મળવાની છે. સ્વામિનારાયણના સાધુઓ તથા અન્ય સાધુ સંતો સાથે સરકારની મંત્રણા થવા જઇ રહી છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી આ બેઠકમાં જોડાશે.

આ પણ વાંચો-Breaking News : સાળંગપુર ભીંતચિત્રો પર કાળો કલર કરવાના કેસના ફરિયાદીનો ખુલાસો, કાગળ પર સહી કરાવી લઇ ફરિયાદી બનાવ્યો

છેલ્લા થોડા દિવસથી સાળંગપુરમાં હનુમાનજીના ભીતચિત્રોને લઈ વિવાદ વકરી રહ્યો છે. સાળંગપુરમાં હનુમાનજીના અપમાન બાદ સનાતનધર્મના સાધુ-સંતો સાથે લોકોમાં પણ વિરોધ જોવા મળી રહ્યો છે. વિવાદને લઇને ગઇકાલે સાળંગપુરમાં સ્વામિનારાયણના સંતો વચ્ચે અંદાજે 3 કલાક સુધી બેઠક ચાલી હતી.જો કે આ બેઠકમાં દાદાના વિવાદિત ભીંતચિત્રો હટાવવાને લઇને કોઇ નિર્ણય લેવામાં નથી આવ્યો ન હતો. વિવાદ ઉકેલવા માટે હવે સંત સમિતિની રચના કરવામાં આવી છે. પરંતુ હનુમાનદાદાના ભીંતચિત્રોને લઇને ઉઠેલો વિવાદ હજુ પણ વણઉકેલ્યો છે. આ સમિતિ ચર્ચા-વિચારણા કરીને ટૂંક સમયમાં નિર્ણય લેશે. આપણા સનાતન હિન્દુ ધર્મના હિતમાં નિર્ણય થશે તેવી આશા છે.

કિંગ ઓફ સાળંગપુરના દાદાના અપમાનને લઇ રાજ્યભરમાં સ્વામીનારાયણ સંપ્રદાય સામે વિરોધનો શરૂ ઉઠ્યો છે અને સાળંગપુરમાંથી દાદાનું અપમાન કરતા ભીંતચિત્રો દૂર કરવાની માગ કરવામાં આવી રહી છે. જો કે ભારે વિવાદ અને વિરોધ બાદ પણ સાળંગપુરમાં સ્થિતિ ઠેરની ઠેર છે. ભારે વિરોધ બાદ પણ સાળંગપુર મંદિરમાંથી હજી સુધી ભીંતચિત્રો હટાવવામાં આવ્યાં નથી.

હનુમાનજી મહારાજને ભગવાન સ્વામિનારાયણના દાસ તરીકે દર્શાવાતા વિવાદ સર્જાયો. વિવાદ એવો તો વકર્યો કે, સનાતન ધર્મ સાથે સંકળાયેલા સાધુ, સંતો, મહંતોમાં રોષ ફેલાયો છે. સંતો સાળંગપુર મંદિર તંત્ર પર માછલા ધોઇ રહ્યા છે, તો બીજી તરફ હનુમાનજીને દાસ તરીકે દર્શાવાતા ભક્તોની લાગણી પણ દુભાઇ હોવાનો સૂર જોવા મળ્યો. આ તરફ હવે વિવાદ વકરતા બ્રહ્મ સમાજ મેદાને પડ્યો છે અને મંદિર તંત્રને 5 સપ્ટેમ્બર સુધીનું અલ્ટીમેટમ આપીને ભીંતચિંત્ર દૂર કરવાની માગ કરી છે. જોકે આ મહાવિવાદ વચ્ચે મંદિર તંત્રએ ભેદી મૌન સેવી લેતા, અનેક તર્કવિતર્કો સર્જાયા છે, ત્યારે જોવું રહ્યું કે હવે આ વિવાદ ક્યાં જઇને અટકે છે.

બોટાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ, સાપુતારામાં તાપમાન 10 ડિગ્રી
ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ, સાપુતારામાં તાપમાન 10 ડિગ્રી
"હું સર્કસનો નહીં, જંગલનો વાઘ બનીને રહેવા માગુ છુ એટલે ક્યારેય ભાજપમાં
હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ
હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ
અંબાજી પંથકમાં વકર્યો રોગચાળો,ઝેરી મલેરિયાના કેસમાં સતત ઉછાળો
અંબાજી પંથકમાં વકર્યો રોગચાળો,ઝેરી મલેરિયાના કેસમાં સતત ઉછાળો
અમદાવાદની હવા ઝેરી બની, સૌથી વધુ AQI એરપોર્ટ વિસ્તારમાં 197 નોંધાયો
અમદાવાદની હવા ઝેરી બની, સૌથી વધુ AQI એરપોર્ટ વિસ્તારમાં 197 નોંધાયો
અમદાવાદ-ગાંધીનગરનું તાપમાન એક જ રાતમાં 3 ડિગ્રી ઘટ્યું
અમદાવાદ-ગાંધીનગરનું તાપમાન એક જ રાતમાં 3 ડિગ્રી ઘટ્યું
આ રાશિના જાતકો આજે ફુલ આરામ કરશે, તમારો દિવસ કેવો રહેશે, જુઓ Video
આ રાશિના જાતકો આજે ફુલ આરામ કરશે, તમારો દિવસ કેવો રહેશે, જુઓ Video
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની આગાહી
લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ
લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ
માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર, ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર
માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર, ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર
g clip-path="url(#clip0_868_265)">