Breaking News : સાળંગપુર ભીંતચિત્રો પર કાળો કલર કરવાના કેસના ફરિયાદીનો ખુલાસો, કાગળ પર સહી કરાવી લઇ ફરિયાદી બનાવ્યો

સાળંગપુર ભીંતચિત્રો પર કાળો રંગ લગાવવાના કેસના ફરીયાદી ભુપત ખાંચરે વીડિયો બનાવી મોટો ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યુ છે કે મને ફરિયાદી બનાવ્યાની જાણ જ મને સોશિયલ મીડિયાના માધ્યમથી થઇ છે.ભીંતચિત્રો પર કાળો રંગ કોઇ વ્યક્તિએ લગાવ્યાની ઘટના બાદ મને ઓફિસમાં બોલાવીને એક કાગળ ઉપર સહિ કરાવી લેવાઇ હતી.

Breaking News : સાળંગપુર ભીંતચિત્રો પર કાળો કલર કરવાના કેસના ફરિયાદીનો ખુલાસો, કાગળ પર સહી કરાવી લઇ ફરિયાદી બનાવ્યો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 04, 2023 | 1:37 PM

Botad : બોટાદમાં સાળંગપુર ભીંતચિત્રો (Salangpur Hanuman Temple Controversy) પર કાળો રંગ લગાવવાના કેસના ફરીયાદી ભુપત ખાંચરે વીડિયો બનાવી મોટો ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યુ છે કે મને ફરિયાદી બનાવ્યાની જાણ જ મને સોશિયલ મીડિયાના માધ્યમથી થઇ છે. ભીંતચિત્રો પર કાળો રંગ કોઇ વ્યક્તિએ લગાવ્યાની ઘટના બાદ મને ઓફિસમાં બોલાવીને એક કાગળ ઉપર સહિ કરાવી લેવાઇ હતી.

આ પણ વાંચો- Sucide : સુરતના પાંડેસરમાં 12 વર્ષની કિશોરીએ ગળેફાંસો ખાધો, મૃતક ધોરણ-7માં કરતી હતી અભ્યાસ, જૂઓ Video

Bigg Boss 18 : સલમાન ખાન છે સૌથી વધુ પગાર લેનાર હોસ્ટ, ફી જાણીને ચોંકી જશો
રેસ્ટોરેન્ટ કે હોટલમાં કેમ સફેદ પ્લેટમાં સર્વ થાય છે ફૂડ ?
દાડમ ખાઈ તેના છોતરા ફેંકી ના દેતા ! જાણો તેના ફાયદા વિશે
આજનું રાશિફળ તારીખ : 18-10-2024
સૂકા તુલસીના લાકડાથી દેવી લક્ષ્મી કેવી રીતે પ્રસન્ન થશે? જાણી લો
કાવ્યા મારન માટે આવ્યા આ મોટા સમાચાર, IPL 2025 પહેલા SRH ને લાગ્યો ઝટકો

બોટાદમાં શનિવારે કિંગ ઓફ હનુમાનની પ્રતિમાના નીચે લગાવેલા ભીંતચિત્રો પર નજીકના જ ગામના એક રહેવાશી હર્ષદ દેસાઇએ કાળો રંગ કરી દીધો હતો. જે પછી વિવાદ વકર્યો હતો. ત્યારે આ કાળો રંગ લગાવવાના કેસમાં ફરિયાદ કરનાર ભુપત ખાંચરે વીડિયો બનાવી મોટો ખુલાસો કર્યો છે. ભુપત ખાંચરેએ વીડિયોમાં જણાવ્યુ કે હું હનુમાનજી મંદિરે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવું છું. જે દિવસે ભીત ચિત્રો કલર કરવાની ઘટના બની ત્યારે મારી ડ્યુટી ત્યાં જ હતી. બનાવ બન્યાને થોડીવાર પછી મને ઓફિસમાં બોલાવી પૂછ્યુ કે તમે ત્યાં જ હતા. ત્યાર બાદ ઓફિસમાં એક કાગળ ઉપર સહિ કરાવી હતી. સોશિયલ મીડિયાના માધ્યમથી મને ખબર પડી કે મને ફરીયાદી બનાવ્યો છે.

આ સાથે જ વીડિયોમાં ભુપત ખાંચરેએ જણાવ્યુ હતુ કે મારી જાણ બહાર આ કેસમાં ફરીયાદી તરીકે મારુ નામ ઉમેરાયું છે, જેથી હું આ ખુલાસો કરુ છું. આ ખુલાસો કોઈના દબાણથી કરતો નથી. તેમણે જણાવ્યુ કે ચારણ સમાજ કે અન્ય સમાજની લાગણી દુભાણી હોય તો દિલગીરી વ્યક્ત કરું છું અને હું નિર્દોષ છું .

સાળંગપુરમાં હનુમાનજીના ભીતચિત્રોને લઈ વિવાદ વકરી રહ્યો છે. હનુમાનજીના અપમાનને લઈ સંતો અને સનાતની સમાજમાં આક્રોશ વધ્યો છે. સાધુ-સંતો, મહંતોમાં હનુમાન દાદાના અપમાન બાદ નારાજગી વધી રહી છે. સાધુ-સંતોની એક જ માગ છે કે, આ વિવાદિત ભીંતચિત્રો દૂર કરી દો. અને વિવાદનો અંત લાવો. સાથે જ આ સંતો-મહંતો ભીંતચિત્રો પર થયેલા હુમલાને પણ આક્રોશનો જ ભાગ ગણાવી રહ્યા છે અને જો ચિત્રો દૂર નહીં થાય તો આવા જ પરિણામો ન આવે તેની તાકીદ લેવા પણ સ્વામિનારાયણ સંપ્રદાયને અપીલ કરી છે.

 બોટાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ઈકો સેન્સિટિવ ઝોન અંગે ખેડૂતો ખોટી ભ્રમણાઓથી રહો દૂર઼- પૂર્વ DCF, ગીર
ઈકો સેન્સિટિવ ઝોન અંગે ખેડૂતો ખોટી ભ્રમણાઓથી રહો દૂર઼- પૂર્વ DCF, ગીર
જસદણના વિરનગર ગામે ચોર વીજ ટ્રાન્સફોર્મર જ ચોરી ગયા
જસદણના વિરનગર ગામે ચોર વીજ ટ્રાન્સફોર્મર જ ચોરી ગયા
રાજકોટમાંથી 461 દારુની બોટલ ઝડપાઈ, પોલીસે 2 લોકોની કરી ધરપકડ
રાજકોટમાંથી 461 દારુની બોટલ ઝડપાઈ, પોલીસે 2 લોકોની કરી ધરપકડ
શક્તિપીઠ અંબાજીના ચાચર ચોકમાં વિનામુલ્યે ‘ચા પ્રસાદ'નું વિતરણ
શક્તિપીઠ અંબાજીના ચાચર ચોકમાં વિનામુલ્યે ‘ચા પ્રસાદ'નું વિતરણ
નાસિકથી દિલ્હી ટ્રેન મારફતે મોકલવામાં આવી ડુંગળી, રાહત દરે કરાશે વેચાણ
નાસિકથી દિલ્હી ટ્રેન મારફતે મોકલવામાં આવી ડુંગળી, રાહત દરે કરાશે વેચાણ
રતનમહાલ રીંછ અભ્યારણમાં આવેલા ધોધને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો
રતનમહાલ રીંછ અભ્યારણમાં આવેલા ધોધને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
g clip-path="url(#clip0_868_265)">