AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhavnagar: સિહોર-ઘાંઘળી રોડ પર જીઆઈડીસીમાં આવેલી અરિહંત ફેક્ટરીમાં બ્લાસ્ટ, 10 શ્રમિકો દાઝી ગયા

બ્લાસ્ટના કારણે 10 શ્રમિકો દાઝી ગયા છે. દાઝી ગયેલા શ્રમિકોને સારવાર માટે સિહોર અને ભાવનગરની હોસ્પિટલ ખસેડાયા છે.

Bhavnagar: સિહોર-ઘાંઘળી રોડ પર જીઆઈડીસીમાં આવેલી અરિહંત ફેક્ટરીમાં બ્લાસ્ટ, 10 શ્રમિકો દાઝી ગયા
Bhavnagar: Blast at Arihant Factory at GIDC on Sihor-Ghanghali Road
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 13, 2022 | 7:56 AM
Share

ભાવનગર (Bhavnagar)માં સિહોર-ઘાંઘળી રોડ પર આવેલી જીઆઈડીસીની ફેક્ટરીમાં બ્લાસ્ટ (Blast in factory) થયો છે. બ્લાસ્ટના કારણે આગ (fire) લાગતા ફેમાક્ટરીમાં કામ કરતા 10 શ્રમિકો દાઝી ગયા છે. જેમને સારવાર માટે હોસ્પિટલ (Hospital) ખસેડવામાં આવ્યા છે.

બ્લાસ્ટમાં 10 શ્રમિકો ઇજાગ્રસ્ત

ભાવનગરમાં સિહોર-ઘાંઘળી રોડ પર જીઆઈડીસી-4માં અરિહંત નામની રોલિંગ ફેક્ટરી આવેલી છે. જેમાં શ્રમિકો કામ કરી રહ્યા હતા તે દરમિયાન કોઇ ક્ષતિના કારણે અચાનક ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ થવાના કારણે આગ લાગી હતી. આગમાં ફેક્ટરીમાં કામ કરતા 10 જેટલા શ્રમિકો દાઝી ગયા છે. આગ લાગતા જ ફેક્ટરી પાસે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તો સિહોર, ભાવનગર, નારી, વલ્લભીપુર સહિતની 108ની 5 ટીમો ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને આ ઇજાગ્રસ્ત શ્રમિકોને 108 દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

શ્રમિકોને સામાન્ય ઇજાઓ

મળતી માહિતી મુજબ તમામ 10 શ્રમિકોને નાની મોટી ઇજાઓ થઇ છે. તમામ દાઝી ગયેલા શ્રમિકોને હાલમાં સિહોર અને ભાવનગરની હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. હાલ સમગ્ર પરિસ્થિતિ કાબુમાં છે.

ગુજરાતમાં અનેક વાર ફેક્ટરીઓમાં બ્લાસ્ટ થવાની અને આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે. ફેક્ટરીના સાધનોમાંં કોઇને કોઇ ક્ષતિ થવાના કારણે શ્રમિકો તેના ભોગ બનતા હોય છે. ત્યારે ફેક્ટરી સંચાલકો દ્વારા ફેક્ટરીના સાધનોની યોગ્ય રીતે ચકાસણી રાખવી જરુરી છે. સાથે જ ફેક્ટરીમાં ફાયર સેફ્ટીના સાધનો રાખવામાં પણ આવશ્યક છે.

આ પણ વાંચો-

કેનેડામાં ગયેલા ગુજરાતના 150 વિદ્યાર્થી સહિત દેશના 2500 વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં, ત્રણ કોલેજોને તાળા લાગ્યા

આ પણ વાંચો-

ડાંગ : નવા બની રહેલા ડેમોને લઇને સ્થાનિકોમાં ચિંતા, વાંસદા-ચીખલીના ધારાસભ્યની આગેવાનીમાં બેઠક યોજાઇ

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">