ગુજરાતની જળ સીમામાં અન્ય રાજ્યમાંથી ગેરકાયદે આવતી બોટનો પ્રવેશ પ્રતિબંધ
ગુજરાતની જળ સીમામાં હવે બીજા રાજ્યમાંથી ગેરકાયદે માછીમારી કરવા આવતી બોટ પ્રવેશી શકશે નહીં. જો કોઈ બોટ પ્રવેશ કરશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સાગર ખેડૂતો સાથે ‘મનની મોકળાશ’ કાર્યક્રમમાં CM રૂપાણીએ માછીમારોને સારા સમાચાર આપતી અનેક જાહેરાતો કરી. મુખ્યપ્રધાને કહ્યું કે બીજા રાજ્યોની અન અધિકૃત અને નોંધણી કર્યા વિનાની બોટોને રોકવા માટે જરૂર પડે […]
ગુજરાતની જળ સીમામાં હવે બીજા રાજ્યમાંથી ગેરકાયદે માછીમારી કરવા આવતી બોટ પ્રવેશી શકશે નહીં. જો કોઈ બોટ પ્રવેશ કરશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સાગર ખેડૂતો સાથે ‘મનની મોકળાશ’ કાર્યક્રમમાં CM રૂપાણીએ માછીમારોને સારા સમાચાર આપતી અનેક જાહેરાતો કરી. મુખ્યપ્રધાને કહ્યું કે બીજા રાજ્યોની અન અધિકૃત અને નોંધણી કર્યા વિનાની બોટોને રોકવા માટે જરૂર પડે તો કાયદો પણ લાવીશું.
આ પણ વાંચોઃ ખેડૂતો માટે ફરી માઠા સમાચાર, રાજ્યના હવામાન વિભાગે કરી આ આગાહી
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ ઉપરાંત ગુજરાતના માછીમારો જેટલો સમય પાકિસ્તાનની જેલમાં રહેશે તે દરમિયાન માછીમારોના પરિવારને પ્રતિ દિવસ 300 રૂપિયા ચુકવવામાં આવશે. આ ઉપરાંત માછીમારોના મૃત્યુ બદલ મુખ્યપ્રધાને બે લાખ રૂપિયાની સહાય આપવાની પણ વાત કરી. મહત્વનું છે કે પાકિસ્તાનની જેલમાં હાલ 218 માછીમારો છે. ઉપરાંત સાગર ખેડૂતોને કિસાન ક્રેડિટ આપવા અંગે પણ કાર્યક્રમમાં ચર્ચા થઈ હતી.