રાજ્યમાં વધુ એક અગ્નિકાંડ થતા થતા રહી ગયો…. શાંતિ એશિયાટિક સ્કૂલમાં લાગેલી આગમાં મોટો ખૂલાસો, શાળામાં ફાયર સેફ્ટીના સાધનો કાર્યરત જ ન હતા

રાજ્યમાં વધુ એક અગ્નિકાંડ થતા થતા રહી ગયો છે. અમદાવાદના શેલામાં આવેલી શાંતિ એશિયાટિક સ્કૂલમાં લાગેલી આગમાં મોટો ખૂલાસો થયો છે કે શાળામાં ફાયર સેફ્ટીના સાધનો કાર્યરત જ હતા. ત્યારે DEO અને ફાયર વિભાગની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. 

Follow Us:
Narendra Rathod
| Edited By: | Updated on: Jul 12, 2024 | 4:49 PM

અમદાવાદની નામાંકિત અને તોતિંગ ફી વસુલતી સ્કૂલોમાં જેની ગણના થાય છે તે શેલા વિસ્તારમાં આવેલી શાંતિ એશિયાટિક સ્કૂલમાં આગ લાગી હોવાનો પર્દાફાશ થયો છે. ગઈકાલે સાંજે બેઝમેન્ટમાં લાગેલી આગને શાળા દ્વારા મોકડ્રીલમાં ખપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને વાલીઓ અને વિદ્યાર્થીઓને અંધારામાં રાખવામા આવ્યા હતા. એ આગ બાદ મોટો ખૂલાસો એ થયો છે કે સ્કૂલમાં ફાયર સેફ્ટીનો સદંતર અભાવ હતો.

મોકડ્રીલ હતી તો ફાયરબ્રિગેડ કેમ ન હતુ? -વાલીઓ

ત્યારે વાલીઓનો સવાલ છે કે મસમોટી ફી વસુલતી શાળા તેમના બાળકોની સલામતી બાબતે આટલી હદે બેદરકારી કઈ રીતે દાખવી શકે. વાલીઓનો આરોપ છે કે શાળા દ્વારા સતત એ વાત છુપાવવામાં આવી હતી કે સ્કૂલમાં આગ લાગી હતી. સ્કૂલના બેઝમેન્ટમાં આગ લાગી હતી જેને શાળા દ્વારા મોકડ્રીલમાં ખપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારે વાલીઓએ એ પણ સવાલ કર્યો કે જો મોકડ્રીલ હતી કો ફાયર બ્રિગેડ કેમ હાજર ન હતુ?

જો કે આગની ઘટના અંગે જાણ થતા જ મોટી સંખ્યામાં વાલીઓ શાળાએ ધસી ગયા હતા અને હલ્લાબોલ કર્યો હતો. આ તરફ સ્કૂલ દ્વારા પણ જે બેઝમેન્ટમાં આગ લાગી હતી તેના પૂરાવા નષ્ટ કરવા માટે રાતોરાત ત્યાં કલર કામ કરી દેવામાં આવ્યુ હતુ. સમગ્ર બેઝમેન્ટ વ્હાઈટ કલરનું અને માત્ર એક દિવાલને કેસરી રંગ કરી દેવાતા શાળાના જુઠાણાનો ભાંડો ફુટી ગયો હતો. છેક સુધી સ્કૂલ દ્વારા એક જ રટણ ચાલુ રાખવામાં આવ્યુ હતુ કે શાળામાં આગ લાગી ન હતી. જે બાદ વાલીઓએ સીસીટીવી ફુટેજ બતાવવાની માગ કરતા શાળા સંચાલકો ગલ્લાંતલ્લાં કરવા લાગ્યા હતા અને શાળાના જુઠાણાનો પર્દાફાશ થયો હતો.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

શાળા દ્વારા વાલીઓને આગની ઘટના બાબતે અંધારામાં રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો. જે પાછળથી શાળા સંચાલકો લુલો બચાવ કરતા જોવા મળ્યા હતા કે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પેનિક ન થાય તે હેતુથી ઘટનાની જાણ કરાઈ ન હતી. આ મામલે વાલીઓનો સીધો આક્ષેપ છે કે શાળા દ્વારા ઘટના પર પરદો પાડવા માટે તેમને જાણ કરાઈ ન હતી.

શાળાઓમાં ફાયર સેફ્ટી બાબતે શાળા સંચાલકો અને ડીઈઓની કામગીરી પણ શંકાના ઘેરામાં આવી છે. ત્યારે સૌથી મોટો સવાલ એ પણ છે કે

  • આગની ઘટનાની જાણ ન કરીને શાળા તેનુ ક્યુ પાપ છુપાવી રહી હતી ?
  • શુ શાળામાં ફાયર સેફ્ટીના સાધનો હતા ?
  • જો ફાયર સેફ્ટીના સાધનો હતા તો કાર્યરત હતા કે નહીં ?
  • ફાયર સેફ્ટીના સાધનોની વેલિડીટી પૂર્ણ થઈ ગઈ હતી તો નવા કેમ વસાવવામાં ન આવ્યા?
  • શું શાળાને બાળકોની સલામતીની કંઈ પડી નથી?
  • જો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હોત અને મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો કોણ જવાબદારી લેત ? જિલ્લા શિક્ષણ વિભાગ સામે પણ અહીં સવાલ ઉઠે છે કે આટલી મોટી શાળામાં ફાયર સેફ્ટી ન હતી તો તેની સામે કેમ કોઈ કાર્યવાહી ન કરાઈ
  • થોડા દિવસો પહેલા જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શહેરની અનેક શાળાઓમાં ફાયર સેફ્ટીના સરપ્રાઈઝ ચેકિંગ થયા તો અહીં એવી તો શું ગોઠવણ થઈ ગઈ હતી કે આ શાળામાં ચેકિંગની કોઈ કાર્યવાહી ન થઈ?
  • જિલ્લા શિક્ષણ વિભાગ સામે પણ સવાલ ઉઠે છે કે હજુ ફાયર સેફ્ટી વિનાની આવી કેટલી શાળાઓ ધમધમે છે?

સીસીટીવી ફુટેજમાં સ્પષ્ટ થયુ કે બેઝમેન્ટના એસીમાં સ્પાર્ક થયો હતો

હજુ રાજકોટ અગ્નિકાંડની ઘટનાને બે મહિના પણ વિત્યા નથી ત્યાં વધુ એક મોટો અગ્નિકાંડ થતા-થતા રહી ગયો છે. ત્યારે શાંતિ એશિયાટિક સ્કૂલ દ્વારા બાળકોના જીવ જોખમમાં મુકી મોટી બેદરકારી દાખવવાનું ઉદાહરણ પુરુ પાડવામાં આવ્યુ છે. આટલુ ઓછુ હોય તેમ વાલીઓને સીસીટીવી બતાવવાથી પણ પહેલા તો ઈનકાર કરવામાં આવ્યો. આખરે વાલીઓના હોબાળા સામે શાળા સંચાલકોએ ઝુકવુ પડ્યુ અને સ્કૂલના મેદાનમાં પ્રોજેક્ટર લગાવીને સીસીટીવી જાહેરમાં બતાવવામાં આવ્યા હતા. આ સીસીટીવીમાં સ્પષ્ટ થયુ છે કે શાળાના બેઝમેન્ટમાં આવેલા રૂમના એસીમાં સ્પાર્ક થતા આગ લાગી હતી.

નિયમોનો ઉલાળિયો કરી બેઝમેન્ટમાં ડાન્સિંગના ક્લાસ ચલાવવામાં આવતા હતા

શાળા દ્વારા ખૂલાસો થયો છે કે આ રૂમમાં વિદ્યાર્થીઓને ડાન્સીંગની પ્રેકટીસ કરાવવામાં આવે છે. જે પણ અનેક સવાલ ઉભા કરે છે. બેઝમેન્ટનો પાર્કિંગ સિવાય અન્ય કોઈપણ ઉપયોગ ન કરવાનો સ્પષ્ટ નિર્દેશ હોવા છતા નિયમોને નેવે મુકીને ડાન્સીંગની પ્રેકટિસ કરાવાતી હોવાનુ પણ સામે આવ્યુ છે. ત્યારે સૌથી મોટો સવાલ એ પણ છે કે કોની રહેમનજર હેઠળ આ શાળા નિયમોનો આટલી હદે ઉલાળિયો કરી રહી છે.

ઘટનાને છુપાવવા ઈમરજન્સી એક્ઝિટનું બોર્ડ લગાવી દેવાયુ

શાળા દ્વારા આગની ઘટનાને છુપાવવા માટે તમામ પ્રયાસ કરવામાં આવ્યા હતા. વાલીઓના જણાવ્યા અનુસાર શાળાના બીજા માળે અને બેઝમેન્ટમાં આગ લાગી હતી અને જે જગ્યા પર આગ લાગી હતી તે જગ્યા પર કલર કરી દેવામાં આવ્યુ છે. આ ઘટના બાદ સ્કૂલમાં ઇમરજન્સી એક્ઝિટનું બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યું છે. સ્કૂલ દ્વારા મસમોટી ફી વસૂલવામાં આવે છે અને બાળકોની સેફ્ટી બાબતે સદંતર ઉપેક્ષા સેવાઈ રહી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">