AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhavnagar: પુરતી વીજળી ન મળતા ખેડૂતો પરેશાન, વાવેલા પાકમાં નુકસાન થવાની ભીતિ

ખેડૂતોએ અનેક વખત મામસા ફીડરમાં અધિકારીને વીજળી બાબતે રજૂઆતો કરી છે, પરંતુ આજદિન સુધી ખેડૂતોને પૂરતી વીજળી આપવા માટેનું કોઈ નિવારણ આવી શક્યું નથી.

Bhavnagar: પુરતી વીજળી ન મળતા ખેડૂતો પરેશાન, વાવેલા પાકમાં નુકસાન થવાની ભીતિ
Farmers of Bhavnagar's village in distress after getting just 4 hours of electricity
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 13, 2022 | 12:01 PM
Share

ભાવનગર (Bhavnagar) ગ્રામ્યના ખેડૂતોને પૂરતી વીજળી (Electricity) ન મળવાથી ખેડૂતો (Farmers) પરેશાન થઈ રહ્યા છે. ભાવનગર તાલુકાના નાગધણીબા, સરતાનપર, ભડી, વાવડી સહિતના ગામોમાં ખેડૂતોને માત્ર ત્રણ-ચાર કલાક જ વીજળી મળી રહી હોવાથી ખેડૂતોના વાવેલા પાક પર નુકશાનીના વાદળો મંડાયા છે. ખેડૂતો માટે કુદરત રુઠે તો સરકાર સહાય કરે, પરંતુ સરકારી તંત્ર અને વીજકંપનીઓને કારણે જ જ્યારે વેઠવાનું આવે તો કોને કહેવું? ભાવનગર ગ્રામ્યના ખેડૂતોની હાલત પણ કંઈક એવી જ છે. આ ધરતીપૂત્રો માટે વીજળી વેરણ બની છે. ભાવનગર ગ્રામ્ય ખેડૂતો વીજ ધાંધિયાના કારણે પરેશાનીમાં મુકાયા છે. છેલ્લા એક વર્ષથી વીજ ધાંધિયાને કારણે ખેડૂતો ખેતીમાં અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. વીજળીની અગવડને કારણે વાવેલા પાકને નુકસાન થઈ રહ્યુ છે.

ભાવનગર તાલુકાના નાગધણીબા, સરતાનપર, ભડી, વાવડી સહિતના ગામોમાં ખેડૂતોને માત્ર ત્રણ-ચાર કલાક જ વીજળી મળી રહી છે. જ્યારે કે સરકારે 8 કલાકથી વધુ વીજળીનો વાયદો કર્યો છે. હવે વીજળીના અભાવે વાવેલા પાકને સમયસર અને યોગ્ય રીતે પાણી આપી શકાતું નથી. જેને કારણે ખેતીમાં અનેક સમસ્યાઓ સર્જાય છે અને આ સમસ્યા આજકાલની નથી. છેલ્લા એક વર્ષથી વીજ ધાંધિયાને કારણે ખેડૂતો હેરાન પરેશાન છે.

ખેડૂતોએ અનેક વખત મામસા ફીડરમાં અધિકારીને વીજળી બાબતે રજૂઆતો કરી છે, પરંતુ આજદિન સુધી ખેડૂતોને પૂરતી વીજળી આપવા માટેનું કોઈ નિવારણ આવી શક્યું નથી. હાલ ખેડૂતોને પિયત માટે પુષ્કળ પ્રમાણમાં પાણીની જરૂરિયાત ઉભી થતી હોય છે. પરંતુ ગામમાં અનેક વખત ખેતીવાડીની લાઈટ દિવસમાં બે-ત્રણ વાર જતી રહેતી હોય છે તો કેટલીક વાર તો બે ત્રણ દિવસ સુધી વીજ પુરવઠો જ બંધ રહેતો હોય છે, જેના કારણે ખેડૂતો ત્રસ્ત છે. ફોન ઉપર જ્યારે અધિકારીને જણાવવામાં આવે છે, ત્યારે વીજ કર્મચારીઓ અને અધિકારીઓ ઉકેલ લાવવાને બદલે ખેડૂતોને ગોળગોળ જવાબ આપી વાત ઉડાવી દે છે.

દિવસ આખો ખેતરમાં મહેનત કરીને પાક ઉગાડતા ખેડૂતોને અનેક મુશ્કેલીઓ આવતી હોય છે, પરંતુ એ બધી મુશ્કેલીઓ સામે જંગ જીતીને તેઓ પાક લણી લેતા હોય છે. પરંતુ આ વીજ કંપનીઓની આડોડાઈથી પરેશાન ખેડૂતો માટે હવે સરકાર જ એક આશાનું કિરણ છે.

આ પણ વાંચો- સુરતના માનદરવાજા વિસ્તારમાં આર્મીમેનની પત્ની ઉપર ચાર રાઉન્ડ ફાયરિંગ, ચાર વર્ષથી ચાલતો હતો છુટાછેડાનો કેસ

આ પણ વાંચો- Gandhinagar: રોગચાળો બેકાબૂ બનતા તબીબી ટીમના કલોલમાં ધામા, એક સપ્તાહમાં 500થી વધુ ઝાડા-ઉલ્ટીના કેસ નોંધાયા

Follow Us
રાજકોટ-ખંભાળિયામાં શ્વાનનો આતંક, બાળક સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત
રાજકોટ-ખંભાળિયામાં શ્વાનનો આતંક, બાળક સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત
વરસાદ ખેંચાતા જસદણના ખેડૂતોને સતાવી રહી છે પાક નુકસાનીની ભીતિ
વરસાદ ખેંચાતા જસદણના ખેડૂતોને સતાવી રહી છે પાક નુકસાનીની ભીતિ
સુરતમાં 20 કરોડનું કોકેઈન ઝડપાયું, આરોપીના વિદેશી કનેક્શનની તપાસ
સુરતમાં 20 કરોડનું કોકેઈન ઝડપાયું, આરોપીના વિદેશી કનેક્શનની તપાસ
ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો
ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો
દાહોદની ક્રેડિટ સોસાયટીમાં 1.33 કરોડની ઉચાપાત ! 4 આરોપી સામે ફરિયાદ
દાહોદની ક્રેડિટ સોસાયટીમાં 1.33 કરોડની ઉચાપાત ! 4 આરોપી સામે ફરિયાદ
અમદાવાદ ફાયર વિભાગે 13 હોટેલ અને 1 શૈક્ષણિક સંસ્થાને પણ સીલ કરી
અમદાવાદ ફાયર વિભાગે 13 હોટેલ અને 1 શૈક્ષણિક સંસ્થાને પણ સીલ કરી
ગીર સોમનાથના સ્વદેશી હાટમાં ફૂડ પોઈઝનિંગ: નવ બાળકો અસરગ્રસ્ત
ગીર સોમનાથના સ્વદેશી હાટમાં ફૂડ પોઈઝનિંગ: નવ બાળકો અસરગ્રસ્ત
ગુજરાતમાં ભારત ટેક્સી સેવાનો પ્રારંભ, અમિત શાહે કરાવ્યું લોન્ચિંગ !
ગુજરાતમાં ભારત ટેક્સી સેવાનો પ્રારંભ, અમિત શાહે કરાવ્યું લોન્ચિંગ !
Breaking news: જૂનાગઢ સિંહબાળ હત્યા કેસમાં મોટો ખુલાસો
Breaking news: જૂનાગઢ સિંહબાળ હત્યા કેસમાં મોટો ખુલાસો
બનાસકાંઠાના ડીસામાં ક્લોરિન ગેસ લીકેજથી અફરાતફરી
બનાસકાંઠાના ડીસામાં ક્લોરિન ગેસ લીકેજથી અફરાતફરી
g clip-path="url(#clip0_868_265)">