AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હવે ગુજરાતમાં FIR કરવા નહિ જવું પડે પોલીસ સ્ટેશન, તમારા મોબાઈલમાંથી કરી શકશો સીધી પોલીસ ફરિયાદ

23 જુલાઈએ દેશના ગૃહ પ્રધાન અમિત શાહના વરદહસ્તે આ એપ અને પોર્ટલનું લોકાર્પણ કરવામાં આવશે. આ સુવિધા ગુજરાતના લોકો માટે મહત્વની માનવામાં આવે છે.

હવે ગુજરાતમાં FIR કરવા નહિ જવું પડે પોલીસ સ્ટેશન, તમારા મોબાઈલમાંથી કરી શકશો સીધી પોલીસ ફરિયાદ
A police complaint can be filed from home
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2022 | 9:13 AM
Share

ગુજરાત પોલીસ(Gujarat Police) ડિજિટલાઇઝેશન તરફ આગળ વધી રહી છે. કેટલીક સામાન્ય બાબતો માટે પણ નાગરિકોને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા ન પડે તે માટે ગુજરાત પોલીસ એક અનોખી પહેલ કરવા જઈ રહી છે. પોલીસ એક એપ તૈયાર કરી રહી છે જેના દ્વારા નાગરિકો ઘરે બેઠા પોતાની સમસ્યા પોલીસને વર્ણવી શકશે. પ્રાથમિક તબક્કે વાહન અને મોબાઈલ ચોરીની ફરિયાદ આ એપ દ્વારા સ્વીકારવામાં આવશે જે બાદ સેવાઓમાં વધારો થઇ શકે છે. 23 જુલાઈએ દેશના ગૃહ પ્રધાન અમિત શાહ(Amit Shah)ના વરદહસ્તે આ એપનું લોકાર્પણ કરવામાં આવશે.

ગુજરાત પોલીસના સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર ઘણીવાર ગુનાહિત તત્વોનો શિકાર બનવા છતાં સામાન્ય નાગરિકો પોલીસ ફરિયાદ કરવાનું ટાળે છે. કામકાજ છોડી ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન જવું એક આમ આદમી ઘણીવાર નકારી કાઢતો હોય છે. કેટલાક કિસ્સાઓમાં ગુનાઓની સંખ્યા ઘટાડવા પણ પોલીસકર્મીઓનું વર્તન યોગ્ય ન રહેવાની ફરિયાદો ઉઠતી હોય છે. આ સમસ્યાઓના અનુમાનો વચ્ચે સામાન્ય માણસ ગુનાનો ભોગ બનવા છતાં ચુપચાપ બેસી રહેવાનું પસંદ કરતો હોય છે. પ્રજાના મૌનના કારણે ગુનાહિત તત્વોને મોકળું મેદાન મળી જતું હોય છે. આ પરિસ્થિતિ ટાળવા પોલીસ હવે ગુજ્જુ લોકો પોતાની ફરિયાદ ઘરે બેઠા પોલીસને કરી શકે તેવી વ્યવસ્થા કરી રહી છે.

પોલીસે ટ્વીટ દ્વારા એપ અંગે માહિતી જાહેર કરી

ટ્વીટ કરી ગુજરાત પોલીસના જિલ્લા અધિક્ષકો દ્વારા જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. ટ્વીટમાં કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાત પોલીસની ઓનલાઇન સેવાઓમાં મહત્વપૂર્ણ ઉમેરો થવા જઈ રહ્યો છે. ગુજરાત પોલીસની સિટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ(Citizen First Mobile App) અથવા સિટીઝન પોર્ટલ(Citizen Portal)નો ઉપયોગ કરી પોલીસ સ્ટેશન ગયા વગર ઘર બેઠા ચોરાયેલ વાહન અથવા મોબાઈલની ફરિયાદ કરી શકશે.

ગૃહ પ્રધાન અમિતશાહ લોકાર્પણ કરશે

23 જુલાઈએ દેશના ગૃહ પ્રધાન અમિત શાહના વરદહસ્તે આ એપ અને પોર્ટલનું લોકાર્પણ કરવામાં આવશે. આ સુવિધા ગુજરાતના લોકો માટે મહત્વની માનવામાં આવે છે. ગુનાની માહિતી પોલીસને મળવાથી ત્વરિત પગલાં દ્વારા ગુનાઓ ઉપર નિયંત્રણમાં મદદ મળશે સાથે આમ આદમીને પણ રાહત મળશે

હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
g clip-path="url(#clip0_868_265)">