GUJARAT : ઉત્તર ગુજરાતમાં વરસાદ ખેંચાતા વિકટ સ્થિતિ, અત્યાર સુધીમાં માત્ર 32.15 ટકા વરસાદ પડ્યો

Rain Shortage in North Gujarat : ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધીમાં માત્ર 32.15 ટકા વરસાદ જ નોંધાયો છે.ચોમાસાના 84 દિવસમાં સરેરાશ 9.50 ઈંચ વરસાદ પડ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 25, 2021 | 6:59 PM

GUJARAT : ઉત્તર ગુજરાતમાં મેઘરાજા રિસાઈ જતા સૌથી કફોડી સ્થિતિ સર્જાઈ છે..બનાસકાંઠા, પાટણ, મહેસાણા જિલ્લાના જળાશયો તળિયાઝાટક સ્થિતિમાં છે.ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધીમાં માત્ર 32.15 ટકા વરસાદ જ નોંધાયો છે.ચોમાસાના 84 દિવસમાં સરેરાશ 9.50 ઈંચ વરસાદ પડ્યો છે.જો જિલ્લાદીઠ વાત કરીએ તો પાટણ જિલ્લામાં 36.57 ટકા અને બનાસકાંઠા જિલ્લામાં 58.50 ટકા વરસાદની ઘટ છે. તો સાબરકાંઠામાં પણ 54.15 ટકા વરસાદ ઓછો પડ્યો છે.અરવલ્લી જિલ્લામાં સર્વાધિક 65.23 ટકા વરસાદની ઘટ છે. ચોમાસા દરમિયાન સિઝનનો 100 ટકા વરસાદ પૂર્ણ કરવા બાકીના 38 દિવસમાં સરેરાશ 20 ઈંચ વરસાદની જરૂર છે. ઉત્તર ગુજરાતના લોકો અને ખાસ કરીને ખેડૂતો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યાં છે. મેઘરાજાને મનાવવા ખાસ પૂજા, પ્રાર્થનાઓ પણ કરવામાં આવી રહી છે.

ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો પાણીની સમસ્યા આ વિસ્તારમાં સૌથી મોટી હોય છે. બનાસકાંઠા અને પાટણ રણવિસ્તારના જિલ્લાઓ છે. જ્યારે સાબરકાંઠા અને મહેસાણા પર્વતીય તેમજ મેદાની પ્રદેશો ધરાવે છે. પરંતુ આટલા મોટા વિસ્તારમાં માત્ર સાબરમતી નદી સિવાય તમામ નદીઓ કુંવારિકા છે. જેના કારણે વરસાદ સિવાય મોટાભાગની નદીઓ કોરીધાકોર હોય છે.

આ વિસ્તારમાં સિંચાઈ ડેમ તેમજ ભૂગર્ભ જળના આધારે થાય છે. પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી ઓછો વરસાદ અને ઉંડા જતા ભૂગર્ભજળ આ વિસ્તારની સૌથી મોટી સમસ્યા છે. આ વર્ષે પણ ઓછા વરસાદના કારણે મોટાભાગનાં જળાશયો ખાલીખમ છે. સિંચાઇ માટે પાણી નથી જ પરંતુ આગામી સમયમાં જો વરસાદ નહીં આવે તો ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પીવાના પાણીની પણ મહામારી સર્જાશે. જેને લઈ ખેડૂતોને સ્થાનિક લોકો ચિંતાતુર છે.

આ પણ વાંચો : JUNAGADH : વિસાવદર માર્કેટીંગ યાર્ડમાં 19 વર્ષથી કામ કરતા કર્મચારીઓને છુટા કરી દેવામાં આવ્યાં

Follow Us:
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">