BHAVNAGAR: 20 વર્ષથી તૂટેલી છે ઘોઘા ગામ ફરતે આવેલી દરિયાઈ સંરક્ષણ દીવાલ, અનેક રજૂઆત છતાં સ્થિતિ ‘જૈસે થે’
ઘોઘા ગામ ફરતે આવેલ દરિયાઈ સંરક્ષણ દીવાલમાંથી 1100 મિટર લાંબી સંરક્ષણ દીવાલ છેલ્લા 20 વર્ષથી તૂટી ગઈ છે. તેને બનાવવા માટે અનેકવાર ગ્રામજનો અને આગેવાનો દ્વારા રજુઆત કરવા છતાં સરકાર અને તંત્રની ઘોર બેદરકારીને કારણે બનતી નથી.
BHAVNAGAR: એક સમયે “લંકાની લાડી અને ઘોઘાનો વર”ની કહેવતથી જાણીતું અને વિશ્વના 84 દેશોના બંદર સાથે દરિયાઈ વ્યવહાર માટે જાણીતું ઘોઘા (Ghogha) ગામ વિકાસની રેસમાં હાલ ત્યાંનું ત્યાં જ છે. ઘોઘા ગામ ફરતે આવેલ દરિયાઈ સંરક્ષણ દીવાલમાંથી 1100 મિટર લાંબી સંરક્ષણ દીવાલ છેલ્લા 20 વર્ષથી તૂટી ગઈ છે.
તેને બનાવવા માટે અનેકવાર ગ્રામજનો અને આગેવાનો દ્વારા રજુઆત કરવા છતાં સરકાર અને તંત્રની ઘોર બેદરકારીને કારણે બનતી નથી. જ્યારે કોઈ મોટી જાનહાનિ થશે, ત્યારે શું સરકાર દોષનો ટોપલો ઓઢશે? તેવા પ્રશ્નો અહીંના સ્થાનિકો કરી રહ્યા છે.
દરીયાના પાણી ઘૂસી જાય છે ગામમાં
છેલ્લા ઘણા વર્ષોથી દીવાલ તૂટી ગઈ હોય દિવસેને દિવસે દરિયાકિનારાની માટીનું સતત ધોવાણ થતાં દરિયો ઘોઘા ગામના મકાનો સુધી પહોંચી ગયો છે. છતાં સરકાર અને તંત્ર ઘોર નિંદ્રામાં સૂતું છે. ગઈકાલે 38.22ની ટાઈડ (સપાટી) હતી, ત્યારે દરિયો ગામની સપાટી જેટલી સપાટી પર પહોંચતા દરિયાના પાણી ગામમાં ઘુસી ગયા હતા.
વાવાઝોડા જેવી હોનારતમાં પાણીની આ સપાટી હોય તો ઘોઘા ગામનો સંપૂર્ણ વિનાશ થઈ જાય તેવી સ્થિતિનું નિર્માણ થાય અને આફત કુદરતી નહીં પણ સરકાર અને તંત્રની બેદરકારીને કારણે સુનિયોજિત હોય તેવી સ્થિતિ સર્જાય તેમ છે.
છતાં અનેકવાર રજુઆતો કરી તાલુકા સંકલન, જિલ્લા સંકલન અને જિલ્લા આયોજનની બેઠકમાં પણ આ પ્રશ્ન વારંવાર રજૂ કર્યો છે, પરંતુ જાણે આંધળી, બહેરી અને મૂંગી સરકાર અને તેના જેવા જ તેના નેતા અને તંત્ર માત્ર ખાતરી આપી કામ ચલાવી રહ્યાના સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે.
ત્યારે હવે સંરક્ષણ દીવાલ બનાવવા નક્કર પગલાં નહીં ભરવામાં આવે તો કલેક્ટર કચેરીએ આમરણાંત ઉપવાસ કરવાની અને આંદોલન કરવાની ફરજ પડશે તેવું સ્થાનિક કોંગ્રેસના આગેવાનો કહી રહ્યા છે.
આ પણ વાંચો : Remedesivir Injection: હવે કેન્દ્ર નહીં આપે રાજ્યોને રેમડેસિવીર ઇન્જેક્શન, સીધી કંપનીમાંથી જ કરવી પડશે ખરીદી