Video : સાળંગપુરમાં હનુમાનજીના ભીંતચિત્રોનો વિવાદ વણ ઉકેલ્યો, ભીંતચિત્રો હટાવવા મામલે કોઇ ફોડ પાડવામાં આવ્યો નહીં

સાળંગપુરનો વિવાદ ઉકેલવા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની સૌથી મોટી બેઠક મળી હતી. આ બેઠકમાં સ્વામિનારાયણે બાંધેલા મુખ્ય 6 મંદિરના 50 જેટલા સંતો ઉપસ્થિત રહ્યા હતા. વડતાલ, જૂનાગઢ, ધોલેરા, ભુજ, અમદાવાદ અને ગઢડા મંદિરના સંતો બેઠકમાં હાજર રહ્યા. સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય પક્ષ અને દેવ પક્ષના સંતો ઉપરાંત BAPS સ્વામિનારાયણ મંદિરના સંતો પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 04, 2023 | 9:01 AM

Botad : સાળંગપુરમાં (Salangpur) હનુમાનદાદાના ભીંતચિત્રોને લઇને ઉઠેલો વિવાદ હજુ પણ વણઉકેલ્યો છે. સાળંગપુરમાં વિવાદ મુદ્દે સ્વામિનારાયણના સંતો વચ્ચે અંદાજે 3 કલાક સુધી બેઠક ચાલી હતી, પરંતુ આ બેઠકમાં દાદાના વિવાદિત ભીંતચિત્રો હટાવવાને લઇને કોઇ નિર્ણય લેવામાં નથી આવ્યો. વિવાદ ઉકેલવા માટે હવે સંત સમિતિની રચના કરવામાં આવી છે.

આ પણ વાંચો-Gujarat News Live : મહેસાણા શોભાસણ રોડ પર રખડતા ઢોરનો આતંક, પાંચને લીધા અડફેટે

બીજી તરફ મીડિયાના સવાલોથી સ્વામીઓ ભાગતા નજરે પડ્યા. વડતાલના મુખ્ય કોઠારી સંત વલ્લભ સ્વામીએ બેઠક અંગે માહિતી આપતા જણાવ્યું કે આ વિવાદનો સુખદ ઉકેલ આવે તેવી સૌ સંતોએ પ્રાર્થના કરી છે. સમાજ, ધર્મ, રાજકીય આગેવાનો સાથે અમે સંત સમિતિની રચના કરી છે. આ સમિતિ ચર્ચા-વિચારણા કરીને ટૂંક સમયમાં નિર્ણય લેશે. આપણા સનાતન હિન્દુ ધર્મના હિતમાં નિર્ણય થશે તેવી આશા છે.

સાળંગપુરનો વિવાદ ઉકેલવા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની સૌથી મોટી બેઠક મળી હતી. આ બેઠકમાં સ્વામિનારાયણે બાંધેલા મુખ્ય 6 મંદિરના 50 જેટલા સંતો ઉપસ્થિત રહ્યા હતા. વડતાલ, જૂનાગઢ, ધોલેરા, ભુજ, અમદાવાદ અને ગઢડા મંદિરના સંતો બેઠકમાં હાજર રહ્યા. સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય પક્ષ અને દેવ પક્ષના સંતો ઉપરાંત BAPS સ્વામિનારાયણ મંદિરના સંતો પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા. તો RSSના આગેવાનોએ પણ બેઠકમાં હાજરી આપી. બેઠકમાં હનુમાનજીના જે ભીંતચિત્રોને કારણે સમગ્ર વિવાદનો વંટોળ ઉઠ્યો છે તેને લઇને ચર્ચા કરવામાં આવી,પરંતુ 3 કલાકની મેરેથોન બેઠક બાદ પણ ચિત્રો ક્યારે હટશે તેને લઇને કોઇ ફોડ પાડવામાં આવ્યો નથી.

 બોટાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Follow Us:
ભાવનગરની સરટી હોસ્પિટલ 100 વર્ષે પણ અડીખમ, અન્ય 15 વર્ષમાં જ ખખડી ગઈ
ભાવનગરની સરટી હોસ્પિટલ 100 વર્ષે પણ અડીખમ, અન્ય 15 વર્ષમાં જ ખખડી ગઈ
રખડતા ઢોરોથી મળશે છૂટકારો! ઢોર નિયંત્રણની નવી પોલિસી લાગુ
રખડતા ઢોરોથી મળશે છૂટકારો! ઢોર નિયંત્રણની નવી પોલિસી લાગુ
રાજ્યમાં આગામી 3 દિવસ કમોસમી વરસાદની આગાહી
રાજ્યમાં આગામી 3 દિવસ કમોસમી વરસાદની આગાહી
વડોદરામાંથી નકલી ઓઈલ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, જુઓ વીડિયો
વડોદરામાંથી નકલી ઓઈલ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, જુઓ વીડિયો
જુનાગઢમાં ભરબજારે જામ્યુ આખલા યુદ્ધ, સ્થાનિકોમાં ફફડાટ
જુનાગઢમાં ભરબજારે જામ્યુ આખલા યુદ્ધ, સ્થાનિકોમાં ફફડાટ
તમિલનાડુની જગતગુરુ સેવા સંસ્થાના 400 ભાવિકોએ સોમનાથ મંદિરની કરી સફાઈ
તમિલનાડુની જગતગુરુ સેવા સંસ્થાના 400 ભાવિકોએ સોમનાથ મંદિરની કરી સફાઈ
અમરેલી: વડિયામાંથી નશાયુક્ત આયુર્વેદિક સિરપની 280 બોટલ ઝડપાઈ
અમરેલી: વડિયામાંથી નશાયુક્ત આયુર્વેદિક સિરપની 280 બોટલ ઝડપાઈ
નશાકારક સિરપ સામે ડ્રાઈવ, વિવિધ મેડિકલમાં પોલીસના દરોડા
નશાકારક સિરપ સામે ડ્રાઈવ, વિવિધ મેડિકલમાં પોલીસના દરોડા
નશીલા સિરપને લઇને રાજકોટ પોલીસ એકશનમાં વિવિધ સ્થળોએ પાડ્યા દરોડા
નશીલા સિરપને લઇને રાજકોટ પોલીસ એકશનમાં વિવિધ સ્થળોએ પાડ્યા દરોડા
અમદાવાદઃ IPS આર.ટી. સુસરાની પત્નીએ કર્યો આપઘાત
અમદાવાદઃ IPS આર.ટી. સુસરાની પત્નીએ કર્યો આપઘાત
g clip-path="url(#clip0_868_265)">