AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બનાસકાંઠાઃ દાંતીવાડા, પાલનપુર અને ગઢ વિસ્તારમાં રવિ સિઝન પર સંકટ, 11000 હેક્ટરમાં સિંચાઈની ચિંતા

જમવામાં જગલો, કૂટવામાં ભગલો. બિલકુલ આવી જ સ્થિતિ છે બનાસકાંઠાના ખેડૂતોની. બેદરકારી સિંચાઈ વિભાગે દાખવી છે અને ભોગવી રહ્યા છે નિર્દોષ ખેડૂતો. વાત એમ બની છે કે દાંતીવાડા ડેમનો દરવાજો ક્ષતિગ્રસ્ત છે જેને કારણે કરોડો લિટર પાણી તો વેડફાઈ જ રહ્યું છે અને હવે જરૂર હોય ત્યારે જ સિંચાઈનું પાણી નહીં મળે તો 1100 હેક્ટરમાં થયેલા વાવેતરનું શું થશે ? એ તો રામ જાણે અને ક્યાં તો આ અધિકારીઓ જાણે.

બનાસકાંઠાઃ દાંતીવાડા, પાલનપુર અને ગઢ વિસ્તારમાં રવિ સિઝન પર સંકટ, 11000 હેક્ટરમાં સિંચાઈની ચિંતા
11000 હેક્ટરમાં સિંચાઈની ચિંતા
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2023 | 5:30 PM
Share

વગર લેવાદેવાએ કરોડો લિટર પાણી વેડફાઈ રહ્યું છે. હવે આને સિંચાઈ વિભાગની બેદરકારી કહેવી કે ન કહેવી ? આ વેડફાટને કારણે ભોગવવાનું તો આખરે ખેડૂતોએ આવશે. કેમકે આ વેડફાટને કારણે 11 હજાર હેક્ટર વાવેતરને નુકસાનની ભીતિ જોવાઈ છે. બીજી તરફ ભ્રષ્ટાચારની કેનાલને કારણે હેક્ટર વાવેતરમાં પાણી ન મળતા ખેડૂતોનો રોષ સાતમાં આસમાને પહોંચ્યો છે.

ખેડૂતોનો આક્ષેપ છે કે સિંચાઈ વિભાગ અને દાંતીવાડા ડેમના અધિકારીની બેદરકારીને કારણે આ રીતે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. દાંતીવાડા ડેમનો ગેટ ક્ષતિગ્રસ્ત હોવાથી જે કેનાલમાં જરૂર નથી ત્યાં પણ પાણી વહી રહ્યું છે. જ્યાં પાણીની જરૂરિયાત છે તે કેનાલમાં ભ્રષ્ટાચારના ગાબડા પડ્યા છે. જેથી છેલ્લા આઠ મહિનાથી પાણી નથી મળતું. જેને લઇને પાલનપુર અને ગઢ પંથકમાં 11 હજાર હેક્ટર વાવેતરમાં ખેડૂતોના માથે સંકટ ઉભું થાય તેવી શક્યતા છે.

11000 હેક્ટર ખેતી પર સિંચાઈનું સંકટ

રવિ સિઝન માટે દાંતીવાડા, પાલનપુર અને ગઢ પંથકમાં ખેડૂતોની માગ પ્રમાણે દાંતીવાડા બ્રાન્ચ કેનાલમાંથી પાણી છોડાયું હતું. જો કે બે તબક્કામાં પાણીની માગ પૂરી થયા બાદ પાણી બંધ કરવાનું હતું. પરંતુ દાંતીવાડા ડેમનો ગેટ ક્ષતિગ્રસ્ત થવાને કારણે પાણી બંધ થઈ શક્યું નથી.

છેલ્લા દશેક દિવસથી કરોડો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. જેને કારણે ખેડૂતોને ચિંતા છે કે આગામી 10 દિવસ બાદ રવિ પાકને પાણીની જરૂરિયાત પડવાની છે. જો દસ દિવસમાં આ ગેટ સંપૂર્ણ રિપેર નહીં થાય તો તેમને પાણી નહીં મળે. એમ થાય તો પાલનપુર અને ગઢ પંથકમાં 11 હજાર હેક્ટરમાં રવિ પાકના વાવેતરને મોટા નુકસાનની ભીતિ છે.

ફિકર એ વાતની છે કે ગઢ પંથકના 1100 હેક્ટર વાવેતર પર ખતરો મંડાઇ રહ્યો છે. છતાં તેને રિપેર કરવાની કોઈ જ ગંભીરતા નથી જોવા મળી રહી. ગયા ઉનાળામાં આ કેનાલ તૂટી ગઈ હતી અને ત્યારબાદ રીપેરીંગ કરવાને બહાને આઠ મહિના બાદ પણ આ કેનાલમાં દાંતીવાડા ડેમમાંથી પાણી છોડાયું નથી.

આ પણ વાંચોઃ સૌરવ ગાંગુલીને ભૂતપ્રેત થયો અનુભવ, હોટલના રુમમાં અડધી રાતે એવું થયું કે દાદાના હોશ ઉડી ગયા

બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આ રાશિના જાતકોને સાસરિયાઓ તરફથી આર્થિક લાભ મળવાની શક્યતા, જુઓ Video
આ રાશિના જાતકોને સાસરિયાઓ તરફથી આર્થિક લાભ મળવાની શક્યતા, જુઓ Video
ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફૂંકાય તેવી આગાહી
ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફૂંકાય તેવી આગાહી
ગુજરાતના આ જિલ્લામાં ગર્ભવતી બનેલી કિશોરીઓના આંકડા જાણી ચોંકી જશો
ગુજરાતના આ જિલ્લામાં ગર્ભવતી બનેલી કિશોરીઓના આંકડા જાણી ચોંકી જશો
અમદાવાદનાં સુભાષ બ્રિજની હાલની સ્થિતિએ ફરી ચર્ચા ગરમાવી
અમદાવાદનાં સુભાષ બ્રિજની હાલની સ્થિતિએ ફરી ચર્ચા ગરમાવી
પેટલાદ, બોરસદ, ખંભાત નગરપાલિકાને GPCBએ ફટકારી નોટિસ
પેટલાદ, બોરસદ, ખંભાત નગરપાલિકાને GPCBએ ફટકારી નોટિસ
અમદાવાદમાં 35 સ્થળો પર ITનું સર્ચ ઓપરેશન
અમદાવાદમાં 35 સ્થળો પર ITનું સર્ચ ઓપરેશન
રાજકોટના જસદણમાં બાળકી સાથે દુષ્કર્મ મામલે એક આરોપીની ધરપકડ
રાજકોટના જસદણમાં બાળકી સાથે દુષ્કર્મ મામલે એક આરોપીની ધરપકડ
દાહોદમાં એક જ પરિવારના 5 ભાઈના મકાનમાં લાગી આગ
દાહોદમાં એક જ પરિવારના 5 ભાઈના મકાનમાં લાગી આગ
g clip-path="url(#clip0_868_265)">