Video : સાળંગપુરમાં હનુમાનજીના ભીંતચિત્રોનો વિવાદ વણ ઉકેલ્યો, ભીંતચિત્રો હટાવવા મામલે કોઇ ફોડ પાડવામાં આવ્યો નહીં

સાળંગપુરનો વિવાદ ઉકેલવા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની સૌથી મોટી બેઠક મળી હતી. આ બેઠકમાં સ્વામિનારાયણે બાંધેલા મુખ્ય 6 મંદિરના 50 જેટલા સંતો ઉપસ્થિત રહ્યા હતા. વડતાલ, જૂનાગઢ, ધોલેરા, ભુજ, અમદાવાદ અને ગઢડા મંદિરના સંતો બેઠકમાં હાજર રહ્યા. સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય પક્ષ અને દેવ પક્ષના સંતો ઉપરાંત BAPS સ્વામિનારાયણ મંદિરના સંતો પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 04, 2023 | 9:01 AM

Botad : સાળંગપુરમાં (Salangpur) હનુમાનદાદાના ભીંતચિત્રોને લઇને ઉઠેલો વિવાદ હજુ પણ વણઉકેલ્યો છે. સાળંગપુરમાં વિવાદ મુદ્દે સ્વામિનારાયણના સંતો વચ્ચે અંદાજે 3 કલાક સુધી બેઠક ચાલી હતી, પરંતુ આ બેઠકમાં દાદાના વિવાદિત ભીંતચિત્રો હટાવવાને લઇને કોઇ નિર્ણય લેવામાં નથી આવ્યો. વિવાદ ઉકેલવા માટે હવે સંત સમિતિની રચના કરવામાં આવી છે.

આ પણ વાંચો-Gujarat News Live : મહેસાણા શોભાસણ રોડ પર રખડતા ઢોરનો આતંક, પાંચને લીધા અડફેટે

બીજી તરફ મીડિયાના સવાલોથી સ્વામીઓ ભાગતા નજરે પડ્યા. વડતાલના મુખ્ય કોઠારી સંત વલ્લભ સ્વામીએ બેઠક અંગે માહિતી આપતા જણાવ્યું કે આ વિવાદનો સુખદ ઉકેલ આવે તેવી સૌ સંતોએ પ્રાર્થના કરી છે. સમાજ, ધર્મ, રાજકીય આગેવાનો સાથે અમે સંત સમિતિની રચના કરી છે. આ સમિતિ ચર્ચા-વિચારણા કરીને ટૂંક સમયમાં નિર્ણય લેશે. આપણા સનાતન હિન્દુ ધર્મના હિતમાં નિર્ણય થશે તેવી આશા છે.

સાળંગપુરનો વિવાદ ઉકેલવા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની સૌથી મોટી બેઠક મળી હતી. આ બેઠકમાં સ્વામિનારાયણે બાંધેલા મુખ્ય 6 મંદિરના 50 જેટલા સંતો ઉપસ્થિત રહ્યા હતા. વડતાલ, જૂનાગઢ, ધોલેરા, ભુજ, અમદાવાદ અને ગઢડા મંદિરના સંતો બેઠકમાં હાજર રહ્યા. સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય પક્ષ અને દેવ પક્ષના સંતો ઉપરાંત BAPS સ્વામિનારાયણ મંદિરના સંતો પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા. તો RSSના આગેવાનોએ પણ બેઠકમાં હાજરી આપી. બેઠકમાં હનુમાનજીના જે ભીંતચિત્રોને કારણે સમગ્ર વિવાદનો વંટોળ ઉઠ્યો છે તેને લઇને ચર્ચા કરવામાં આવી,પરંતુ 3 કલાકની મેરેથોન બેઠક બાદ પણ ચિત્રો ક્યારે હટશે તેને લઇને કોઇ ફોડ પાડવામાં આવ્યો નથી.

 બોટાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Follow Us:
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
g clip-path="url(#clip0_868_265)">