AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દહેજના ઉદ્યોગો માટે જમીન સંપાદન બાદ ગૌચર અને રોજગારીના વાયદા પૂર્ણ ન થતા ગ્રામજનો રસ્તા ઉપર ઉતર્યા

સુવા ગામના લોકો આજે સમસ્યાઓ તરફ સરકારનું ધ્યાન ખેંચવા રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. ભરૂચને દહેજ જીઆઇડીસી સાથે જોડતી સુવા ચોકડી નજીક ગ્રામજનો રોડ ઉપર ઉતરી આવ્યા હતા.રસ્તા ઉપર બેસી જઈ ગ્રામજનોએ ચક્કાજામ કર્યા હતા.

દહેજના ઉદ્યોગો માટે જમીન સંપાદન બાદ ગૌચર અને રોજગારીના વાયદા પૂર્ણ ન થતા ગ્રામજનો રસ્તા ઉપર ઉતર્યા
સુવા ગામના લોકોએ ચક્કાજામ કર્યા
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 25, 2022 | 12:20 PM
Share

વિવિધ માંગણીઓને લઈ સમાધાન ન મળતા ભરૂચ(Bharuch) જિલ્લાના  વાગરા તાલુકાના સુવા ગામના લોકો આજે સવારે દહેજ જીઆઇડીસી(Dahej GIDC)ની જોડતા માર્ગ ઉપર બેસી ગયા હતા અને વાહન વ્યવહાર ઠપ્પ કરી દીધો હતો. સ્થાનિકોનું કહેવું છે કે તેમને ગુમાવેલી જમીન સામે માત્ર વાયદા મળ્યાં છે. સ્થાનિકો ગૌચરની જમીન અને રોજગારીના મુદ્દે ઘણાં સમયથી રજુઆત કરી રહ્યા છે પણ હલ ન મળતા આખરે આજે આંદોલનનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. ગ્રામજનોનો મિજાજ પારખી સરકારી બાબુઓએ તાત્કાલિક દહેજ તરફ વાટ પકડી હતી.સુવા ગામના લોકો માટે આંદોલનની આગેવાની કરનાર રાજેશભાઈ ગોહિલના જણાવ્યા અનુસાર દહેજ ઔદ્યોગિક વસાહતના નિર્માણ અને વિકાસ માટે સુવા ગામની ખુબ મોટી જમીન સંપાદિત કરવામાં આવી છે. સ્થાનિકોએ ઉદ્યોગોને આવકાર આપવા જમીન આપી તો સામે તેઓ બેરોજગાર ન બને તે માટે જમીનની કિંમત ઉપરાંત રોજગારીના વાયદા થયા હતા.

વર્ષો સુધી નોકરી માટે આશા રાખી બેઠેલા સ્થાનિકોને રોજગારી આપવામાં ઠાગાઠૈયા કરવામાં આવતા ધીરજ ગુમાવી બેઠેલા સ્થાનિકો આજે રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. સ્થાનિકો અનુસાર 5 જેટલી કંપનીઓએ રોજગારી માટે વાયદા કર્યા બાદ નોકરી આપી નથી.

અન્ય એક મામલામાં વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા લોકોએ જણાવ્યું હતું કે દહેજ જીઆઇડીસીના નિર્માણ માટે સ્થાનિક વિસ્તારની જમીન સંપાદન કરવામાં આવી હતી. ગ્રામજનો અનુસાર 200 એકર જમીન ગૌચર માટે આપવાનો વાયદો કરાયો હતો જે બાદમાં 45 એકર સુધી ઘટાડો કરવામાં આવ્યો હતો પરંતુ હજુ સુધી આ જમીન અપાઇ નથી. ગામમાં ૫૦૦ થી વધુ પશુઓ છે જેમના માટે ચારા સહીતની સમસ્યાઓ ઉભી થઇ રહી છે જેનો ગ્રામજનો હલ માંગી રહ્યા છે.

સુવા ગામના લોકો આજે સમસ્યાઓ તરફ સરકારનું ધ્યાન ખેંચવા રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. ભરૂચને દહેજ જીઆઇડીસી સાથે જોડતી સુવા ચોકડી નજીક ગ્રામજનો રોડ ઉપર ઉતરી આવ્યા હતા.રસ્તા ઉપર બેસી જઈ ગ્રામજનોએ ચક્કાજામ કર્યા હતા. જીઆઇડીસી અને આસપાસની કંપનીઓ તરફથી ગૌચર અને રોજગારીની સમસ્યા હલ ન કરે ત્યાં સુધી ઉભા નહિ થવાની હાથ પકડી હતી.

આ પણ વાંચો :  Bharuch Police એ આ બે મામલાઓમાં કુલ 7 લોકોની ધરપકડ કરી, જાણો વિગતવાર

આ પણ વાંચો : Bharuch : અંકલેશ્વરમાં એમ.એસ. ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગી, 10 ફાયર ફાઇટર ઘટના સ્થળે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">