Rajkot: છેક હવે પૂરગ્રસ્ત ગામોની મુલાકાતે પહોંચ્યા આ MLA, તો રોષે ભરાયેલા ગ્રામજનોએ લઇ લીધો ઉધડો!

રાજકોટમાં ભારે વરસાદની તબાહીના અઠવાડિયા બાદ હવે છેક પુરગ્રસ્ત વિસ્તારોના મુલાકાતે MLA પહોંચ્યા. પરંતુ નેતા આટલા દિવસે આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2021 | 9:01 PM

સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદના (Heavy Rain) કારણે ખુબ હાલાકી પડી રહી છે. ત્યારે આટલા દિવસથી વરસાદમાં ભરાયેલા પાણી અને પૂરની સ્થિતિ સામે લડતી પ્રજાની આંખો વાટ જોઈ જોઈને થાકી. પરંતુ કોઈ નેતાએ ડોકિયું પણ કર્યું નહીં આવા સમયે છેક હવે વિસ્તારની મુલાકાતે ભાજપના MLA પહોંચ્યા. ધારાસભ્યને જોઇને જનતાએ તેમનો ઉધડો લઇ લીધો.

વાત જાણે એમ છે કે  રાજકોટમાં (Rajkot) ભારે વરસાદની તબાહીના અઠવાડિયા બાદ હવે છેક પુરગ્રસ્ત વિસ્તારોના મુલાકાતે MLA લાખા સાગઠિયા (MLA Lakha Sagathiya) પહોંચ્યા હતા. આટલા દિવસોએ દેખા દીધા હોવાના કારણે ધારાસભ્પ સામે ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે. પુરના પાણીથી સર્જાયેલી તારાજી તથા તેમાં થયેલા નુકસાનની સહાય ચુકવવાના મુદ્દે ગ્રામજનોએ ધારાસભ્યને ઊધડા લઇ લીધા. એટલું જ નહીં નોંધણચોરાનાં અસરગ્રસ્તોએ MLAને “અત્યાર સુધી તમે કયા ગાયબ ગયા હતા” ? તેમ કહી સવાલોના મારા ચલાવ્યા હતા. ત્યારે પુરના કુદરતી પ્રકોપ સામે હવે ગ્રામજનોને માત્ર સરકાર પાસેથી મદદની આશા છે.

સ્વાભાવિક છે કે, રાજકોટના ઘણા વિસ્તાર કેટલાક દિવસોથી પાણીમાં ગરકાવ છે. આવા સમયે ઘરોમાં લોકોના પાણી ઘુસ્યા છે. એટલું જ નહીં ખેતરો બેટમાં પરિણમ્યા છે. સાથે ઢોર પણ મૃત્યુ પામ્યા છે અને લોકોને ખુબ નુકસાન ગયું છે. ત્યારે પોતાના નેતાને આટલા દિવસો બાદ આવતા જોઇને નાગરીકોએ પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો.

 

આ પણ વાંચો: VADODARA : ઢાઢર નદી ઓવરફ્લો થતાં ડભોઇના કેટલાક ગામો પાણીમાં ગરકાવ, ડભોઇમાં ત્રણ દિવસથી વરસાદી માહોલ

આ પણ વાંચો: બરોડા ડેરીનો વિવાદ ગાંધીનગર પહોચ્યો, આવતીકાલે સીઆર પાટીલની અધ્યક્ષતામાં ધારાસભ્યો અને ડેરીના સત્તાધીશોની બેઠક યોજાશે

Follow Us:
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">